Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ચહેરાના મસાથી છુટકારો મેળવવાના દમદાર પ્રાકૃતિક નુસખા
મસા ઘણા મોટા હોવાના કારણે તે ચહેરા પર ઘણા ખરાબ લાગવા લાગે છે. પરંતુ તમારી પાસે તેને પ્રાકૃતિક રીતે મુક્તિ મેળવવાની રીત છે, જેને જાણવા માટે આગળ લેખ વાંચો.
ચહેરા પર મસાના નિશાન કેટલાક લોકો માટે સુંદરતાની નિશાની હોઈ શકે છે, પરંતુ ઘણા લોકો માટે તે બદસૂરતીની નિશાની પણ બની જાય છે. મસા ઘણા મોટા હોવાના કારણે તે ચહેરા પર ઘણા ખરાબ લાગવા લાગે છે. પરંતુ તમારી પાસે તેને પ્રાકૃતિક રીતે મુક્તિ મેળવવાની રીત છે, જેને જાણવા માટે આગળ લેખ વાંચો.

કેળાની છાલ
કેળાની છાલમાં ઓક્સીકરણ રોધી તત્વ મળી આવે છે જે કે મસાને દૂર કરવામાં ઘણો કારગર સાબિત થઈ શકે છે. કેળાની છાલને તમે તમારા ચહેરા પર લગાવો, હવે તેને કપડાંની મદદથી બાંધી લો. મસા પર તેને લગભગ ૨૪ કલાક સુધી બાંધીને રાખો, એવું કરવાથી મસા જલ્દી જ દૂર થઈ જાય છે.

એંરડીયાનું તેલ
મસા પર દરરોજ એંરડીયાનું તેલ લગાવવાથી તે સરળતાથી દૂર થાય છે અને તમને મસાથી છુટકારો મળી જાય છે. તમે રૂના પૂમડાંમાં તેલને લગાવો અને તેને મસા પર લગાવો. તેના પછી તેને બૈંડથી બાંધી દો, તેના પછી તેને લગભગ ૧૨ કલાક સુધી બાંધીલું રહેવા દો, ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાંખો. એંરડીયાનું તેલ એન્જાઈમને દૂર કરવાનું કામ કરે છે.

સફરજનનું વિનેગર
સફરજનનું વિનેગર મસાને બાળવાનું કામ કરે છે જેનાથી તમને તેનાથી છુટકારો મળી શકે છે. સફરજનનું વિનેગર જીવાણુંને મારવામાં ઘણું કારગર છે, તે કોઈપણ રીતના સંક્રમણથી બચાવે છે. રૂના પૂમડાંમાં સફરજનનું વિનેગર મસા પર લગાવવાથી મસા દૂર થાય છે. લગભગ ૧૦ દિવસ સુધી આવું કરવાથી તમને મસાથી છુટકારો મળી શકે છે.

અનાનસ
અનાનસમાં ઘણી રીતના એન્જાઈમ રહેલા હોય છે જેકે મસાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. અનાનસનો જ્યુસ નીકાળ્યા પછી તેના પલ્પને મસા પર લગાવો, તેના પછી તેના પર એપ્સન ઓઈલને લગાવો, થોડીવાર સુધીસ તેને લગાવીને રાખો ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ દો.

મધ
મસા પર મધ લગાવવું પણ અચૂક ઉપાય છે, મધ લગાવ્યા પછી મસાને એક ટેપથી ઢાંકી દો, લગભગ ૧૨-૧૫ કલાક પછી તેને ધોઈ નાંખો. લગભગ એક મહિના સુધી આ પ્રક્રિયાને કરો તમને સારા પરિણામ જોવા મળશે, મધ ના ફક્ત તમને મસાથી છુટકારો અપાવશે પરંતુ દાગ-ધબ્બાને પણ દૂર કરવામાં મદદ કરશે.

ટી ટ્રી ઓઈલ
ટી ટ્રી ઓઈલ ગાંઠ, પિમ્પલ, મસા માટે ઘણી અચૂક હોય છે. મસા પર જો ટી ટ્રી ઓઈલ લગાવીને લગભગ ૩૦ મિનીટ સુધી રાખવામાં આવે અને આ પ્રક્રિયાને દરરોજ ત્રણ વખત કરવામાં આવે તો તે મસાથી છુટકારો અપાવી શકે છે.

અળસીના બીજ
અળસીના બીજને પીસીને તેનો પાવડર બનાવો અને તેને અળસીના તેલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને મસા પર લાગાવીને બાંધી લો, તેના પછી ૨૪ કલાક સુધી તેને મસા પર રહેવા દીધા પછી તેને પાણીથી ધોઈ લો.

ડુંગળીનો જ્યુસ
ડુંગળીને દબાવીને તેનો રસ નીકાળો અને તેને મસા પર લગાવો, આ પ્રક્રિયા દિવસમાં ઘણી વખત કરો, તમે તેમાં મધ મેળવી શકો છો જેનાથી તે વધારે પ્રભાવી થઈ જશે.

ઔષધનું તેલ
ઓષધનું તેલ એક પ્રાકૃતિક સ્તંભકનું કામ કરે છે, જેકે મસાને દૂર કરવામાં ઘણું મદદરૂપ છે. ઔષધના તેલના પાંચ ટીપાં જૈતૂનના તેલમાં મેળવો અને તેને મસા પર લગાવો, તેના પછી થોડીવાર રાખીને તેને ઠંડા પાણીથી ધોઈ લો.

એલોવેરા જેલ
એલોવેરાના પત્તાને કાપીને તેમાંથી તેની જેલ નીકાળો પછી તેને મસા પર લગાવો, તેને લગભગ ૩-૪ કલાક મસા પર લગાવીને રાખો, તેના પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસો સુધી આવું કરવાથી મસા દૂર થઈ જશે.



Click it and Unblock the Notifications











