દિવાળી પર બનાવો નારિયેળનો હલવો
દિવાળી પર કંઇક મીઠું ખાવું હોય તો તમે નારિયેળનો હલવો બનાવી શકો છો. આમ પણ આ દિવસોમાં ઘણા લોકો આપણા ઘરે આવે છે, તો એવામાં તેમને તમારા હાથ વડે બનાવેલો નારિયેળનો હલવો ખવડાવશો તો તમને પણ સારું લાગશે. આ ખૂબ જલદી તૈયાર થઇ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં સ્વાદ વધારવા માટે તમારે તાજા ધીનો ઉપયોગ કરવો પડશે. આવો જાણીએ દિવાળી પર બનાવવા માટે નારિયેળનો હલવો કેવી રીતે બનાવાઇ છે.
કેટલા- 3 લોકો માટે
તૈયારીમાં સમય- 15 મિનિટ
બનાવામાં સમય- 15 મિનિટ

સામગ્રી-
- 1 કપ બારીક છિણેલું કોપરું
- 1/4 કપ કાજૂ
- 1/4 કપ બદામ
- 1/2 કપ ખાંડ
- 1/2 કપ પાણી
- થોડું કેસર 5 ચમચી ગરમ દૂધમાં પલાળેલું
- 4 ચમચી ધી
રીત-
- સૌથી પહેલા ગરમ પાણીમાં કાજૂ અને બદામને થોડીવાર સુધી પલાળી દો,
જેથી બદામની છાલ નીકળી જાય અને કાજૂ મુલાયમ થઇ જાય.
- ત્યારબાદ કાજૂ, બદામ અને છિણેલા નારિયેળને થોડા પાણીમાં ભેળવી
વાટીને પેસ્ટ બનાવી લો.
- હવે એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ધીમા તાપે સતત ચાલુ રાખી
રાંધો.
- જ્યારે આ મિશ્રણ ગાઢ થઇ જાય ત્યારે તેમાં છિણેલું નારિયેળ અને
કાજૂની પેસ્ટ મિક્સ કરો.
- પછી તેમાં કેસરવાળું મિશ્રણ મિક્સ કરો.
- ઉપરથી ઘી નાખો અને સતત ચાલુ રાખો.
- પછી ગેસ બંધ કરી દો અને ફરી એકવાર ચાલુ કરી તેને ગરમા ગરમ સર્વ
કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications