મંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ

By Lekhaka

સંકટ મોચન હનુમાનના ભક્તોની ભક્તિ સૌથી જુદી હોય છે અને મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમામ ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના પણ કરે છે.

શું આપ જાણો છો કે મંગળવારે ભગવાન હનુમાનને ખુશ કરવાના કેટલાક ઉપાયો પણ છે. જો આપ તે ઉપાયો કરો છો, તો આપના માથેથી દેવાનો બોજ ઉતરી જશે અને આપને નાણાની પ્રાપ્તિ થશે.

લાલ ગાયને રોટલી ખવડાવો

લાલ ગાયને રોટલી ખવડાવો

જો આપે મંગળવારે કોઈ લાલ ગાયને રોટલી ખવડાવી, તો આ શુભ માનવામાં આવે છે. આપ ઇચ્છો, તો આ દિવસે હનુમાનજીના મંદિરે નારિયેળ પણ મૂકી શકો છો. આ બંને ઉપાયો કરવાથી આપને લાભ થશે.

મંગળવારે ચઢાવો ધ્વજા

મંગળવારે ચઢાવો ધ્વજા

જો આપ નાણા સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છો, તો આપ મંગળવારે કોઈ પણ દેવીના મંદિરે જઈ ધ્વજા ચઢાવી શકો છો.

માન્યતા છે કે આવુ કરવાથી આપના ધનોપાર્જનનાં માર્ગમાં આવતી તમામ સમસ્યાઓ નષ્ટ થઈ જાય છે.

આવી રીતે પામો મનની શાંતિ

આવી રીતે પામો મનની શાંતિ

મંગળવારે આપ માટીનું વાસણ લો અને તેમાં લાલ કલરના પાંચ ફૂલ મૂકી દો. બીજા મંગળવાર સુધી રહેવા દો. પછી તેમને કાઢી ધાબે ફેલાવી દો અને તે ફૂલોને ઘરનાં મંદિરમાં મૂકી દો. આવુ કરવાથી આપના મનને શાંતિ મળશે.

માંગલિક લોકો કરે આ ઉપાય

માંગલિક લોકો કરે આ ઉપાય

મંગળવારે નિયમિત ભગવાન હનુમાનની ઉપાસના કરવાથી આપનો માંગલિક દોષ દૂર થઈ જશે.

તેના અશુભ પ્રભાવોથી બચવા માટે માંગલિક લોકોને મંગળવારના દિવસે કોઈ પણ જાતની ખરીદી કરવાની મનાઈ કરવામાં આવી છે.

મંગળવારે આ ન ખાવો

મંગળવારે આ ન ખાવો

ધ્યાન રહે કે મંગળવારના દિવસે દૂધને કાઢીને બનાવવામાં આવેલી કોઈ પણ મિઠાઈનું સેવન ન કરવું જોઇએ.

આ કરવાથી પણ બચો

આ કરવાથી પણ બચો

મંગળવાર વાળા દિવસે આપે કોઈ પણ પ્રકારના કાળા લોઢાની વસ્તુઓ અને શ્રૃંગારનું સામાન નહીં ખરીદવું જોઇએ. આ અશુભ ગણાય છે.

Story first published: Thursday, October 5, 2017, 11:00 [IST]
X
Desktop Bottom Promotion