Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી : જ્યારે ડૉક્ટર પણ ન જણાવી શકે વ્યંધત્વનું કારણ
શું આપ ઘણા પ્રયત્નો બાદ પણ પ્રેગ્નંટ નથી થઈ શકી રહ્યા, તો આ ઇનફર્ટિલિટી એટલે કે નિઃસંતાનતાનો સંકેત હોઈ શકે છે. અને આજનાં આ દોરમાં ઘણા કારણોનાં પગલે ઇનફર્ટિલિટીના કેસ વધી રહ્યા છે.
સૌપ્રથમ કારણ સ્પર્મ કાઉંટ કે જે અગાઉની જનરેશનમાં વધારે જોવા મળતુ હતું, તે આજે ઓછુ થઈ રહ્યું છે. આ ઉપરાંત આજની તાણભરી જિંદગી ઇનફર્ટિલિટીને પ્રોત્સાહન આપે છે. કેટલાક કપલ કે જે મિડલ એજ સુધઈ પોતાની પ્રેગ્નંસીને પોસ્ટપોંડ કરતા રહે છે, તેઓ ઉંમર સંબંધી વિકારને ઇનફર્ટિલિટીનું કારણ બતાવી શકે છે..

જ્યારે કપલ્સ ઘણા પ્રયાસો કર્યા બાદ કંસીવ કરવામાં નિષ્ફળ રહે છે, તો તેઓ ઇનફર્ટિલિટીનું કારણ જાણવા માટે ડૉક્ટરને કંસલ્ટ કરી શકે છે. મોટાભાગનાં કેસોમાં કારણની જાણકારી મેળવી શકાય છે કે જેનું સમાદાન શોધી શકાય છે અને તેનાથી પ્રેગ્નંટ થવાના ચાંસિસ વધી શકે છે.
પરંતુ જ્યારે ડૉક્ટર પણ ઇનફર્ટિલિટીનું કારણ ન જણાવી શકે, ત્યારે શું ? હા જી, ઇનફર્ટિલિટીનાં કેટલાક એવા કેસિસ છે કે જેમને ડૉક્ટર પણ નથી જાણી શકતા. આ પ્રકારની પરિસ્થિતિ અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ સાથે જોડાયેલા કેટલાક તથ્યો આ મુજબ છે :

અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી શું છે ?
આ કશું જ નથી, પરંતુ આમ કહી શકાય કે આવો કેસ કે જેમાં ડૉક્ટર પણ ઇનફર્ટિલિટીનું વાસ્તવિક કારણ જાણી શકવામાં નિષ્ફળ રહે છે. જો ઘણા પ્રકારનાં ટેસ્ટ અને એક્ઝામિનેશન બાદ આપનો ડૉક્ટર કોઈ પણ પ્રકારનું કોઈ કારણ શોધવામાં અક્ષમ છે, તો આ શક્ય છે કે અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીનું કારણ હોઈ શકે છે. આપને આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે ઇલાજની જરૂર હોઈ શકે છે.

શું આ સામાન્ય સમસ્યા છે ?
ઇનફર્ટિલિટીનાં 100માંથી 30 કેસો અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીની શ્રેણીમાં સામેલ હોય છે. આ સમસ્યા મહિલાઓમાં સામાન્ય છે. જ્યારે મોટાભાગનાં પુરુષોમાં ઇનફર્ટિલિટીનાં કારણો ઓળખી શકાય છે. જોકે કેટલાક ટકા પુરુષો પણ અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીથી પીડાય છે.

કારણ કેમ નથી ઓળખી શકાતું ?
ખેર, વર્તમાન ટેસ્ટિંગની રીતે માત્ર મુખ્ય ઇનફર્ટિલિટીની સ્થિતિને શોધવામાં સક્ષમ છે. પ્રજનન દર ઓછો કરનાર અન્ય મામૂલી કારણોને વર્તમાન પ્રક્રિયાઓ દ્વારા સરળતાથી નથી ઓળખી શકાતાં. સાથે ઇંડાની ક્વૉલિટી પણ બહુ મહત્વ ધરાવે છે અને ખરાબ ક્વૉલિટી ઇનફર્ટિલિટીની પાછળનું કારણ હોઈ શકે છે.

અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીનું કારણ શું છે ?
શું આપ જાણો છો કો આ સમસ્યાનું કારણ શું છે ? અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી પાછળનું કારણ જાણવું આસાન નથી, પણ હેલ્થ એક્સપર્ટ મેડિકલ કંડીશન સાથે આગળ આવે છે કે જે અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીનું કારણ હોઈ શકે છે. અહીં ત્રણ મુખ્ય કંડીશન છે કે જે અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીનું કારણ હોઈ શકે છે કે જેમાં ઇમ્યુનોલૉજિકલ ઇનફર્ટિલિટી, એડોમેટ્રિયોસ અને પ્રીમૅચ્યોર ઓવરયીન એજિંગનો સમાવેશ થાય છે.

