Just In
- 1019 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1028 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1758 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1760 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સાંજ થતા જ ઘરોમાં કેમ પ્રગટાવવામાં આવે છે દીવો કે લાઇટ
ચાહે કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ નવો પ્રારંભ હોય, દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ આ પ્રાચીન પરંપરાનું શું મહત્વ છે?
ચાહે કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ નવો પ્રારંભ હોય, દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ આ પ્રાચીન પરંપરાનું શું મહત્વ છે? તે ફક્ત આગ નથી હોતી પરંતુ આ એક પવિત્ર પ્રકાશ હોય છે. આ પ્રકારે અગ્નિ જે બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક છે, જે એક નવી સવાર લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે- સવાર, બપોર અને સાંજ.
તમારા ઘરમાં ઘરડા લોકોને મોટાભાગે એ કહેતા સાંભળ્યા હશે કે સાંજના સમયમાં ઘરમાં અંધારું ના રાખવું જોઈએ, ભલે તમે ઘરે ના હોય. હંમેશા ઘરમાં એક નાની લાઈટ ચાલું કરીને રાખવી
જોઈએ. એવું એટલા માટે છે કેમકે સૂર્યાસ્ત કે સાંજના સમયે ભગવાનની પૂજા કરવા માટે સારું માનવામાં આવે છે.
અહીં સુધી કે હિન્દું ધર્મમાં પણ સંધ્યા પૂજાનું વિશેષ મહત્વ છે. સાંજનો શાબ્દિક અર્થ સંધિ સમય છે અર્થાત જ્યાં દિવસ પૂરો થાય છે અને રાતની શરૂઆત થાય છે, તેને સંધિકાળ કહેવામાં આવે છે.