For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રિ પૂજન અને ઉપવાસ માટેનાં 9 જરૂરી સામાનો

By Staff
|

નવરાત્રિ પર્વની શરુઆત થતા આપે ઘણા પ્રકારની તૈયારીઓ કરવાની હોય છો. આ તૈયારીઓમાં જરૂરી સામાન એકઠો કરવો પણ એક કામ છે. નવરાત્રિ શરૂ થતા પહેલા આપ પૂજા અને ઉપવાસ માટેનાં કેટલાક સામાન ચોક્કસ ખરીદીને રાખી લો કે જેથી આપને તાત્કાલિક દોડભાગ ન કરવી પડો. આ નવ સામાનોની યાદી નીચે મુજબ છે :

Things You Need To Buy For Navratri

નવરાત્રિ પૂજન અને ઉપવાસ માટેના 9 જરૂરી સામાનો

1. રાજગરાનો લોટ : નવરાત્રિનાં દિવસોમાં ઘઉંનો લોટ ખાવાનું નિષેધ હોય છે. જો આપે ઉપવાસ રાખ્યો હોય, તો આપ રાજગરાના લોટનું સેવન કરો.

2. સિંધવ મીઠું : ઉપવાસ દરમિયાન સિંધવ મીઠાનું સેવન કરો કે જેથી આપના શરીરમાં સોડિયમની ઉણપ ન સર્જાઈ શકે.

3. કાળા ચણા : નવરાત્રિ વ્રત બાદ કન્યા ભોજનમાં કાળા ચણા બનાવવામાં આવે છે અને તે પછી જ ભોગ લગાવવામાં આવે છે.

4. મોરૈયુ : આ એક ખાસ પ્રકારના ચોખા છે કે જે ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે.

5. સિંગોડાનો લોટ : વ્રતનાં દિવસો દરમિયાન સિંગોડાનો લોટ આરોગ્યપ્રદ રહે છે. તેની અનેક ડિશિસ બની શકે છે.

6. સાબુદાણા : ઉપવાસનાં દિવસો દરમિયાન સાબુદાણાની ગળી અને નમકીન ખિડવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે સુપાચ્ય પણ હોય છે.

7. સીંગદાણા : નવરાત્રિ દરમિયાન દિવસમાં નાશ્તામાં સીંગદાણાનું સેવન કરવામાં આવે છે કે જેથી શરીરને પુરતી એનર્જી મળી રહે.

8. ચિપ્સ અને મિક્સ્ચર : આજ-કલ માર્કેટમાં ઘણા પ્રકારની ઉપવાસ માટેની ચિપ્સ અને મિક્સ્ચર મળે છે. તેમને ખરીદીને સ્ટૉકમાં રાખી લો કે જેથી જ્યારે પણ ભૂખ લાગે કે તરત જ તેને ખાઈ શકાય.

9. માવો : નવરાત્રિ પહેલા માવો ખરીદી લો. તે ખૂબ જ સારો અને આરોગ્યવર્ધક હોય છે કે જેને ઘણા પ્રકારની ડિશિસમાં કે ખાંડ મેળવીને પણ ખાઈ શકાય છે.

English summary
The things needed for Navratri have to be stocked before the festival strats. You do not have the things required for Navratri puja, then it will be hard.
X
Desktop Bottom Promotion