Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
શું વધુ ખાવા અને પાણી પીવાથી થઈ શકે છે મોત ?
શું પાણીનું વધુ પ્રમાણ આપનાં મોતનું કારણ બની શકે છે ? કોઈ પણ વસ્તુનું વધુ પ્રમાણ ખરાબ છે. હા જી, સારી વસ્તુઓનું વધુ સેવન પણ આપના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
આ ઘણા બધા લોકો જાણે છે કે વધુ ખાવું આરોગ્ય માટે હાનિકારક છે, પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થો માણસને મારી શકે છે.
અમે આપને તે ખાદ્ય પદાર્થોની માહિતી આપી રહ્યાં છીએ કે જેમને વધુ પ્રમાણમાં ખઆવાથી મૃત્યુ થઈ શકે છે.
તેથી નીચે જણાવેલા ખાદ્ય પદાર્થોનું બહુ વધારે પ્રમાણમાં સેવન કરવાની ભૂલ ક્યારેય ન કરતાં.

વધુ પાણી પીવું
જો આપ એક વારમાં 7-10 લીટરથી વધુ પાણી પીવો છો, તો આપની કિડનીઓએ આપનાં સિસ્ટમનું પાણી ફ્લશ કરવા માટે બહુ સંઘર્ષ કરવો પડી શકે છે. દુર્લભ કેસોમાં, તેનાંથી અંગોને નુકસાન કે મગજમાં સોજો અથવા અહીં સુધી કે શ્વાસની તકલીફ પણ થઈ શકે છે. તેનાં કારણે મૃત્યુ પણ થઈ શકે છે.

વધુ કૅફીન
એવા ઘણા બધા લોકો છે કે જે વધુ કૅફીનનાં કારણે મરી જાય છે. જો કૉફીની વાત કરવામાં આવે, જો કોઈ વ્યક્તિ એક પછી એક 100થી વધુ કપ કૉફી પીવે છે, તે તેનાં અસ્તિત્વની કોઈ ગૅરંટી નથી.

વધુ ચૉકલેટ
જો કોઈ વ્યક્તિ એક વારમાં લગભગ 10 કિલો ગ્રામ ચૉકલેટ ખાઈ જાય છે, તે તેને આંતરિક રક્તસ્રાવ, મિર્ગી વિકાર, ઝાડા કે ઉબકા જેવી સમસ્યાઓનો ખતરો થઈ શકે છે. એટલુ જ નહીં, તેનું મોત પણ થી શકે છે.

વધુ દારૂ
ધારી લો કે એક ડ્રિંકમાં 40 ટકા દારૂ છે. જો કોઈ વ્યક્તિ એક કલાકમાં 115 લીટર કરતા વધુ દારૂ પીવે છે, તો આ ઘાતક છે. તેનાંથી મોત થઈ શકે છે.

વધુ સિગરેટ
એક પછી એક લગભગ 75 સિગરેટ પીવી મોતનું કારણ બની શકે છે. એક સિગરેટમાં લગભગ 018 મિલી ગ્રામ નિકોટિન હોય છે.

વધુ સફરજન ખાવા
શું સફરજન ખતરનાક છે ? ખેર, એક વારમાં 18 કરતા વધુ સફરજનનાં બી ખાવા ઘાતક બની શકે છે. સફરજનનાં બીમાં સાઇનાઇડ હોય છે અને કેટલાક કેસોમાં આ તત્વ મોતનું કારણ પણ બની શકે છે.

વધુ કેળા ખાવા
કેળું સ્વસ્થ છે. તેમાં પોટેશિયમ સામેલ છે, પરંતુ જો આપ બહુ વધારે પોટેશિયમ ખાઓ છો, તો આ ઘાતક બની શકે છે. ખેર, 400 કેળા એક પછી એક ખાવાથી જીવનું જોખમ ઊભુ થઈ શકે છે.

વધુ મીઠું
એક વારમાં લગભગ 50 ચમચી મીઠું ખાવું ઘાતક થઈ શકે છે. આ બહુ દર્દનાક પણ હોઈ શકે છે.

વધુ ખાંડ
અહીં સુધી કે ખાંડ પણ ઘાતક બની શકે છે. જો આપ એક વારમાં લગભગ 500 ચમચી ખાંડ ખાઈ જાઓ છો, તો તેનાથી આપના જીવનને ખતરો થઈ શકે છે.



Click it and Unblock the Notifications











