Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ખતરા વાળ રોકે છે આમળા
આમળા પ્રકૃતિની આપેલી એક એવી ભેટ છે જેનાથી આપણા શરીરમાં ઉછરી રહેલી ઘણી બધી બિમારીઓનો નાશ થઈ શકે છે. આમળામાં આર્યન અને વિટામીનથી ભરપૂર હોય છે. દરેક માણસને દરરોજ ૫૦ મિલીગ્રામ વિટામીન સી ની જરૂર હોય છે તો એવામાં જો તમે આમળાનો ઉપયોગ કરો કે પછી તેના રસનો ઉપયોગ કરશો તો તમારા શરીરમાં વિટામીન સી ની પૂર્તિ થશે. પણ શું તમે જાણો છો કે આમળાનો રસ આપણા વાળ, ચામડી અને વજનને ઓછો કરવા માટે કરી શકાય છે. આમળામાં વિટામીન સી ની ઉપરાંત એંટીઓક્સીડેંટ પણ હોય છે જેનાથી વાળનું અકાળે સફેદ થવું પણ અટકી જાય છે. તેનાથી બે મોઢાવાળા થતા વાળ પણ અટકી જાય છે. આવો જાણીએ કે તમે આમળાને કેવી રીતે વાળમાં ઉપયોગ કરી શકો છો.

આમળાનું તેલ
આમળાના તેલને દરરોજ લગાવવાથી ખોડો દૂર થાય છે. ઘરે આમળાનું તેલ બનાવવા માટે આમળાનો પાઉડર, મેથીનો પાઉડર અને નારીયેલના તેલને મિક્સ કરો. તેને ૧૫ થી ૩૦ મિનિટ માટે માથા પર લગાવી રાખો. તમારા માથાને ગરમ રૂમાલથી બાંધીને રાખો એના પછી માથાને શેમ્પુથી ધોઈ લો.
આમળાનો હેરપેક
ખરતા વાળ રોકવા માટે ઘરે આવી રીતે બનાવો આમળાનો હેરપેક. ઈંડુ, આમળાનો પાઉડર, શિકાકાઈનો પાઉડર અને અરીઠાનો જાડો પેસ્ટ તૈયાર કરો. પછી તેને માથા પર 30 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ધોઇ લો.
આમળાનો જ્યુસ
આમળાના જ્યુસને પીવાથી શરીરને સંપૂર્ણ ફાયદો થાય છે. તેનાથી દાંત મજબૂત થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે. જ્યુસ વધારે પડતો ખાટો હોય છે એટલા માટે તમે એમાં મધ પણ ભેળવી શકો છો.
મસાજ
માથામાં આમળાના તેલની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ ઝડપી થઈ જાય છે. તેનાથી મનને શાંતિ પણ મળે છે.
ખોરાકમાં ખાઓ આમળા
તમારા ખોરાકમાં આમળાનુ સેવન જ્યુસ, અથાણું, છુંદા કે પછી બીજી અન્ય કોઇ રીતે તેનો જરૂર ઉપયોગ કરો. તેને રોજ ખાવા જોઈએ.



Click it and Unblock the Notifications














