માસિક ધર્મમાં ચૂકને ના સમજો ગર્ભાવસ્થા

By Lekhaka

માસિક ધર્મમાં ચૂક મોટાભાગની મહિલાઓ પ્રેગ્નેનસી માની લે છે, પરંતુ આવું ન થવાના પણ અનેક કાઉંટર કારણ છે. પાઠ્યપુસ્તકની ભાષા મુજબ, માસિક ધર્મનુ ચક્ર ૨૮ દિવસનું હોય છે જે મોટાભાગની છોકરીઓમાં ૧૩ વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તે ચક્ર ૩-૭ દિવસ સુધી ચાલે છે જે વ્યક્તિની ફિજીયોલોજી પર નિર્ભર કરે છે.

મોટાભાગની નાની અને યુવાન છોકરીઓને સંબંધ ન હોવાના કારણે ગર્ભધારણની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, પરંતુ, મોટી ઉંમરની મહિલાઓને પછી માસિક ધર્મના ગતિઅવરોધનો સામનો કરવો પડે છે.

નીચે કેટલાક તથ્યોની યાદી આપવામાં આવી છે જે દરેક મહિલાઓને તે વાત પર રાજી કરી દેશે કે માસિક ધર્મમાં ચૂકનો અર્થ દર વખતે પ્રેગનેંસી જ ના હોઈ શકે. માસિક ધર્મમાં ચૂક કે મોડુ થવાના મુખ્ય : ત્રણ ઉપશિર્ષકોમાં વિભાજીત કરી શકાય છે :- પ્રાથમિક રજોરોધ, સેંકંડરી રજોરોધ અને ઓલિગોમનેરિયા. પ્રાથમિક રજોરોધ કે માસિક ધર્મમાં ચૂક માસિક ધર્મ ચક્રનો પ્રથમ તબક્કો એટલે કે યુવાન છોકરીઓમાં ૧૩-૧૪ વર્ષની હોય છે.

આનુવાંશિક એબનોર્મલિટી કે પ્રજનન પ્રણાલી અથવા શારિરીક અંગોમાં આંતરિક સમસ્યાઓના કારણે છોકરીઓમાં માસિક ધર્મમાં ચૂક થાય છે. આગળનો છે સેકેંડરી રજોરોધ, જે સામાન્ય ચક્ર બાદ અચાનક માસિક ધર્મ બંધ થઇ જતાં થાય છે. તેનું મુખ્ય કારણ પ્રેગ્નેન્સી પણ હોઈ શકે છે, પરંતુ, આ સમસ્યા એકમાત્ર જવાબ ના હોઈ શકે.

અંતે, એલિગોમનેરિયા એક મેડિકલ સ્થિતિ છે જેમાં મહિલાઓ દરેક વર્ષે ૧૨-૧૪ માસિક ધર્મની તુલનામાં ૮ થી ઓછી વખત માસિક ધર્મ અનુભવી શકે છે. કેટલીક ગંભીર બાબતોમાં, સેંકેડરી રજોરોધ પોલિસિસ્ટિટક અંડાશય સિંડ્રોમનું સંયોજન ઓલિગોમનેરિયાના કારણ હોઈ શકે છે.

તણાવ

તણાવ

તણાવ અને ચિંતા માસિક ધર્મમાં ચૂક માટે સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. આવ્યુલેશનરહિત માસિક ધર્મ મહિલઓમાં આવ્યુલેશન સમસ્યાઓના કારણે પણ થઈ શકે છે. કેટલીક મહિલાઓને અંડાશય સંબંધી સમસ્યાઓ જેવી પોલીસિસ્ટિક અંડાશય સિડ્રોમના કારણે આવ્યુલેશનચૂક થાય છે.

વજન

વજન

વધારે વજન અને ઓછા વજન જેવી સમસ્યાઓના કારણે કેટલીક વાર મહિલાઓમાં માસિક ધર્મની ભૂલ થાય છે.

ઉપચાર

ઉપચાર

તમારા ર્ડોક્ટર દ્રારા લાંબા સમયથી આપવામાં આવેલી દવાઓના સાઈડ ઈફેકટ વિશે તેમને પૂછો કે તે આપના માસિક ધર્મમાં ચૂક થવાનું કારણ આ તો નથી ને. આ પણ એક કારણ હોઈ શકે કે માસિક ધર્મમાં થનાર ચૂક દરેક વખત ગર્ભધારણ ના હોઈ શકે.

ગર્ભનિરોધક ગોળીઓ

ગર્ભનિરોધક ગોળીઓ

ગર્ધનિરોધક ગોળીઓના લેબલ મુજબ તમને સાઈડ ઈફેક્ટ થઈ શકે છે જેવી કે ઉલ્ટી, થાક અને વજન વધવું. પરંતુ, વધારે ગોળીઓનું પરિણામ માસિક ધર્મમાં ચૂક અથવા મોડું પણ કરી શકે છે.

દૂધ પીવડાવવું

દૂધ પીવડાવવું

સ્તનપાન કરાવતી વખતે મોટાભાગની મહિલાઓને સ્તનપાન ચક્રના પ્રભાવના કારણે માસિક ધર્મમાં ચૂક અથવા લેટ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

હોર્મોન

હોર્મોન

શરીરમાં હોર્મોન પરિવર્તન
શરીરમાં હાર્મોર્ન પરિવર્તનથી પણ સ્પષ્ટ થઇ શકે છે કે કેમ મોટાભાગના કેસમાં માસિક ધર્મમાં ચૂક પ્રેગનેંસી થઇ શકતી નથી.

આહાર અને વ્યાયામ નિયમ

આહાર અને વ્યાયામ નિયમ

કેટલાક કઠિન વ્યાયામ અને આહાર નિયમ મહિલાઓમાં પ્રજનન ચક્રને પ્રભાવિત કરી શકે છે અને તેમની ફિજિયોલોજીના અનુસાર માસિક ધર્મમાં ચૂક અથવા મોડું થઇ શકે છે.

પિટ્યૂટરી અને થાયરોઇડ ગ્રંથિની બિમારીઓ

પિટ્યૂટરી અને થાયરોઇડ ગ્રંથિની બિમારીઓ

મોટાભાગના ડોક્ટર માસિક ધર્મ ચક્રમાં અનિયમિતતાઓને અલ્સરના વિકાસ અથવા પિટ્યૂટરી અને થાયરોયડ ગ્રંથિની અન્ય અસાઅમાન્યતાઓ સાથે જોડે છે.

મેનોપોઝ

મેનોપોઝ

દરમિયાન મહિલાઓને મોટાભાગે માસિક ધર્મમાં ચૂક અથવા મોડું થાય છે. માસિક ધર્મની વચ્ચે અંતરનો સમય 3-13 મહિના સુધીનો હોઇ શકે છે.

હવાઇ મુસાફરીથી અનુભવાયેલો થાક

હવાઇ મુસાફરીથી અનુભવાયેલો થાક

દિનચર્યામાં અચનાક થનાર પરિવર્તન અથવા વિદેશ યાત્રાના લીધે થનાર ટાઇમ ઓરિએન્ટેરૂન અથવા જેટલેગના લીધે પણ માસિક ધર્મના સામાન્ય ચક્રમાં અડચણ આવી શકે છે.

Story first published: Wednesday, November 16, 2016, 10:00 [IST]
X
Desktop Bottom Promotion