ધૂમ્રપાન છોડ્યા બાદ ખાવ આ 7 હીલિંગ ફૂડ

By Karnal Hetalbahen

ધૂમ્રપાન કરવું સારી ટેવ નથી, જો તમે તેને ગંભીરતાથી લીધું છે અને ખરેખર ધૂમ્રપાન કરવાનું છોડી દીધું છે તો તમારા શરીરને ઠીક કરવા માટે એક્ટ્રા પોષક તત્વની જરૂર પડે છે જેથી તમારી બોડી પહેલાં કરતાં વધુ ફિટ અને સ્ટ્રોંગ થઇ જશે.

સ્મોકિંગ, બોડીમાં ખરેખર હાર્મફૂલ એલીમેંટ છોડી દે છે જે શરીરમાં ફેફસાં માટે ઝેરનું કામ કરે છે. પરંતુ પોષક તત્વોનું સેવન કરીને તેને દૂર કરી શકાય છે. આવો જાણી ધૂમ્રપાન છોડ્યા બાદ કયા-કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરો જેથી તમે સ્વસ્થ રહો.

ધૂમ્રપાન છોડ્યા બાદ ખાવ આ 7 હીલિંગ ફૂડ

વિટામિન સીથી ભરપૂર ફૂડ
વિટામીન સી મેટાબોલ્ઝિમને મજબૂત બનાવે છે અને બોડીમાંથી ટોક્સિન, જેવા નિકોટિન વગેરેને બહાર કાઢી દે છે. સંતરા, લીંબૂ, પપૈયા અને ટામેટા વગેરેમાં આ ભરપૂર માત્રામાં મળી આવે છે.

ગાજરનો જ્યૂસ:
ગાજરનો જ્યૂસ, શરીર માટે ફાયદાકારક હોય છે. આ લોહીમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. ગાજરના જ્યૂસમાં વિટામિન, એ, કે, સી અને બી મળી આવે છે જે બોડીને રિહીલ કરી દે છે.

બ્રોકલી:
બ્રોકલીની સબ્જી અથવા સલાડ ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પુરી થાય છે. તેમાં સલ્ફોરાફોને થાય છે. જે ફેફસાંને બરાબર કરે છે. તેને ઓલિવ ઓઇલની સાથે સલાડના રૂપમાં ખાવાથી ઘણો ફાયદો થાય છે.

પાલક:
પાલકમાં વિટામિન અને ફોલિક એસિડ ખૂબ જ વધુ માત્રામાં હોય છે જે તમને સિગરેટ પીવાના મનથી છુટકારો અપાવશે. આ શરીરમાંથી ટોક્સિન પણ નિકાળી દે છે. પાલકનો સૂપ ખૂબ જ ફાયદાકારક હોય છે.

કીવી, સ્ટ્રોબેરી અને લીંબૂ:
કીવી, સ્ટ્રોબેરી અને નીંબૂમાં વિટામિન સી હોય છે, આ ઉપરાંત તેમાં એવા ગુણ હોય છે જેનાથી તમારું શરીર યોગ્ય શેપમાં આવી જાય છે.

રીંગણ, બીન્સ અને ખીરા કાકડી:
આ શાકભાજીઓ તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે અને તમારા મગજને ખુશ રાખે છે જેનાથી તેને સ્મોકિંગ કરવાની ઇચ્છા થતી નથી.

પાણી:
એક દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી પીવો. તેનાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે. સાથે જ કિડની પણ સ્વસ્થ થઇ જાય છે.

Story first published: Tuesday, November 22, 2016, 10:50 [IST]
X
Desktop Bottom Promotion