Just In
- 1040 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1048 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1778 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1781 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
કિચનમાં રહેલા આ ડ્રિંકથી વધારો તમારી પ્રતિરોધક ક્ષમતા
જેમકે આપણે બધા જાણીએ છીએ કે તમારા કિચનમાં વધુ સારા ઔષધિય પદાર્થ હોય છે જે તમારી બીમારીઓને પ્રાકૃતિક રીતે સારી કરે છે અને કેટલાક પદાર્થોમાં તો કેટલીક વિશેષ બીમારીઓને રોકવાની ક્ષમતા પણ હોય છે.
માટે કિચનમાં ઉપલબ્ધ પદાર્થોના ઔષધિય ગુણો, તેમનું સેવન અને ચિકિત્સીય ગુણો વિશે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે, જેથી તમે ઘરમાં જ બીમારીઓને રોકી શકો અને તેનો ઉપાય કરી શકો.
તે ખૂબ જ જરૂરી છે કે તમારી પાચનક્રિયા સારી હોય કેમકે તેના સારા હોવાથી તમારા માટે વજન ઓછું કરવું અને વજનને વધતા અટકાવવું સંભવ થઇ જાય છે. તેના ઉપરાંત પણ જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા ઈચ્છતા હોય અને બીમારીઓથી બચવા ઈચ્છતા હોય તો તેના માટે ઈમ્યૂન સિસ્ટમ (પ્રતિરક્ષા પ્રણાલી) નું સ્વસ્થ હોવું પણ ખૂબ જરૂરી છે.
માટે અહી એક પ્રાકૃતિક ઉપચાર જણાવવામાં આવ્યો છે જેનાથી તમારી પાચનક્રિયાના દરમાં સુધાર આવે છે અને તમારી ઈમ્યૂનીટી પણ વધે છે અને તમે તેને ઘરે પણ બનાવી શકો છો.
જરૂરી સામગ્રી:
શેકલા લસણની કળીઓ - ૨ કે ૩
મધ - ૧ ટેબલ સ્પૂન
બનાવવાની રીત:
શેકેલા લસણના નાના-નાના ટુકડાંમાં કાપો.
લસણના ટુકડાંમાં મધ મિક્સક કરો.
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કીર લો.
૨ મહીના સુધી સવારે નાસ્તા પછી આ મિશ્રણનું સેવન કરો.
પાચનક્રિયા દર અને પ્રતિરોધક ક્ષમણા વધારવા માટે આ એક પ્રભાવ ઘરગથ્થું ઉપાય છે જેનું સેવન નિયમીત રીતે કરવું જોઈએ. આ ઔષધિ ઉપરાંત પણ તેની અસરને વધારવા માટે તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ.
લસણમાં અલિસિન નામનું તત્વ મળી આવે છે જે તમારા પાચનતંત્ર પર પ્રભાવ પાડે છે અને પાચનક્રિયાના દરને વધારે છે જેથી તમે જલ્દી વજન ઓછો કરી શકો. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે તમારા શરીરની દરેક કોશિકાઓને મજબૂત બનાવે છે અને આ રીતે તમારી બીમારીઓ સામે લડવાની ક્ષમતાને વધારે છે અને આ પ્રકારે તમારી પ્રતિરક્ષા તંત્રમાં સુધાર લાવે છે.