Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
માઇગ્રેન ઍટૅકથી બચવા માંગતા હોવ, તો ભૂલથી પણ ન ખાતા આ ફૂડ
માઇગ્રેન એક પ્રકારની બીમારી હોય છે કે જેનાથી માથામાં ભયંકર દુઃખાવો થાય છે અને દરદીને ખૂબ જ અસહજતા અનુભવાય છે. અનેક પ્રકારનાં ફૂડનાં સેવનથી પણ માઇગ્રેનની સમસ્યા ઊભી થઈ શકે છે.
માઇગ્રેન એક પ્રકારની બીમારી હોય છે કે જેનાથી માથામાં ભયંકર દુઃખાવો થાય છે અને દરદીને ખૂબ જ અસહજતા અનુભવાય છે. અનેક પ્રકારનાં ફૂડનાં સેવનથી પણ માઇગ્રેનની સમસ્યા ઊભી થઈ શકે છે.

આ આર્ટિકલમાં અમે આપને જણાવી રહ્યાં છીએ કે કયા-કયા ફૂડ માઇગ્રેન ઍટૅકનાં કારણ બની શકે છે. તેનાથી આપને માઇગ્રેન ઍટૅકમાંથી રાહત મળશે, પરંતુ તે પહેલા આપ આ વાત જરૂરથી જાણી લો કે માત્ર ફૂડ જ માઇગ્રેનની સમસ્યાનું કારણ નથી હોતું.
ઘણી વાર હૉર્મોન્સનાં પ્રભાવ, તાણ, સાયકોલૉજી ફૅક્ટર તથા કેટલીક પ્રકારની દવાઓનું સેવન કરવાથી પણ માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે. સાથે જ બેકાર લાઇફ સ્ટાઇલ પણ આ બીમારીનું કારણ બની શકે છે. જે લોકો મોડી રાત સુધી ભૂખ્યા રહે છે, તેમને પણ આ સમસ્યા થઈ શકે છે.
સોડિયમ નાઇટ્રેટ તેવા ખાદ્ય પદાર્થોમાં પડેલુ હોય છે કે જેમને પ્રિઝર્વ કરવામાં આવે છે; જેમ કે હૉટ ડૉગ, બેકન કે મીટ વગેરે. તેના સેવનથી માઇગ્રેનનું ઍટૅક આવી શકે છે. સાથે જ પ્રિઝર્વેટિવ બેનેઝોઇક પણ માઇગ્રેનનું કારણ બની શકે છે. તેથી પ્રયત્ન કરો કે આપ આ બધાનું સેવન ન કરો.
એમએસજી એટલે કે મોનોસોડિયમ ગ્લૂામેટ એક પ્રકારનું ફ્લેવર ઇનહેંસર હોય છે કે જેનો ઘણા ફૂડમાં ઉપયોગ કરાય છે. તેનાં કારણે અનેક વખત માઇગ્રેન ઍટૅક આવી શકે છે. તમામ પ્રકારનાં પ્રોસેસ્ડ ફૂડમાં તેની હાજરી હોય જ છે.
જો આપને ચીઝ વધુ ગમે છે, તો આપે માઇગ્રેનનો દુઃખાવો સહન કરવો પડી શકે છે, કારણ કે મૂકી રાખેલા ચીઝમાં સૅચુરેટેડ ટાયરામાઇન હોય છે કે જે પ્રોટીનનાં બ્રેકઆડુન થવાથી બનીજાય છે. તેનાથી ઘણા લોકોને માઇગ્રેન ઍટૅક આવવાના ફરિયાદ ઊભી થાય છે.
કૅફીનને સામાન્ય કરતા વધુ પ્રમાણમાં લેવાથી માથાનો દુઃખાવો એટલે કે માઇગ્રેનની સમસ્યા ઊભી થઈ શકે છે. ચૉકલેટમાં ફિનાઇલેથાઇમાઇન હોય છે કે જેનાથી માઇગ્રેનની ફરિયાદ થાય છે. રેડ વાઇન તેમજ એસ્પાર્ટમેમાં પણ તે હોય છે.
આપ ઉપરોક્ત તમામ ફૂડને સંતુલિત પ્રમાણમાં જ ખાવો. સાથે જ જેટલું શક્ય હોય, તેનાથી દૂર રહો અને જ્યારે પણ ઘરનું અનાજ-પાણી ખરીદો, ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.



Click it and Unblock the Notifications