ઇમ્યુનોલૉજિકલ ઇનફર્ટિલિટી શું છે ?
અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી કેસિસ પાછળ 20 ટકા કારણ ઇમ્યુનોલૉજિકલ ઇનફર્ટિલિટી છે. જ્યારે બૉડીનું ઇમ્યુન સિસ્ટમ પ્રજનન ક્ષેત્રોની કોશિકાઓ પર હુમલો કરે છે કે જેમને આપણે ફૉરેન બૉડી તરીકે જાણીએ છીએ, તો આ ઇનફર્ટિલિટીનું કારણ હોઈ શકે છે.

એંડોમેટ્રિયોસ શું છે ?
30 ટકા કરતાં વધુ અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીનાં કેસિસ એંડોમેટ્રિયોસનાં કારણે થાય છે. તેમાં યૂ્રસની બહાર એબનૉર્મલ સેલનું ગ્રોથ થઈ જાય છે કે જેથી દુઃખાવો થઈ શકે છે. પેલ્વિક પેન આ કંડીશનનો સંકેત છે. જો આપ આવી દુઃખાવાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને પ્રેગ્નંટ ન થઈ શકી રહ્યા હોવ, તો ગાયનેકોલૉજિસ્ટ પાસે તપાસ કરાવો.

પ્રીમૅચ્યોર ઓવરયીન એજિંગ શું છે ?
આવું કહેવામાં આવે છે કે અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીના 50 ટકા કરતા વધુ કેસ પ્રીમૅચ્યોર ઓવરયીન એજિંગનાં કારણે થાય છે. આ પ્રકારની સમસ્યા મુખ્યત્વે મહિલાઓમાં હોય છે. હકીકતમાં જે મહિલાઓ પોતાની પ્રેગ્નંસીને પોસ્ટપોંડ કરવા માંગે છે, તેઓ પોતાના ઇંડાની ફ્રીઝ કરાવી દે છે, પરંતુ તેની સફળતાનો દર 100 ટકા નથી હોતો.

કોણે તપાસ કરાવવી જોઇએ ?
એવી મહિલા કે જેનું ઘણી વાર મિસકૅરેજ થઈ ચુક્યું છે કે આઈવીએફમાં નિષ્ફળ રહેનાર કપલ્સને ટેસ્ટ કરાવવાની જરૂર હોઈ શકે છે, પણ ઘણા પ્રયાસો બાદ પણ પ્રેગ્નંટ થવામાં અસક્ષમ કપ્સને પણ ટેસ્ટ કરાવવની જરૂર હોઈ શકે છે. બીજી બાજુ આ પ્રકારની તપાસ હાઈટેક મેડિકલ ટેસ્ટિંગ ફેસિલિટી કે ફર્ટિલિટી ક્લિનિકમાં કરાવવી સારૂ રહે છે.

પ્રેગ્નંટ થવાની શું શક્યતા છે ?
જ્યારે કોઈ અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીમાંથી પસાર થાય છે, ત્યારે પ્રેગ્નંસીની શક્યતા બહુ ઓછી હોય છે. પ્રેગ્નંસીની શક્યતા માત્ર 1 ટકા હોય છે કે જે બહુ ઓછી હોય છે. આવી પરિસ્થિતિની અવગણના ન કરવી જોઇએ, કારણ કે દરેક પસાર થતા વર્ષે સગર્ભા થવાની શક્યતા સતત ઓછી થતી જઈ રહી છે. જો આ સંબંધે કોઈ ઇલાજ ન કરાવવામાં આવે.

અનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટીમાં કેવી રીતે મદદ મળશે ?
મોટાભાગનાં કેસોમાં કેટલીક ટ્રીટમેંટ મેથડ કામ કરી શકે છે કે જેમાં નિયમિત રીતે દવાઓ લેતા અને યોગ્ય સમયે સાવચેતીપૂર્વક સેક્સ કરવું સામેલ હોઈ શકે છે. મોટાભાગનાં કેસોમાં વર્તમાન ઉપચારની રીતોથી પરેશાનીનો ઉકેલ કાઢી શકાય છે. તેથી આ સમસ્યામાંથી પસાર થઈ રહેલા કપલ્સને તબીબ પાસે જતા પહેલા બે વાર ન વિચારવું જોઇએ. આ અંગે વધુ જાણવા માટે આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.



Click it and Unblock the Notifications











