Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
અક્ષય તૃતીયા સાથે જોડાયેલી મહત્વની કથાઓ
અક્ષય તૃતીયાનું મહત્વ અને આ દિવસને ઉજવવા પાછળનાં છુપાયેલા કારણોથી ખબર પડે છે. જો આપ આ કિવદંતીઓ વિશે જાણવા માંગો છો તો આ લેખને આગળ વાંચો.
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનાં દિવસને શુભ ગણવામાં આવે છે. આ તહેવારને વૈશાખનાં મહિનામાં શુક્લ પક્ષનાં ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાની નવી શરુઆત તરીકે ગણવામાં આવે છે.
'અક્ષય તૃતીયા’ શબ્દનો અર્થ છે ક્યારેય ન સમાપ્ત થનાર કે અનંત. તેના નામથી એ સ્પષ્ટ છે કે આ દિવસે શરૂ કરાયેલા કાર્યમાં આપને ચડતી હાસલ થશે.
પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે આ દિવસે કેટલાક લોકો દાન-પુણ્યનાં કામો કરે છે. કેટલાક લોકો પંડિતો દ્વારા જણાવાયેલી વસ્તુઓનું દાન કરે છે. માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરાયેલા કોઈ પણ કાર્યને સફળતા હાસલ થાય છે.
અક્ષય તૃતીયાને લગ્ન માટે ખૂબ શુભ દિવસ ગણવામાં આવે છે. ધારણા છે કે આ શુભ દિવસે પરણનાર વિવાહિત જોડીનાં સંબંધો મજબૂત બને છે તથા તેઓ પોતાનું વૈવાહિક જીવન સુખ અને શાંતિથી પસાર કરે છે.
આ માન્યતાઓ સાથે જોડાયેલી કહાનીઓ આપને કિવદંતીઓમાં મળી જશે. આ કથાઓથી અક્ષય તૃતીયાનું મહત્વ અને આ દિવસને ઉજવવા પાછળ છુપાયેલા કારણોની પણ જાણ થાય છે. જો આપ આ કિવદંતીઓ વિશે જાણવા માંગો છો, તો આ લેખને આગળ વાંચો.

ભગવાન પરશુરામનો જન્મ
અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન વિષ્ણુ આ ધરતી પર પરશુરામ તરીકે અવતર્યા હતાં. ભગવાન પરશુરામ ભગવાન મહાવિષ્ણુનાં છઠ્ઠા અવતાર છે. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો તથા તેઓ જમદગ્નિ તેમજ રેણુકાનાં પુત્ર હતાં. બ્રાહ્મણ કુળમાં જન્મ થયા છતાં તેમણે પ્રણ લીધો કે તેઓ ધરતી પર મોજૂદ તમામ દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કરશે. એમ તો બ્રાહ્મણ કુળનાં લોકો ક્ષત્રિયોને યુદ્ધ કળા શીખવાડે છે, નહિં કે પોતે યુદ્ધમાં ઉતરે છે. એક પૌરાણિક કથા એ પણ છે કે કેરળની ભૂમિને ભગવાન પરશુરામે દરિયામાં પોતાની કુલ્હાડી ફેંકીને પુનઃ પ્રાપ્ત કરી હતી.

આ જ દિવસેગંગી નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી હતી
આકાશગંગામાં વાસ કરનાર પવિત્ર ગંગા નદીએ આ જ દિવસે એટલે કે અક્ષય તૃતીયાનાં દિવસે જ ધરતી પર ઉતરાણ કર્યુ હતું. રાજા ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યાનાં ફળસ્વરૂપે ભગવાન શિવે પોતાની જટામાં દેવી ગંગાને બાંધીને ધરતી પર ઉતારી હતી. આ જ કારણે અક્ષય તૃતીયા દિવસે ગંગા નદીમાં સ્નાન કરવામાંઆવેછે. આ પૌરાણિક કથાઓ માત્ર આ દિવસની પવિત્રતાને વધારે છે.

દેવી અન્નપૂર્ણાનો જન્મ થયો હતો
દેવી અન્નપૂર્ણા દેવી પાર્વતીનું જ રૂપ છે. માનવામાં આવે છે કે દેવી અન્નપૂર્ણાનો જન્મ અક્ષય તૃતીયાનાં શુભ દિવસે થયો હતો. સમૃદ્ધિની દેવી તરીકે પૂજાતી દેવી અન્નપૂર્ણા આ દિવસે તમામ પ્રાણીઓનું પેટ ભરે છે. આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરી ભક્તો કામના કરે છે કે તેમનાં ભંડારો સદા ભર્યા રહે.

કુબેરને મળ્યો હતો વર
દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ધન-ધાન્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન કુબેરે અક્ષય તૃતીયાાં દિવસે દેવી લક્ષ્મીની ઉપાસના કરી. તેમની ભક્તિથી ખુશ થઈ દેવીએ તેમની ઇચ્છા પૂર્ણ કરી તથા તેમને ધનનો દેવતા બનાવી દીધાં. અક્ષય તૃતીયાનાં દિવસે દક્ષિણ ભારતનાં લોકો પહેલા ભગવાન મહાવિષ્ણુની પૂજા કરે છે અને પછી દેવીલક્ષ્મીની. આ દિવસે લક્ષ્મી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે. પૂજાનાં સ્થાને ભગવાન મહાવિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે ભગવાન કુબેરની પણ તસવીર મૂકવામાં આવે છે.

મહાભારત સાથે પણ છે કનેક્શન
મહાકાવ્ય મહાભારતમાં પણ આપણને અક્ષય તૃતીયાનો ઉલ્લેખ જોવા મળે છે. મહર્ષિ વેદ વ્યાસે આશુભ દિવસે મહાકાવ્ય મહાભારત લખવાનું શરૂ કર્યુ હતું. યુધિષ્ઠિરે અક્ષય તૃતીયાનાં દિવસે અક્ષય પાત્ર વરદાન સ્વરૂપે મેળવ્યુ હતું. વનવાસ દરમિયાન વરદાનામાં મળેલા અક્ષય પાત્રમાં દ્રૌપદીનાં ભોજન કર્યા સુધી સમાપ્ત નથી થતું. આ ઉપરાંત ચીરહરણ વખતે જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પોકાર્યા, ત્યારે દ્રૌપદીની મદદ કરવા ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતાં. માનવામાં આવે છે કે આ ઘટના અક્ષય તૃતીયાનાં દિવસે થઈ હતી.

સુદામા મળ્યા હતા કૃષ્ણને
વધુ એક કહાની ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયાનાં શુભ દિવસ સાથે જોડે છે. સુદામા કે જેઓ ભગવાન કૃષ્ણનાં સખા હતા, ખૂબ ગરીબાઈમાં હતાં. મદદ માંગવા માટે તેઓ એક દિવસ કૃષ્ણનાં મહેલે પહોંચ્યા, પરંતુ સંકોચનાં કારણે તેઓ ભગવાન કૃષ્ણને કંઈ પણ ન કહી શક્યાં, પરંતુ ભગવાન કૃષ્ણ તેમનાં મનની વાત જાણી ચુક્યા હતાં. ઘરે પહોંચતા સુદામાએ જોયું કે તેમની ઘરની આર્થિક સ્થિતિ સમ્પૂર્ણપણે બદલાઈ ગઈ હતી.



Click it and Unblock the Notifications











