Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આંબળાના ઉપયોગથી દૂર કરો ખોડાની સમસ્યા
ડૈંડ્રફ અથવા ખોડો કોને કહે છે? વાળમાં જ્યારે વધુ પરસેવો અથવા બેક્ટેરિયા જમા થવા લાગે છે, ત્યારે ખોડો થાય છે. વાળને બરાબર સાફ ન કરવા, વાળને યોગ્ય પોષણ ન મળવું અથવા વાળમાં તેલ ન લગાવવાના કારણે ડૈડ્રફ થઇ શકે છે.
ડૈંડ્રફ અથવા ખોડો થવાથી માથામાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. વાળમાં ખોડો થવાના કારણે વાળને ખૂબ નુકસાન થાય છે, જેમ કે વાળની ચમક અને બનાવટ બગડી જાય છે, સાથે જ વાળ સમય કરતાં પહેલાં સફેદ થવા લાગે છે.
પરંતુ ગભરાશો નહી અમે તમને આ બધી પરેશાનીઓથી છુટકારો અપાવીશું કારણ કે અમારી પાસે છે, આયુર્વેદિક દવાઓનો તે ખજાનો જે તમારી આ સમસ્યાને દૂર કરશે, તે છે આંબળા.
આંબળા વિટામિન સી આયરન જિંક અને બી કોમ્પ્લેક્સનો સારો સ્ત્રોત છે. વાળ માટે આંબળાનો રસ અંત્યત ફાયદાકારક હોય છે. વાળના મૂળિયાને મજબૂત બનાવે છે, તેના કુદરતી રંગ અને ચમકને જાળવી રાખે છે. સમય કરતાં પહેલાં વાળને સફેદ થતાં બચાવવામાં આંબળાના ફાયદાને નજરઅંદાજ ન કરી શકાય. આવો જાણીએ વાળની સમસ્યાઓથી આંબળા કેવી રીતે બચાવે છે.

આંબળાની પેસ્ટ
આંબળાને પાણીમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો પછી તેને સીધા પોતા વાળ પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. પછી પાણી વડે ધોઇ લો. ડૈંડ્રફથી છુટકારો મળશે.
આંબળા-લીંબૂ પેક
આંબળાને કાપીને સુકવી દો, પછી તેનો પાવડર બનાવીને રાખો. જ્યારે જરૂર પડે તો તે પાઉડરમાં પાણી અને લીંબૂનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. 30 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તેને ધોઇ દો.
આંબળા-તુલસી પેક
આંબળાનો પાવડર અને મુઠ્ઠી ભરીને તુલસીના પત્તા લો, તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને પોતાના વાળ પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. તેનાથી થોડા દિવસોમાં જ વાળમાંથી ખોડો દૂર થઇ જશે.
આંબળા-નારિયેળ તેલ
તાજા આંબળાનો રસ કાઢી લો અને તેમાં 1-2 મોટી ચમચી નારિયેળનું તેલ મિક્સ કરો. હવે તેને સારી રીતે વાળના મૂળિયામાં લગાવો અને થોડીવાર સુધી રહેવા દો. તેનાથી તમારો ખોડો જલદી ગાયબ થઇ જશે.



Click it and Unblock the Notifications













