Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?
શું થશે કે જ્યારે આપને ખબર પડશે કે પીરિયડ્સ દરમિયાનનાં દિવસોમાં પણ આપ સગર્ભા થઈ શકો છો ! જાણો આ અંગેની કેટલીક અન્ય બાબતો.
જ્યારે મહિલાઓને સંતાન નથી જોઇતું, ત્યારે તેઓ માસિક ધર્મને સૌથી સારો સમય ગણે છે. તેમને લાગે છે કે આ દિવસોમાં વગર પ્રોટેક્શને સેક્સ કરવામાં પણ કોઈ ખતરો નહીં રહે અને તેઓ સગર્ભા નહીં બને.

જ્યારે ઘણા કેસોમાં જોવામાં આવ્યું છે કે માસિક ધર્મનાં દિવસોમાં પ્રોટેક્શન વગરનું સેક્સ કરતા કેટલીક મહિલાઓ સગર્ભા થઈ ગઈ, જ્યારે તેમણે બૅબી પ્લાન નહોતું કરેલું. તે પછી જ્યારે આગામી વખતે તેમને પીરિયડ્સ ન થયા, ત્યારે જઈને તેમને આ બાબતની જાણ થઈ.
માસિક ધર્મ કે પીરિયડ્સ એક ઘટના હોય છે કે જેમાં મહિલાઓનાં નિષેચિત ઇંડા તેના સિસ્ટમમાંથી બહાર નિકળી આવે છે કે જેમાં યૂરેટિન લાઇનિંગ પણ બહાર આવી જાય છે. આવું મહિનામાં એક વખત પાંચ દિવસો માટે થાય છે.
જો આ દરમિયાન મહિલા સગર્ભા થઈ જાય, તો તેને પીરિયડ્સનથી થતાં અને સંતાન થવા સુધી તે બંધ જ રહે છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું તે દિવસો દરમિયાન સેક્સ કરવાથી ગર્ભધારણ થઈ શકે છે કે નહીં ?
"સલામત વિંડો" શું છે ?
દરેક મહિલાનો મહિનામાં એવો સમય આવે છે કે જ્યારે તેઓ સમ્પૂર્ણ સલામત હોય છે. તેને ઑવ્યુલેશન તરીકે જાણવામાં આવે છે. આ મહિનામાં કેટલાક જ દિવસ ચાલે છે કે જેમાં મહિલા સૌથી વધુ ફર્ટાઇલ હોય છે, કારણ કે તેના એગ રિલીઝ થઈ ચુક્યા હોય છે અને તે સ્પર્મ મળતા જ ફરીથી ફર્ટાઇલ થઈ શકે છે.
તેથી માસિક ધર્મ દરમિયાન નિષેચિત ઇંડા શરીરમાંથી બહાર નિકળી જાય છે અને તેના શરીરમાં ઑવ્યુલેશનની વિંડો ઓપન થઈ જાય છે કે જે કેટલાક દિવસો સુધી રહે છે. આ દરમિયાન મહિલાનાં સૌથી વધુ સગર્ભા થવાનાં ચાંસિસ હોય છે.
જોકે ઘણા કેસોમાં એવું પણ થયું છે કે માસિક ધર્મ દરમિયાન વગર ગર્ભ નિરોધકે સેક્સ કરવાથી પણ મહિલાને કોઈ તકલીફ ન થઈ અને તે સગર્ભા ન બની, પરંતુ આવું દરેક કેસમાં શક્ય હોતું નથી. ઘણી વખત સ્પર્મ પાંચ દિવસો કરતા વધુ સમય સુધી ગર્ભામાં જીવિત રહે છે અને પછી ભ્રૂણનું રૂપ લઈ લે છે.
એવામાં જો મહિલાઓ પોતાનાં માસિક ધર્મ દરમિયાન સેક્સ કરવા માંગતી હોય, તો નિરોધનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે 10 ટકા ચાંસિસ હોય છે કે તેઓ સગર્ભા બની શકે. તેથી જો આપ બૅબી નથી ઇચ્છતાં, તો જોખમ ન લો.



Click it and Unblock the Notifications















