Just In
- 1040 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1048 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1779 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1781 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
Alert! આ ફૂડ્સને બીજી વખત ગરમ કરતા પહેલા ૧૦ વખત વિચારો?
ખાવાપીવાનું આપણી દિનચર્યાનો સૌથી જરૂરી ભાગ છે. તમે જેટલું પૌષ્ટિક અને સ્વસ્થ ભોજન ખાશો એટલા જ હેલ્દી અને ફિટ રહેશો. કેટલીક વાર એવું થાય છે કે લોકો વ્યસ્ત હોવાના કારણે લંચ અને ડિનરને એવોઈડ કરી દે છે.
પછી તે ઘણા કલાકો પછી પોતાના ખાવાને માઈક્રોવેવમાં ગરમ કરીને ખાશે. પરંતુ શું તમે જાણો છો કે ઠંડા ખાવાને ફરીથી ગરમ કરીને ખાવાથી ઘણી વાર તમારા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
સમયસર ભોજન ના કરવું અને પછી વિભિન્ન બીમારીઓનો શિકાર થવું, આ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. આપણી બગડતી લાઈફસ્ટાઈલનું સૌથી મોટું કારણ પણ ખાવા-પીવાનું જ છે.
શું તમે જાણો છો કે ખાવાનું ગરમ કરવું તો સારી વાત છે, ગરમગરમ ભોજન કરવું પણ સારી આદત છે પરંતુ કેટલાક ભોજન એવા છે કે જે એકવાર બનાવ્યા પછી ફરીથી ગરમ કરવામાં આવે તો નુકશાન પહોંચાડે છે.
બીજી વખત ગરમ કરવાથી ના કેવળ તેના પોષક તત્વ મરી જાય છે, સાથે જ કેટલીક વાર ખાવાનું ફરીથી ગરમ કરવાના કારણે શરીરમાં એવા બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે જેના કારણે શરીરમાં કેટલીક બીમારીઓ થવાનો ખતરો રહે છે. આ આર્ટિકલ દ્વારા કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેને બીજી વખત ગરમ કરવા શરીર મટે નુકશાનકારી થઈ શકે છે.
બટાટા
બટાટામાં ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે, આ એક એવો ખાદ્ય પદાર્થ છે જેને ખાવાથી તમે ચુસ્ત-દુરુસ્ત મહેસૂસ કરી શકો છો. પરંતુ બટાટાના બધા પૌષ્ટિક તત્વ ત્યારે ખતમ થઈ જાય છે જ્યારે તેને એક વખત બનાવ્યા પછી બીજી વખત ગરમ કરવામાં આવે છે. આ ના ફક્ત ખાવાના લાયક બચે છે, પરંતુ શરીરને ખતરનાક પ્રભાવ પણ આપે છે.
ચોખા
ચોખા ખાવા ના ખાવા જોઈએ, કદાચ તમે સાંભળ્યું પણ હશે કમેકે કાચા ચોખામાં રહેલા કીટાણુના સમાન તત્વ તમને બીમાર કરી શકે છે. ચોખાને બનાવવાથી તે તત્વ મરી જાય છે, પરંતુ બનાવ્યા પછી તેને રાખી દેવામાં આવે તો તે તત્વ ફરીથી તેમાં ઉજાગર થવાનું આરંભ કરી દે છે. એટલે તેને ફરીથી ગરમ કરીને ખાવામાં આવે તો આ કીટાણુ ક્યારેય પણ મરતા નથી, અને તે તમને બીમાર કરવા માટે પૂરતા છે.
મશરૂમ
કદાચ તમે સાંભળ્યું પણ હશે કે મશરૂમ ગરમ કરીને ખાવાની વસ્તુ નથી, તે તો જેવી રીતે થોડું બની જાય તેને ખાઈ લેવું જોઈએ. હવે સારી રીતે બનાવ્યા પછ, થોડીવાર રાખીને અને ફરીથી તેને ગરમ કરવામાં આવે તો તેનાથી વધારે અનહેલ્દી ખાદ્ય પદાર્થ કોઇ હોઈ જ ના શકે.
પાલક
મેં ઘણા લોકોને આ કહેતા સાંભળ્યું છે કે પાલકને બનાવ્યા પછી કેટલાક કલાકો પછી તેને ફરીથી ગરમ કરીને ખાવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. તેને બીજી વખત ગરમ કરીને ખાવાનો મજા જ કંઈક અલગ હોય છે, જો તમે પણ આ લોકોમાંથી જ એક છો તો કૃપ્યા તમારી આ આદત બદલી નાંખો. કેમકે પાલકમાં નાઈટ્રેડ નામનું તત્વ મળી આવે છે, જે બનાવ્યા પછીના કેટલાક કલાકો બાદ જ નાઈટ્રાયટમાં બદલાઇ જાય છે. આ એક પ્રકારનો એસિડ બની જાય છે, જે ભોજનને ખાવા લાયક છોડતા નથી.
નોનવેજ
માંસાહારી પદાર્થોને બનાવ્યા પછી બીજા દિવસે ફરીથી જો ખાવામાં આવે તો તેનાથી વધારે ખતરનાક ખાદ્ય પદાર્થ બીજો કોઈ હોઇ જ ના શકે. આ એક ઝેરના સમાન છે, જે તમને સારી રીતે બીમાર કરી શકે છે.
શલગમ
પાલકની જેમ જ શલગમ પણ લોકો દિવસો સુધી વારંવાર ગરમ કરીને ખાવાના શોખીન હોય છે, પરંતુ પાલકની જેમ જ તેમાં પણ નાઈટ્રેટ તત્વ મળી આવે છે, જે બનાવ્યા પછીના કેટલાક કલાકો બાદ નાઈટ્રાયટમાં બદલાઇ જાય છે. એટલા માટે તેને બનાવ્યા પછી તરત જ ગ્રહણ કરી લેવું જોઈએ.