Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પાતળી કામર પામવાની કેટલીક ટિપ્સ
શું આપ પોતાની વધતી કંમરથી પરેશાન છો? અને ઇચ્છો છો કે તે 36થી ઘટી 24ની થઈ જાય? ફિટ કપડાંમાં ઉપસીને દેખાઈ આવતી આ જાડી કંમરમાંથી સૌ કોઈ છુટકારો પામવા માંગે છે. માટે, તેના માટે અત્યાર સુદી આપ જિમથી લઈ યોગાનાં તમામ ક્લાસિસમાં હાજરી ભરી ચુક્યા હશો, પરંતુ પરિણામે કંઇક હાથ નહીં લાગ્યું હોય.
તો શું આપણે હાર માની આ પ્રયાસો ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ? બિલ્કુલ નહીં! ઉલ્ટાનું ઘેરબેઠા કેટલાક ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ પ્રયાસોને ચાલુ રાખવાની જરૂર છે. તો ચાલો જોઇએ.

1. લિંબુ પાણી પીવો
લિંબુ પાણી આપના લીવરની કાર્ય પ્રણાલીને સુધારે છે અને આ રીતે આપની કંમરની આજુબાજુ એકઠી થયેલી ચરબીને ધટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત લિંબું પાણી આપના શરીરમાં ચરબીને ધટાડનાર એંઝાઇમને પણ વધારે છે.
2. ક્રૅનબેરીનો રસ
ક્રૅનબેરીમાં ભરપૂર પ્રમાણમાં મેલિક એસિડ, સાઇટ્રિક એસિડ તથા ક્યૂનિક એસિડ હોય છે કે જે પાચન એંઝાઇમ્સ તરીકે કામ કરે છે. આ એસિડ લસીકા પ્રણાલી પર જામેલી ચરબીને હજમ કરે છે કે જે લીવર નથી કરી શકતું. માટે આ રીતે ક્રૅનબરીનો રસ આપની કંમરની પહોળાઇને ઘટાડે છે. તેથી દરરોજ 100 ટકા શુદ્ધ ક્રૅનબરીનો રસ પીવો.
3. માછલીનું તેલ પીવો અથવા માછલી ખાઓ
પોતાના પેટ પર જામેલી ચરબીને ઓછી કરવા માટે માછલીના તેલનું સેવન કરો. માછલીના ઓમેગા 3 ફૅટી એસિડમાં રહેલા આઈકોસિપેંટિનોઇક એસિડ, ડોકોસુહેક્સીનોઇક એસિડ તેમજ લિનોલેનિક એસિડ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
4. ચિયાના બીજ
જો આપ શાકાહારી છો અને પેટની ચરબી ઓછી કરવા માટે માછલી ન ખાઈ શકો, તો એવી પરિસ્થિતિમાં ઓમેગા-3 ફૅટી એસિડની ઉણપને પૂર્ણ કરવા માટે ચિયાના બીજનું સેવન એક યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે. જોકે આ બીજાઓમાં રહેલા અલ્ફા-લિનોલેનિક એસિડને ડીએચએમાં બદલવા માટે આપના શરીરને થોડીક વધુ જહેમત ઉઠાવવી પડી શકે. આ ઉપરાંત ચિયાના બીજ એંટીઑક્સીડંટ, કૅલ્શિયમ, આયર્ન તથા ફાયબરના સારા સ્રોત છે. આમ, આના સેવનથી આપના શરીરમાં લોહી વધે છે તથા હાડકાં પણ મજબૂત બને છે. 'ધ એઝ્ટેક ડાયેટ'ના ડાયેટ પુસ્તક મુજબ દરરોજ 4-8 ચમચી ચિયાના બીજ ખાવાથી ઓછી ભૂખ લાગે છે. ખેર, આપ દરરોજ એક ચમચી ચિયાના બીજનું સેવન કરી શકો છો.
5. આદુની ચા
એમ તો ભારતીય વાનગીઓમાં આદુનો ઉપયોગ નિયમિત રીતે થાય છે તથા તેનું મુખ્ય કારણ છે, તેને ખાવાથી આપણા શરીરમાં પેદા થતી ગરમી. આદુ આપણા શરીરનું તાપમાન વધારે છે અને આ રીતે પેટની ચરબી ઓછી કરે છે. આપના પેટ પર ચરબી ઘણા કારણોસર જામી શકે છે, પરંતુ તેને આ એક વિકલ્પ દ્વારા ખૂબ જ સરળતાથી હટાવી શકે છે. આદુનુ સેવન શરીરમાં કોર્ટિસોલનું ઉત્પાદન ઘટાડે છે તથા આપના શરીરની ઊર્જા નિયંત્રિત રાખે છે. માટે, જો આપ શાકમાં આદુ નથી નાંખતા, તો ચામાં નાંખીને પીવો.
6. લસણ
આપણા શરીરમાં દરેક ક્ષણે જૂની કોશિકાઓનાં સ્થાેન નવી કોશિકાઓ જન્મતી હોય છે. તેમાંની એડિપૉસાઇટ કોશિકાઓ એડિપૉસ ઉત્તકોના સર્જનું કામ કરે છે. આ એડિપૉસ ઉત્તકોની એક પ્રક્રિયામાં પ્રી-એડિપૉસાઇટને વાસમાં તબ્દીલ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને વાસજનન કહેવામાં આવે છે. અભ્યાસોથી જાણવા મળ્યું છે કે લસણનું સેવન શરીરમાં આ વાસની પ્રક્રિયાનું સર્જન રોકે છે. માટે સરળ શબ્દોમાં કહીએ, તો લસણ આપની કોશિકાઓને વાસમાં તબ્દીલ નથી થવાદેતું. તેને કાચુ ખાવું થોડુક મુશ્કેલ છે. તેથી તેનું સેવન શાકમાં નાંખીને કરો.



Click it and Unblock the Notifications
















