For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાશ્તો નહીં કરવાથી આપનાં પેટમાં થઈ શકે છે પથરી !

By Lekhaka
|

નાશ્તો નહીં કરવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે કે જેમાં ઉર્જાની અછત પણ એક છે. કોને સામાન્યતઃ કઇક કારણો સર પથરની સમસ્યા પણ થઈ જાય છે.

પરંતુ ચીનમાંથી એક આશ્ચર્યમાં નાંખનાર મામલો સામે આવ્યો છે. ચીનમાં તબીબોએ 45 વર્ષની ચેન નામની એક મહિલાનાં પેટમાંથી લગભગ 200 પથરીઓ કાઢી છે.

causes of gallstone

આ મહિલાનું કહેવું છે કે તેમને છેલ્લા 10 વર્ષોથી પેટમાં દુઃખાવાની સમસ્યા હતી, પરંતુ તેઓ ઑપરેશનથી એટલા ડરતા હતાં કે તેમણે દુઃખાવાની અવગણના કરી.

ચેને ગુાંજી હૉસ્પિટલમાં તબીબોની મદદ લીધી. ત્યાં તપાસ બાદ ખબર પડી કે તેમના ગૉલ બ્લૅડરમાં અનેક પથરીઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમસ્યા વર્ષોથી વધતી આવી છે. તબીબોએ અંતે ઑપરેશન કરી તેમને કાઢઈ નાંખી. તેમાંથી કેટલાક પથરીઓ ઇંડાના આકાર જેટલી મોટી હતી.

જનરલ સર્જન ડૉક્ટર કુઆન વેઈનું કહેવું છે કે ચેન નાશ્તો નહોતી કરતી. આ આદતનાં કારણે જ તેમને પથરીની સમસ્યા સર્જાઈ હોઈ શકે.

ચેને જણાવ્યું કે છેલ્લા 8 વર્ષોમાં તેમણે ક્યારેય નાશ્તો નથી કર્યો. તબીબોએ કહ્યું કે ચેનનાં બાઇલ ડક્ટ અને ગૉલ બ્લૅડરમાં વ્યવસ્થિત રીતે ખાવાનું ન ખાવાનાં કારણે જ આ મુશ્કેલી પેદા થઈ હશે.

English summary
Skipping breakfast is not healthy. Know what happens when you skip breakfast.
X
Desktop Bottom Promotion