લ્યુકોરિયા (શ્વેત પ્રદર)ને સાજુ કરવાનાં 8 ઘરગથ્થુ ઉપચારો

By Super Admin

શું આપે હાલમાં લ્યુકોરિયા (શ્વેત પ્રદર)ની સમસ્યાનો કરવો પડી રહ્યો છો? જો હા, તો પછી આપે આ આર્ટિકલ જરૂર વાંચવું જોઇએ, કારણ કે આજે અમે આપને વેઝાઇનલ ડિસચાર્જના સરળ ઉપચાર જણાવીશું.

યોનિ માર્ગમાંથી સફેદ, ગાઢું, ચિકણું તથા દુર્ગંધયુક્ત પદાર્થનું નિકળવું લ્યુકોરિયા કહેવાય છે. તેના કારણે યોનિની આજુબાજુ ખંજવાળ તથા બળતરા અનુભવાઈ શકાય છે કે જે દરરોજના જીવનને પ્રભાવિત કરી શકે છે.

આપણા ભારતીય સમાજમાં જ્યારે પણ મહિલાઓને શ્વેત પ્રદની બીમારી થાય છે, તો તેઓ કોઈને પણ બતાવતી નથી, પરંતુ જો તેનો ઇલાજ ન કરાવવામાં આવે, તો તેનાથી શરીરમાં નબળાઈ પણ પેદા થઈ જાય છે.

આ રોગ મોટાભાગની તેવી મહિલાઓમાં જોવામાં આવ્યો છે કે જેઓ સંભોગ બાદ યોનિને પાણીથી નથી ધોતી કે પછી વારંવાર ગર્ભપાત કરાવવો પણ ખૂબ જ ખરાબ હોય છે.

આંબળા

આંબળા

આંબળામાં વિટામિન સી હોય છે કે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે. સાથે જ તે વેઝાઇનાનાં બૅક્ટીરિયાનો પણ ખાત્મો કરે છે કે જે આ તકલીફ ઊભી કરે છે. તેથી આપે નિયમિત રીતે પોતાના ભોજનમાં આંબળાનું સેવન કરવું જોઇએ.

વડનાં વૃક્ષની છાલનો રસ

વડનાં વૃક્ષની છાલનો રસ

તેમાં એંટી-સૅપ્ટિક ગુણો હોય છે. આપે માત્ર પાણીમાં વડનાં વૃક્ષની છાલ ઉકાળીને અને ગાળી લેવી છે. પછી તેનાથી પોતાની યોનિને દિવસમાં 3 વખત ધુઓ. તેનાથી આપની યોનિ સ્વચ્છ, સૂકી અને સ્વસ્થ બની રહેશે.

કેરીનું પલ્પ

કેરીનું પલ્પ

પાકેલી કેરીનું પલ્પ દિવસમાં અનેક વખત પોતાની યોનિની અંદર લગાવો. તે ખૂબ જ અસરકારક ઉપચાર છે. તેનાથી યોનિની ખંજવાળ અને ગંધ બંને જ દૂર થશે. પછી તેને 5 મિનિટ બાદ હળવા ગરમ પાણીથી ધોઈ લો.

એલોવેરા

એલોવેરા

સવારે એલોવેરાનું જ્યૂસ પીવો અને તેના જૅલને પોતાની યોનિ પર ચેપ રોકવા માટે લગાવો પણ. આવુ કરવાથી યોનિમાંથી દુર્ગંધ પણ આવવી બંધ થશે.

અખરોટનાં પાન

અખરોટનાં પાન

અખરોટાના એક મુટ્ઠી જેટલા પાન ઉકાળો અને હળવા ગરમ રહી જવા સુધી તેનાથી યોનિને ધુઓ. તેનાથી ચેપ ખતમ થશે અને યોનિમાંથી દુર્ગંધ પણ નહીં આવે.

અંજીર

અંજીર

એક વાટકામાં પાણી સાથે થોડીક સૂકુ અંજી પલાડી લો. પછી તેને હળવા ગરમ પાણી સાથે પીસી ખાલી પેટ પી લો. તે ઘાતક બૅક્ટીરિયાનો નાશ કરી આપને શ્વેત પ્રદરમાંથી મુક્તિ અપાવશે.

કેળુ

કેળુ

દરરોજ એક કેળુ ખાવાથી શ્વેત પ્રદરમાંથી મુક્તિ મળી શકે છે. તેમાં એંટી-ઇન્ફેક્ટિવ ગુણો હોય છે કે જે ઘાતક બૅક્ટીરિયાને યોનિની અંદર પ્રસરતા રોકે છે.

ગુલમખબલના મૂળ

ગુલમખબલના મૂળ

ગુલમખબલ (આરામાંથુસ)નાં મૂળને પહેલા મિક્સીમાં પીસી લો અને પછી તેને પાણીમાં 15 મિનિટ સુધી ઉકાળી કાઢો બનાવો. તેને દિવસમાં બે વખત પીવો. તેમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે વેઝાઇનાનાં ચેપને દૂર કરી શકે છે.

Story first published: Thursday, October 20, 2016, 16:00 [IST]
X
Desktop Bottom Promotion