Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે
નોર્મલ ડિલીવરીના સમયે વજાઈનાની સાથે ઘણું બધા બદલાવ થાય છે, એક નાની જગ્યાથી બાળકનું નીકળવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે, વિચારો કેવી હાલત થતી હશે વજાઈનાના આ સમયે. નોર્મલ ડિલીવરી પછી યોની માર્ગ ખેંચાઈને મોટો થઈ જાય છે કે બાળકના બહાર નીકળવાની જગ્યા આપમેળે જ બહાર આવી જાય છે. આ સમયે યોનીની સાથે ઘણો બધો બદલાવ થાય છે, તેમાં ડરવાની અને ઘભરાવાની કોઈ જરૂર નથી. બધી વસ્તુ નોર્મલ જ હોય છે. ચાલો જાણીએ કે નોર્મલ ડિલીવરીના સમયે વજાઈનાની સાથે શું થાય છે આવો જાણીએ.

સર્વિક્સ ખુલે છે ડિલીવરીના સમયે
વજાઈના લાંબી અને પાતળી ટ્યૂબ જેવા હોય છે જે ડિલીવરીના સમયે ફેલાઈને એટલો મોટો થઈ જાય છે કે એક શિશુ બહાર નીકળી જાય છે. જેમ-જેમ ડિલીવરીની પ્રોસેસ શુરુ થાય છે સર્વિક્સ ધીરે-ધીરે મોટો થવા લાગે છે. લેબર એટલે પ્રસવના સમયે સર્વિક્સ ૧૦ સેમી સુધી ખૂલી જાય છે. તેના પછી ર્ડોક્ટર માં ને અંદરને ધક્કા મારવાનું કહે છે. અને વજાઈના પણ સર્વિક્સની સાથે એટલી ફેલાઈ જાય છે કે બેબી થોડાથી મશક્કતની સાથે બહાર નીકળી જાય છે.

એસ્ટ્રોજન લેબર બને છે લચીલા
શિશુંના જન્મના સમયે એસ્ટ્રોજનનું લેબલ વજાઈનલ એરિયામાં એટલું હોય છે કે તે સરળતાથી જેટલ જરૂર છે તેટલું ફેલાઈ જવાની ક્ષમતા રાખે છે.

પેલ્વિક મસલ્સની મદદથી
વજાઈના કેટલી ફેલાશે તે જિન્સ, બેબીનો આકાર, કેટલી વખત ડિલીવરી થઇ છે, પેલ્વિક મસલ્સની મજબૂતી પર નિર્ભર કરે છે.

એપીસીઓટોમી
બેબીનું માથું બર્થ કેનલમાં જઈને વજાઈનાની દિવાલને ધક્કો આપે છે જેના કારણે પેરિનિયમ ફાટી જાય છે. આ પ્રક્રિયા એટલા માટે થાય છે કેમકે આ જગ્યાથી બાળકને નીકળવાનું હોય છે. જો પેરેનીયમ ફાટે નહી તો શિશુના જન્મ સમયે ર્ડોક્ટરને એ કરવું પડે છે. જેને એપીસીઓટીમી

ડિલીવરી પછી રિલેક્સ થવામાં લાગે છે
જ્યાં સુધી બાળક બર્થ કેનલથી બહાર નથી નીકળતું ત્યાં સુધી વજાઈના જેટલું થઈ શકે એટલું ફેલાઈ જાય છે. જ્યાં સુધી બાળક બહાર નીકળે છે ત્યારે તે પ્લેસેન્ટાથી બહાર નીકળવામાં પણ મદદ કરે છે. એક વખત ડિલીવરી થઈ ગયા પછી વજાઈના રિલેક્સ થઇ જાય છે પરંતુ તેમાં સોજા અને બળતરાં જેવા અનુભવ થાય છે જે સમયની સાથે ઠીક થઈ જાય છે.

છ અઠવાડિયાનો સમય લાગે છે
શિશુના જન્મ પછી વજાઈનાને ઠીક થવામાં થોડો સમય લાગે છે. લગભગ છ અઠવાડિયાનો સમય લાગે છે વજાઈનાની બળતરા અને સોજાને ઠીક થવામાં.



Click it and Unblock the Notifications











