જાણો કેમ થાય છે કબજિયાતની સમસ્યા, આપનાં શરીર માટે અત્યંત ખતરનાક

By Lekhaka

કબજિયાત ખતરનાક છે ? શું આપ જાણો છો કે કબજિયાત ખતરનાક કેમ છે ? કબજિયાત માત્ર આંતરડા સાથે જોડાયેલો મુદ્દો નથી, પણ તે પેટમાં સોજો, ઉબકા અને દુઃખાવાનું કારણ પણ બને છે. કબજિયાત સાથે પહેલો મુદ્દો આ છે કે તે આપની પાચન ક્ષમતાઓને મંદ પાડી દે છે. અપશિષ્ટ પદાર્થો લાંબા સમય સુધી સિસ્ટમની અંદર ફસાઈ જાય છે અને ખતમ થવા માટે વધુ સમય લે છે.

તેનાથી મુશ્કેલી થઈ શકે છે અને કેટલાક અન્ય આરોગ્ય વિકારો પણ થઈ શકે છે કે જેમાં ફિશર, મસા, મૂત્ર સંબંધી વિકાર તથા અન્ય કોલોન સંબંધિત મુદ્દાઓ સામેલ છે.

કબજિયાત ખતરનાક કેમ છે ?

કબજિયાત ખતરનાક કેમ છે ?

કબજિયાતથી આપને તાવ, માથાનો દુઃખાવો, નિર્જળીકરણ (ડિહાઇડ્રેશન), ઉલ્ટી, ભ્રમ, વજન ઘટવા અને ઝડપથી શ્વાસ લેવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે કે જેનાં પરિણામે ફેકલ ઇન્ફેક્શન પેદા કરી શકે છે કબજિયાત. આ સ્થિતિ ખતરનાક છે. જ્યારે શરીર સમયસર અપશિષ્ટ પદાર્થો બહાર કાઢવામાં નિષ્ફળ રહે છે, ત્યારે મૃત્યુ પણ થઈ શકે છે.

આરોગ્ય આંત્ર આંદોલન

આરોગ્ય આંત્ર આંદોલન

આ દરેક વ્યક્તિનું જુદુ-જુદુ હોઈ શકે છે. તમામ માટે કોઈ પણ એક ઉપાય નથી, પરંતુ સામાન્ય રીતે એક દિવસમાં 3 આંત્ર આંદોલનની મર્યાદા હોય છે. ઝાડાનાં કારણે આ વધુ થઈ શકે છે. એક દિવસમાં માત્ર એક વાર આંત્ર આંદોલન કબજિયાત થવાનું કારણ હોઈ શકે છે.

કબજિયાતનાં કારણો

કબજિયાતનાં કારણો

કબજિયાત પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં નિર્જળીકરણ (ડિહાઇડ્રેશન), અપુરતુ ફાયબર સેવન, બુ વધારે ડૅરી ઉત્પાદનોનું સેવન, તાણ, તંગદિલી, વધુ ખાંડ અને ચરબીની ખપત, સગર્ભાવસ્થા, ડાયાબિટીસ, દારૂ કે કૅફીનનું સેવન સામેલ છે.

હાઇપોથાઇરૉયડિઝ્મ આંત્ર આંદોલનોને પ્રભાવિત કરી શકે છે.

હાઇપોથાઇરૉયડિઝ્મ આંત્ર આંદોલનોને પ્રભાવિત કરી શકે છે.

હા, તેથી તબીબ સાથે કન્સલ્ટ કરો અને તપાસ કરાવો. જો આપ થાઇરૉઇડની સમસ્યાથી પીડિત છો અને વારંવાર કબજિયાત થાય છે, તો તબીબની સલાહ લો.

વધુ ચૉકલેટથી શું થાય છે ?

વધુ ચૉકલેટથી શું થાય છે ?

શું આપ બહુ વધારે ચૉકલેટ ખાઓ છો ? તો આ આપની કબજિયાતનું કારણ બની શકે છે. તેથી ઓછી ચૉકલેટ ખાવો.

આયર્ન એંડ કૅલ્શિયમ સપ્લિમેંટ્સ

આયર્ન એંડ કૅલ્શિયમ સપ્લિમેંટ્સ

આયર્ન અને કૅલ્શિયનો ખોરાક પણ કબજિયાત પેદા કરી શકે છે. જો આપ લાંબા સમયથી તેમનું સેવન કરો છો, તો પોતાનાં તબીબને એક વૈકલ્પિક સુચન આપવા માટે કહો. અહીં સુધી કે એંટી-ડિપ્રેંટંટ્સનો ઉપયોગ કબજિયાત પેદા કરી શકે છે.

તેને સ્વાભિવક રીતે સાજી કઈ રીતે કરશો ?

તેને સ્વાભિવક રીતે સાજી કઈ રીતે કરશો ?

દરરોજ ચાલવું, પુરતુ પાણી પીવુ, ફાયબરયુક્ત ખાદ્ય પદાર્થો ખાવા, શાકભાજીઓ અને ફળો ખાવા વગેરેથી આંતરડાને મદદ મળી શકે છે.

કબજિયાત ખતરનાક છે ?

કબજિયાત ખતરનાક છે ?

જો આપ એક કરતા વધુ દિવસ કબજિયાતથી પીડિત છો, તો તબીબનો સંપર્ક કરો. શું આપ વિચારી રહ્યાં છો કે કબજિયાત ખતરનાક છે ? જો કબજિયાત ફેકલ ઇન્ફેક્શનનું કારણ બને છે, તો આપને ખતરો વધુ હોઈ શકે છે.

Story first published: Thursday, September 28, 2017, 18:00 [IST]
X
Desktop Bottom Promotion