Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ટૉયલેટ : એક સાસ-વહુની પ્રેમ કથા
કાનપુરમાં એક 80 વર્ષની વહુએ પોતાની 102 વર્ષની સાસ માટે બકરીઓ વેચી શૌચાલય બનાવ્યું કેજેથી સાસને તકલીફ ન થાય. વહુએ પોતાના પીઢ સાસુ માટે ટૉયલેટ બનાવ્યું, પરંતુ તેના માટે તેને પોતાની 6 બકરીઓ વેચવી પડી.
જહાઁ શૌચ, વહાઁ શૌચાલય... આજ-કાલ ટીવીમાં આ જ વિષય પર અક્ષય કુમાર અને ભૂમિ પંડેકરની ફઇલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા'નાં પ્રોમો હેઠળ બહુ જોર-શોરથી બતાવામાં આવે છે કે જેમાં એક પતિ પોતાની પત્ની માટે ગામમાં શૌચાલયની લડાઈ દર્શાવવામાં આવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં ઉત્તર પ્રદેશમાં કાનપુરનાં અનંતાપુરમાં સાસુ-વહુનો અનોખો દૃષ્ટાંત જોવા મળ્યો છે.
અહીં એક 80 વર્ષની વહુએ પોતાની 102 વર્ષની સાસુ માટે બકરીઓ વેચીને શૌચાલય બનાવ્યું કે જેથી તેની સાસુને તકલીફ ન થાય. વહુએ પોતાની પીઢ સાસ માટે ટૉયલેટ બનાવડાવ્યું, પરંતુ તેના માટે તેને પોતાની 6 બકરીઓ વેચવી પડી.

સાસુની સુવિધા માટે :
સાસુને શૌચાલય જવામાં તકલીફ ન થાય, તેથી તેની વહુએ પરિવારની આજીવિકાનું સાધન વેચી શૌચાલય બનાવડાવ્યું. મહિલાનાં પુત્રે સમાચાર એજંસી એએનઆઈને જણાવ્યું કે તેમની દાદીનું પગ તૂટી ગયુ હતું કે હરી-ફરી નહોતા શકતાં. દાદીની આ તકલીફને જોઈ તેની માતાએ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો, પરંતુ પૈસા ન હોવાનાં કારણે તેને પોતાની બકરીઓ વેચવી પડી.
જ્યારે વહિવટી તંત્રે પણ ન કરી મદદ :
ચંદનાનાં પુત્ર રામ પ્રકાશે જિલ્લા વહિવટી તંત્ર પાસેથી મદદની માંગણી કરી અને સરપંચને ઘરમાં ટૉયલેટ બનાવડાવી દેવાનું કહ્યું, પરંતુ તેની વાત કોઈ સાંભળી નહીં. તે પછી ચંદનાએ નક્કી કર્યું કે તે પોતાની સાસુ માટે ઘરે જ શૌચાલય પોતાનાં ખર્ચે બનાવડાવશે. આર્થિક રીતે ખૂબ જ નબળા હોવા છતાં ચંદનાએ સમાજ માટે એક મોટો દૃષ્ટાંત સ્થાપિત કર્યો.

વડાપ્રધાનની ઝુંબેશ
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત ઝુંબેશ હેઠળ 2જી ઑક્ટોબર, 2019 સુધી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ઝુંબેશ હેઠળ સસમ્ર દેશમાં શૌચાલયોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેના માટે સરકાર પણ મદદ કરે છે, પરંતુ કેટલાક લોકો સ્વચ્છતા ઝુંબેશથી પ્રેરાઈને પોતાની જરૂરિયાતની વસ્તુઓ વેચીને પણ શૌચાલય બનવાડાઈ રહ્યાં છે.



Click it and Unblock the Notifications











