Omg! આ છે એ મહિલાઓ કે જેમણે પોતાનાં પતિઓને બાળી નાંખ્યા

By Lekhaka

ઘરેલુ હિંસાનાં કારણે કે દગો-છેતરપિંડીનો ભોગ બન્યા બાદ વ્યક્તિ સમ્પૂર્ણપણે બદલાઈ જાય છે. આવા બનાવોથી વ્યક્તિ કાં તો પૂર્ણતઃ ભાંગી પડે છે અને કાં તો નકારાત્મક બની જાય છે. એવા અનેક કેસો છે કે જેમાં મહિલાઓએ અપમાનજનક સંબંધોમાંથી બહાર નિકળવા માટે પોતાનાં પતિઓને બાળી નાંખ્યા.

અહીં આ લેખમાં અમે ઘણી પત્નીઓ વિશે વાત કરીશું કે જેમણે વિવિધ કારણઓસર પોતાનાં પતિઓને બાળી નાંખ્યા. આ તેવા પુરુષો છે કે જેમને તેમની પત્નીઓએ બાળી નાંખ્યા અને એવું કંઈ પણ નહોતું કે જે આ મહિલાઓને આવું કરતા રોકી શકતુ હતું.

"બર્નિંગ બેડ" જેવી ફિલ્મો કે જેમાં મહિલા પોતાનાં પતિને બાળી નાંખે છે અને તેને તેની સજા પણ નથી મળતી. આવી ફિલ્મોથી પ્રેરિત થઈ આવા વાસ્તવિક બનાવો બન્યા છે કે જેમાં પત્નીઓએ પતિઓને બાળી નાંખ્યા. તો આવો જાણીએ કેટલાક એવા કેસો વિશે કે જેમાં મહિલાઓએ પોતાનાં પતિને બાળીને મારી નાંખ્યા.

OMG! આ છે એ મહિલાઓ કે જેમણે પોતાનાં પતિઓને બાળી નાંખ્યા

કિરણજીત અહલુવાલિયા
10 વર્ષો સુધીની લાંબી યાતનાઓ ભોગવ્યા બાદ વર્ષ 1989માં કિરણજીત અહલુવાલિયાએ પોતાનાં ક્રૂર અને અત્યાચારી પતિ દીપકને મારી નાંખ્યો. તે તેને કાયમ મારતો હતો, પરેશાન કરતો હતો તથા તેની સાથે બળાત્કાર કરતો હતો. કિરણજીતે કૉસ્ટિક સોડા અને પેટ્રોલનાં મિશ્રણ વડે તેના અત્યાચારી પતિને તેવા સમયે બાળી નાંખ્યો કે જ્યારે તે ઊંઘતો હતો. થોડાક જ દિવસ બાદ તેનું મોત થઈ ગયું.

રાજિની નારાયણ
આ પેનિસ બર્નિંગ વાઇફનાં નામે પણ જાણીતી છે. તેના પતિ સતીશ નારાયણનો કોઇક બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ હતો કે જેનો સ્વાભાવિક રીતે જ રાજિની સ્વીકાર નહોતી કરી શકતી. માટે તેણે પોતાનાં પતિનું બેનિસ બાળી તેને શિક્ષા કરવાનું વિચાર્યું. જ્યારે તેણે પોતાનાં પતિને બાળ્યું, તો તે ખૂબ ગભરાઈ ગયો અને સ્પ્રિટની બોતલ પર પડ્યો કે જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો અને 20 દિવસ બાદ તેનું મોત થઈ ગયું.

તાતાન્ય્ષા હેદમન
આ મહિલાએ પોતાનાં પતિનાં માથા પર ગૅસોલીન રેડી તેને બાળી નાંખ્યો. તેનો પતિ પોતાની 7 વર્ષીય સાવકી દીકરીથી દુરાચાર કરતો હતો કે જે હેદમનની દીકરી હતી. જ્યારે તેનું માથુ બળી રહ્યુ હતું, ત્યારે તે બહાર ભાગવામાં સફળ રહ્યો. લોકોની મદદ માંગતા-માંગતા તે બેહોશ થઈ ગયો. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી, તો તેણે કહ્યું કે જો તે ગોળી મારી દેત, તો સારૂ રહેત, તેણે તો તેને માત્ર બાળ્યુ જ છે.

મિશેલ હૉક્કસ
તેણે દાવો કર્યો કે જે કંઈ પણ થયું, તે એક અકસ્માત હતો. મિશેલ હૉક્કસ તથા તેના પતિએ આ નિર્ણય કર્યો હતો કે તેઓ પોત-પાતાનાં રસ્તે જતા રહેશે, કારણ કે જો તેઓ સાથે એક છત નીચે રહ્યા, તો એક-બીજાને મારી નાંખશે. જ્યારે તે ઘરમાંથી નિકળી ગઈ, તો એક દિવસ તેણે પોતાનાં પતિને ઘરમાં એક મહિલા સાથે જોયો અને પોતાનાં પતિને બાળી નાંખવાનો નિર્ણય કર્યો. ઝગડા અને દલીલબાજી બાદ તેણે પોતાનાં પતિ ઉપર ગૅસોલીન નાંખ્યું અને જ્યારે તે લેટરને ફેંકવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે ભૂલથી તે બળી ગયો અને તેના પતિનું મોત નિપજી ગયું.

Story first published: Tuesday, November 22, 2016, 13:45 [IST]
X
Desktop Bottom Promotion