કેમ, ગર્ભનિરોધક ગોળી ખાધા પછી પણ થઈ ગઈ પ્રેગ્નેન્ટ?

By KARNAL HETALBAHEN

અનિચ્છનીય ગર્ભથી બચવા માટે બર્થ કંટ્રોલ પિલ્સ લીધા પછી પણ પ્રેગ્નેન્ટ થવું સામાન્ય વાત છે. તેમાં હેરાન થવાની કોઈ જરૂર નથી, કેમકે તે ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ એક વાત જાણી લો કે અહીં ભૂલ તમારા બર્થ કંટ્રોલ પિલ્સની નથી, તમારી છે. જી હાં, જો કે, તમારી પોતાની ભૂલના કારણે જ હેરાનગતિ ઉભી થાય છે ના કે ગર્ભનિરોધકના કારણે.

એક્સપર્ટનું કહેવું છે જો તમે સમયસર બર્થ કંટ્રોલ પિલ્સ લો છો નિયમિત રીતથી લો છો તો પ્રેગ્નેન્ટ હોવાના કોઈ પણ ચાન્સ રહેતા નથી અને તે 99% સેફ પણ હોય છે. અનઈચ્છીત પ્રેગ્નેન્સીને રોકવા માટે સૌથી સારો વિકલ્પ હોય છે પરંતુ તે ત્યારે ફેલ જતો નથી જ્યારે તમે તેને નિયમપૂર્વક લો છો.

૧. શુ તમે ગોળી ખાવાનું ભૂલી ગયા?

૧. શુ તમે ગોળી ખાવાનું ભૂલી ગયા?

અનઈચ્છીત પ્રેગ્નેન્સીનું આ કારણ તો ખૂબ જ સામાન્ય છે કે તમે સમય પર ગોળી લેવાનું ભૂલી ગઈ. જો તમે વિચારો છો કે એક દિવસ ગોળી ના ખાવાથી શું ફરક પડે છે તો આમ કરવું ખોટું છે કેમકે તેનાથી તમારા શરીરમાં પૂરા હોર્મોન પરિદશ્ય પર અસર પડે છે.

૨. જ્યારે યાદ આવે છે ત્યારે ગોળી લો છો?

૨. જ્યારે યાદ આવે છે ત્યારે ગોળી લો છો?

આ ગોળી કોઈ વિટામીનની ટેબલેટ નથી કે જ્યારે મન કર્યું ત્યારે લો. તેને લેવાનો એક નિયમીત સમય હોય છે અને તેને હંમેશા એવી રીતે જ લેવી જોઈએ. તમારા મોબાઈલમાં હંમેશા તેને ખાવાનો એક સમયનું એલાર્મ લગાવી લો અને તે જ સમયે આ ગોળી લો નહીતર તે અસર કરશે નહી.

જરૂર વાંચો, કેમકે ર્ડોક્ટર પણ નહીં જણાવે ગર્ભનિરોધક ગોળીઓના આ સાઈડ ઈફેક્ટ

૩. શું તમારી પાસે યોગ્ય બ્રાન્ડ છે?

૩. શું તમારી પાસે યોગ્ય બ્રાન્ડ છે?

દરેક બ્રાન્ડની ગોળીમાં હંમેશા પ્રોજેસ્ટેરોનની એકાગ્રતા એક જેવી હોતી નથી. અહીં સુધી કે ૧૦-૧૫ એમજી ની નાની વિવિધતા પણ તમને પ્રેગ્નેન્ટ બનાવી શકે છે. આ ગોળીઓ ર્ડો. દ્વારા તમારા વજનને જોઈને જ નિર્ધારિત કરવામાં આવે છે એટલે કોઈપણ બ્રાંડની ગોળી ગળવી બેકાર છે.

૪. શું ગોળી લીધા પહેલા કે પછીથી દારૂનું સેવન કર્યું હતું?

૪. શું ગોળી લીધા પહેલા કે પછીથી દારૂનું સેવન કર્યું હતું?

જો તમે ગોળી ગળ્યા પછી કે પહેલા દારૂનું સેવન કર્યું હોય તો તે પ્રભાવશાળી ગર્ભનિરોધકની અસરને નકારાત્મક બનાવી શકે છે. ગોળીને શરીરમાં ઓગળવા માટે અડધા કલાકનો સમય જોઈએ છીએ એટલે પ્રયત્ન કરો કે આ સમયે દારૂ ના પીવો.

૫. શું તમે એન્ટીબાયોટિક લઈ રહ્યા છો?

૫. શું તમે એન્ટીબાયોટિક લઈ રહ્યા છો?

ક્યારેક-ક્યારેક એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ગોળીઓ ગર્ભનિરોધકની અસરને ઓછી કરીને તેના કાર્યમાં બાધા ઉભી કરે છે. એટલા માટે જો તમે આ દવા ખાઈ રહ્યા હોય તો કોશિશ કરો કે તે મહિને કોઈ બીજું ગર્ભનિરોધક અપનાવો.

૬. શું તમને ઝાડા થઈ રહ્યા છે?

૬. શું તમને ઝાડા થઈ રહ્યા છે?

જો ગોળી ખાતી વખતે તમને ઉલ્ટી કે પછી ઝાડા થઇ રહ્યા હોય તો ગોળી અસર કરશે નહી કેમકે એવું થાય ત્યારે ગોળી અસર કર્યા પહેલા જ નીકળી જાય છે. જો તમે ફેમિલી પ્લાનિંગ માટે ગોળીઓ લઇ રહ્યા છો અને ઉપર આપેલી ઘટનાઓ થઈ જતી હોય તો તમારા માટે એ જ સારું રહેશે કે તમે કોન્ડોમ કે ડાઈફ્રેમનો ઉપયોગ કરો અને અનઈચ્છીત ગર્ભથી છુટકારો મેળવો.

Story first published: Monday, March 20, 2017, 12:00 [IST]
X
Desktop Bottom Promotion