Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નાશ્તો નહીં કરવાથી આપનાં પેટમાં થઈ શકે છે પથરી !
નાશ્તો નહીં કરવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે કે જેમાં ઉર્જાની અછત પણ એક છે. કોને સામાન્યતઃ કઇક કારણો સર પથરની સમસ્યા પણ થઈ જાય છે.
પરંતુ ચીનમાંથી એક આશ્ચર્યમાં નાંખનાર મામલો સામે આવ્યો છે. ચીનમાં તબીબોએ 45 વર્ષની ચેન નામની એક મહિલાનાં પેટમાંથી લગભગ 200 પથરીઓ કાઢી છે.
આ મહિલાનું કહેવું છે કે તેમને છેલ્લા 10 વર્ષોથી પેટમાં દુઃખાવાની સમસ્યા હતી, પરંતુ તેઓ ઑપરેશનથી એટલા ડરતા હતાં કે તેમણે દુઃખાવાની અવગણના કરી.
ચેને ગુાંજી હૉસ્પિટલમાં તબીબોની મદદ લીધી. ત્યાં તપાસ બાદ ખબર પડી કે તેમના ગૉલ બ્લૅડરમાં અનેક પથરીઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમસ્યા વર્ષોથી વધતી આવી છે. તબીબોએ અંતે ઑપરેશન કરી તેમને કાઢઈ નાંખી. તેમાંથી કેટલાક પથરીઓ ઇંડાના આકાર જેટલી મોટી હતી.
જનરલ સર્જન ડૉક્ટર કુઆન વેઈનું કહેવું છે કે ચેન નાશ્તો નહોતી કરતી. આ આદતનાં કારણે જ તેમને પથરીની સમસ્યા સર્જાઈ હોઈ શકે.
ચેને જણાવ્યું કે છેલ્લા 8 વર્ષોમાં તેમણે ક્યારેય નાશ્તો નથી કર્યો. તબીબોએ કહ્યું કે ચેનનાં બાઇલ ડક્ટ અને ગૉલ બ્લૅડરમાં વ્યવસ્થિત રીતે ખાવાનું ન ખાવાનાં કારણે જ આ મુશ્કેલી પેદા થઈ હશે.