Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આંખો પહોળી રહી જશે સરસિયું પાવડરનાં આ 7 ફાયદાઓ વાંચીને
સરસિયુંનાં બીજામાં લોઢું, ફૉસ્ફોરસ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ સહિત અનેક પોષક તત્વો હોય છે.
આવતી વખતે જ્યારે આપ સૅંડવિચ બનાવો કે સલાડ ડ્રેસિંગ કરો, તો તેમાં સરસિયાનું પાવડર જરૂર નાંખો. તેનાંથી માત્ર આ વસ્તુઓનો સ્વાદ જ નહીં વધે, પણ આપને ઘણા આરોગ્ય લાભો પણ થશે.
સરસિયાનાં બીજમાં લોઢું, ફૉસ્ફોરસ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ સહિત અનેક પોષક તત્વો હોય છે. તેમાં ઍમીનો એસિડ, સિસ્ટીનનો પણ સમાવેશ થાય છે કે જેમાં એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે. નિયમિત રીતે સરસિયું પાવડર ખાવાથી આપને અગણિત આરોગ્ય લાભો થાય છે.

1) શ્વાસ સંબંધી બીમારીઓમાંથી રાહત
કોલ્ડ અને સાઇનસ સંબંધી સમસ્યાઓનાં ઉપચાર માટે સરસિયુનાં બીજનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે. આ એક ડિકંઝેસ્ટંટ અને એક્સ્પેક્ટોરંટ તરીકે કાર્ય કરે છે. આયુર્વેદ મુજબ સરસિયુનાં બીજથી કફ અને વાત શાંત કરવામાં મદદ મળે છે.

2) માંસપેશીઓનાં દુઃખાવામાં આરામ મળે છે.
દુઃખાવો અને પીડાથી રાહત પામવા માટે સરસિયુનો પ્લાસ્ટર કરવામાં આવે છે. સરસિયુ પાવડરમાં એલઈએલએલ આઇસોથિયોસાઇનેટ નામનું એક રસાયણ હોય છે કે જે ગળાની માંસપેશીઓ અને સંધિવાતનાં ઉપચારમાં મદદ કરે છે.

3) કૅંસરથી બચાવવામાં સહાયક
ઉંદરો પર કરાયેલી શોધે સાબિત કરી આપ્યું છે કે સરસિયાનાં બીજથી સ્ટમચ, કોલન અને સર્વાઇકલ કૅંસરનાં વિકાસની રોકથામ થઈ શકે છે. તેમાં ગ્લૂકોસિનેટ્સ જેવા તત્વો હોય છે કે જે ઘાતક કોશિકાઓનાં વિકાસને રોકે છે.

4) દાદરમાંથી રાહત અપાવે છે
સરસિયુનાં બીજમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. સરસિયુંનાં બીજનાં પેસ્ટને ગરમ પાણી સાથે લગાવવાથી દાદરનાં કારણે થતા ઘા ઓછા કરવામાં મદદ મળે છે.

5) બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે
સરસિયાનાં બીજમાં એંટી-ઑક્સીડેશાન ગુણો હોય છે કે જે ઑક્સીડેટિવ તાણથી થતા નુકસાનને રોકી શકે છે. શોધકર્તાઓ પણ આ વાતની તપાસ કરી રહ્યા છે કે સરસિયુ તેલ ગ્લાઇકોસિલેટે પ્રોટીન અને સીરમ ગ્લૂકોઝને કેવી રીતે ઓછું કરી શકે છે.

6) ગળાની ખારાશમાં રાહત અપાવે છે
સરસિયનાં બીજમાંથી બનેલી ચાયનાં કોગળા કરવાથી ગળાની ખારાશમાંથી રાહત મળે છે. તેનાં હીટિંગ ગુણો ટિશ્યૂને શાંત કરે છે.

7) મેનોપૉઝની સમસ્યામાંથી રાહત અપાવે છે
ફૉસ્ફોરસ હૉર્મોન અને એંઝાઇમેટિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકે છે. મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ ઑસ્ટિયોપાયરોસિસનાં જોખમને ઓછું કરવામાં અને હાડકાંનાં આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.



Click it and Unblock the Notifications











