રાત્રે સૂતા પહેલા કરો છો મોબાઈલનો યૂઝ તો આ જરૂર વાંચો

By KARNAL HETALBAHEN

રાત્રે પથારીમાં જતા પહેલા વારંવાર મોબાઈલ ચેક કરવો, ચેટ કરવી અને સર્ફિંગ કરવી સારી આદત નથી. ફેસબુક, વોટ્સઅપ અને ઈન્સ્ટાગ્રામ પર લાગી રહેનાર લોકો માટે તે નુકશાનદાયક હોય છે.

આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવા જઈ રહ્યા છીએ કે તમારે મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કેમ ના કરવો જોઈએ, એવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર કયો પ્રભાવ પડશે અને તમને કંઈ-કંઈ સમસ્યાઓ ભવિષ્યમાં વેઠવી પડી શકે છે.

રાતે જ્યારે તમે બધુ કામ પૂરું કરીને બેડ પર સૂવા માટે આવો છો તો પોતના ફોનને લઈને તેને ચેક કરે છે અને જુએ છે કે આજે શું ખાસ છે. પરંતુ તેનાથી તમારી આંખોની રોશની પર પ્રભાવ પડે છે કેમકે મેલાટોનિન નામના હાર્મોનના ઉત્પાદન પર નકારાત્મક પ્રભાવ પડે છે.

૧. રેટિનાને નુકશાન પહોંચવું

૧. રેટિનાને નુકશાન પહોંચવું

ફોનમાંથી નીકળનાર રોશનીથી આંખોની રેટિના પ્રભાવિત થાય છે. લાંબા સમય સુધી ફોનનો રાતે ઉપયોગ કરવાથી દ્રષ્ટિ પર પ્રભાવ પડે છે.

૨. ઉંઘમાં ઉણપ

૨. ઉંઘમાં ઉણપ

રાત્રે ફોનનો ઉપયોગ કરવાથી તમારી તેમાં રૂચિ વધી જાય છે અને મેલાટોનિન નામના હોર્મોના ઉત્પાદન પણ પ્રભાવિત થાય છે જેનાથી ઉંઘમાં ઘટાડો થાય છે.

૩. કેન્સરનું જોખમ

૩. કેન્સરનું જોખમ

તમને જાણીને શોક લાગશે કે મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કેન્સરનું કારણ બની શકે છે. કેમકે શરીરમાં મેલાટોનિન ઓછું બનવાના કારણે એન્ટીઓક્સીડેન્ટ તત્વો પર પણ પ્રભાવ પડે છે જેના કારણે કેન્સર થવાનો ખતરો રહે છે.

૪. મગજ પર અસર

૪. મગજ પર અસર

જ્યારે તમે યોગ્ય રીતે ૭ કે ૮ કલાકની પૂરી ઉંઘ નથી લેતા તો તમારું મગજ પણ યોગ્ય રીતે બીજા દિવસે કામ કરતું નથી. એવામાં વિચારો જ્યારે તમે રેગ્યુલર એવું કરો છો તો શું થતું હશે. મગજ પર સ્માર્ટફોન ઉપયોગ કરતા રહેવાનો સૌથી વધારે પ્રભાવ પડે છે.

૫. આંખો પર તણાવ

૫. આંખો પર તણાવ

રાત્રે અંધારામાં સૂઈ જઈને ફોન વાપરવાથી આંખો પર તણાવ પણ પડે છે. કેટલીક વાર આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઈ જાય છે. દ્રષ્ટિ પણ ઓછી થવાનું જોખમ વધી જાય છે.

Story first published: Thursday, March 30, 2017, 15:00 [IST]
X
Desktop Bottom Promotion