Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
રાશિ અનુસાર કરો અક્ષય તૃતિયાના દિવસે મંત્રોનો જાપ
અક્ષય તૃતિયા હિન્દુ કેલેન્ડરમાં સૌથી શુભ દિવસ છે. આ દિવસને હિન્દુ કેલેન્ડરમાં એટલો શુભ ગણવામાં આવે છે કે કોઇ પણ શુભ કાર્યને કરવા માટે મુહૂર્ત પણ જોવું પડતું નથી. કોઇ ફરક પડતો નથી કે તમે દિવસના કયા સમયમાં કયું કાર્ય કરવા જઇ રહ્યાં છો. માનવામાં આવે છે કે આ દિવસે કોઇપણ કાર્ય શરૂ કરવાથી પરિણામ સારું મળે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે છે.
આ જ કારણે આ દિવસે હિન્દુઓમાં લગ્ન સૌથી કરવામાં આવે છે અને તે આ દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ ગણે છે. આમ તો આ દિવસ બધા માટે સારો હોય છે પરંતુ ગ્રહ અને નક્ષત્રોના અનુસાર તેના પ્રભાગ અલગ હોય છે. અલગ-અલગ રાશીઓને પણ તેનો લાભ અલગ-અલગ મળે છે. એટલા માટે અમે તમને આ લેખમાં રાશિફળ અનુસાર, અક્ષય તૃતિયાના દિવસે જાપ કરવાના મંત્રો વિશે જણાવી રહ્યાં છીએ.

મેષ
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् ऐंग क्लिंग सोंग''
આ મંત્ર, ધન અને સમૃદ્ધિ લાવે છે.
આગામી સમયમાં દાળ, ઘઉં, લાલ રંગના ફૂલ, લાલ વસ્ત્રો, તામ્રપાત્ર વગેરેને દાન કરો.

વૃષભ
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् ऐंग क्लिंग श्रींग''
આ મંત્રનો જાપ કરવાથી ખુશીઓ અને સમૃદ્ધિ આવે છે.
ગાયને લોઇ, હીરા, ઘોડા વગેરે દાન કરો.જો કે સફેદ રંગનું હોવું જોઇએ. સાથે જ ચોખા અને અત્તર પણ દાન કરો.

મિથુન
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् क्लिंग ऐंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી ખુશીઓ અને શાંતિ આવે છે.
મિથુન રાશિના લોકોને લીલા રંગના વસ્ત્રો દાનમાં આપવા જોઇએ. દાળ, એમ્બરેલ્ડ, સોનું અને ઓએસ્ટર પણ દાન કરવું જોઇએ.

કર્ક
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् ऐंग क्लिंग श्रिंग''
આ મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, ખુશીઓ અને શાંતિ આવે છે.
આ મંત્રનો જાપ કરવાની સાથે તમારે ઘી, ખાંડ, દૂધ, દહી, ચાંદી, અત્તર, કપડા વગેરે દાનમાં આપવું જોઇએ. સફેદ રંગને દાનમાં વધુ મહત્વ આપો.

સિંહ
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् हिरिंग श्रिंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે.
આ રાશિના લોકોને ગાય, લાલ ફૂલ, તાંબા, ગોળ, સોનું, ઘઉં વગેરે દાન કરવું જોઇએ.

કન્યા
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् श्रिंग ऐंग शौरांग''
આ મંત્રનો જાપ કરવાથી ખુશીઓ અને શાંતિ આવે છે.
આ રાશિના લોકોને લીલા રંગની બંગડીઓ, કપડાં વગેરે દાન કરવા જોઇએ.

તુલા
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''औंग श्रिंग ऐंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી ખુશીઓ અને સફળતા આવે છે.
તુલા રાશિના લોકોને સફેદ કપડાં, ચંદન, અત્તર અને ખાંડનું દાન કરવું જોઇએ.

વૃશ્વિક
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् ऐंग क्लिंग श्रिंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી નાણાંકીય સ્થિતિ સારી અને પરિવારમાં શાંતિ આવે છે.
ચંદન, કોરલ, કેસર વગેરે દાન કરો.

ધન
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् हिरिंग श्रिंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી ખુશીઓ અને ધન આવે છે.
આ રાશિના લોકો જેટલું શક્ય હોય એટલું પીળા રંગની વસ્તુઓ દાન કરવી જોઇએ.

વૃશ્વિક
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् हिरिंग क्लिंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી માનસિક અને શારીરિક લાભ મળે છે.
આ રાશિના લોકોને જૂતા, તલ, દાળ, ગાયોને દાન કરવું જોઇએ.

કુંભ
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् हिरिंग क्लिंग श्रिंग''
આ મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.
આ રાશિના લોકોને કાળા કપડાં, ધાબળા, છત્રી વગેરે દાન કરવું જોઇએ.

મીન રાશિ
આ રાશિના લોકોએ નીચેના મંત્રનો જાપ કરવો જોઇએ.
''ओउम् हिरिंग क्लिंग साउंग''
આ મંત્રનો જાપ કરવાથી બધાની મનોકામના પૂરી થાય છે.
આ રાશિના લોકોને સોનું, કેસર, હળદર, ખાંડ, મીઠું, મધ અને ઘોડાનું દાન કરવું જોઇએ.



Click it and Unblock the Notifications











