Just In
- 1019 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1028 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1758 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1761 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવો કાજૂ, નજીક નહીં ફરકે નબળાઈ
નવરાત્રિ આવતા જ આપની સમક્ષ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ જાય છે ખાવાની. આપ એમ વિચારો છો કે ઉપવાસ રાખતા કઈ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે ?
આપ ઉપવાસ રહેવાની સાથે-સાથે ઘરનું અને ઑફિસનું કામ પણ કરો છો.
તો આજે અમે આપને એક એવી વસ્તુ વિશે બતાવીશું કે જે ઉપવાસ દરમિયાન ખાવાથી આપ એનર્જી પામી શકો છો.
કાજૂ ખાઈ ઉપવાસમાં રહો સ્વસ્થ
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આપ કાજૂ ખાવો, કારણ કે તેમાં મૅગ્નેશિયમ, કૉપર, આયરન, પોટેશિયમ, ઝાંઝ વગેરે ભરપૂર હોય છે. તેનાથી આપનાં શરીર અને માંશપેશીઓમાં કોઈ તકલીફ નહીં આવે. ઉપવાસ દરમિયાન કાજૂ ખાવાથી આપનાં શરીરને ઘણા પ્રકારનાં વિટામિન મળે છે. તેથી આપને શરીરમાં કોઈ નબળાઈ નહીં અનુભવાય. જો આપનાં શરીરમાં લોહીની ઉણપ છે અને આપ ઉપવાસ કરો છો, તો આવા સમયે કાજૂનું સેવન આપના માટે યોગ્ય છે, કારણ કે કાજૂ લોહીની ઉણપને પૂરી રે છે અને શરીરમાં આયર્નની ઉણપ પણ નથી થવા દેતું. તો આ નવરાત્રિમાં ઉપવાસની સાથે-સાથે પોતાનાં આરોગ્યનો પણ રાખો ખ્યાલ.