Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ચિકન પોક્સની સારવાર અને કુદરતી ઉપચાર
ચિકન પોક્સ (શિતળા માતા) વેરીસેલ્લા જોસ્ટર વાઇરસના સંક્રમણથી થનાર બિમારી છે. આ ખૂબ જ સંક્રમક હોય છે અને સંક્રમતિ નિસૃત પદાર્થોને શ્વાસની સાથે અંદર લઇ જવાથી ફેલાઇ છે. તેમાં તાવ આવી જાય છે અને શરીર પર ફોલ્લા પડી જાય છે, જેમાં એકદમ ખંજવાળ આવે છે. આ ઉપરાંત ત્વચામાં બેક્ટેરિયલ સંક્રમણ, નિમોનિયા અને માથામાં સોજો પણ ચિકનપોક્સના લક્ષણ છે.
બાળકો અને યુવાનોમાં આ બિમારીનો સૌથે વધુ રહે છે. ચિકનપોક્સ અડવાથી ખૂબ જ ઝડપી ફેલાઇ છે. ડૉક્ટર સલાહ આપે છે કે ચિકન પોક્સના નિવારણ માટે 12 થી મહિનાની ઉંમર વચ્ચે બાળકોને ચિકન પોક્સની રસી, અને 4 થી 6 વર્ષની ઉંમર વચ્ચે બીજી રસી લગાવી લેવી જોઇએ.
આ રસી ચિકન પોક્સના સામાન્ય સંક્રમણને રોકવા માટે 70 થી 80 ટકા અસરકારક હોય છે અને ગંભીર રીતે સંક્રમણ રોકવા માટે 95 ટકા અસરકારક હોય છે. જો કે એટલા માટે બાળકોને રસી લગાવવામાં આવે છે તેમછતાં તેમાં આ રોગથી પીડાવવાના લક્ષણ સૌમ્ય હોય છે, ખાસકરીને તે બાળકો માટે જેમને આ રસી લગાવવામાં આવી નથી. આવો જાણીએ આ ઘાતક બિમારીથી કેવી રીતે બચીએ.

રસી લગાવો
રસી લગાવવી ચિકનપોક્સ (અછબડા)થી બચાવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. આ ના ફક્ત રસી લગાવનાર વ્યક્તિની સુરક્ષા કરે છે, પરતુ આ તે સમુદાયમાં રહેનાર તે લોકોમાં પણ ચિકનપોક્સના ખતરાને ઘટાડી દે છે, જે કોઇ કારણસર રસી લઇ શક્યા નથી.

કોને રસી લગાવવી જોઇએ
13 વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિને, જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેને 4 થી 8 અઠવાડિયાના અંતરે રસીના બે ડોઝ લેવા જોઇએ.

કોને રસી લગાવવી જોઇએ
1. આંતરરાષ્ટ્રી પ્રવાસીઓને।
2. પ્રસવ ઉંમરની મહિલાઓને જે ગર્ભવતી ન હોય.
3. ઘરમાં બાળકોની સાથી વયસ્કો અને કિશોરોને.
4. તે લોકોને જે એવી જગ્યાએ રહે છે અથવા કામ કરે છે, જ્યાં ચિકનપોક્સ ફેલાઇ શકે છે. જેમ કે કોલેજના વિદ્યાર્થીઓ, સૈનિકો વગેરે.
5. તે લોકોન જે લોકો એવા વાતાવરણમાં રહે છે, જેમાં ચિકનપોક્સ ફેલાવવાની સંભાવના રહે છે. જેમ કે બાળકોની દેખભાળ કરતા કર્મચારી, શિક્ષક, સંસ્થાના સ્ટાફ વગેરે.
6. હેલ્થ કેર ઉપલબ્ધ કરાવનારાઓએ.
7. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર લોકોના સંપર્કમાં રહેનાર લોકોને.

નાસ્તો અવસ્થ કરો
આગામી પગલું એ છે કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો. સારી ઉંઘ લો અને પૌષ્ટિક ભોજન કરો. તમારી રોગપ્રતિકારક શક્તિને સુદ્રઢ રાખવા માટે ભોજનમાં લીલા શાકભાજી અને તાજા ફળોનો સમાવેશ કરો. નાસ્તો કર્યા વિના ઘરની બહાર ન નિકળો. કારણ કે જ્યારે તમારું પેટ ખાલી રહેશે તો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડશે. તેનાથી કોઇપણ બિમારી તમારા પર હાવી થઇ જશે.

શરીરને ઠંડુ રાખો
બની શકે એટલું ફળ અને તાજી શાકભાજી ખાવ. તેનાથી શરીરમાં ગરમી ઓછી થશે. સામાન્ય રીતે જ્યારે શરીરમાં ગરમી વધે છે ત્યારેપણ ચિકનપોક્સ થાય છે. માંસનું સેવન બિલકુલ પણ ન કરો, કારણ કે શરીરનું તાપમાન વધી જાય છે.

ચિકનપોક્સની કુદરતી સારવાર
સામાન્ય રીતે ચિકનપોક્સના લક્ષણ ધીરે-ધીરે જાય છે. જો કે તમે તમારા ખાનપાન પર ધ્યાન રાખીને તેનાથી બચાવ કરી શકો છો. હર્બલ અને કુદરતી ઉપચાર તેના પર ખૂબ અસરકારક હોય છે. આવો જાણીએ ચિકનપોક્સથી બચવાના કેટલાક ઉપાય-

આહાર અને સપ્લીમેંટ્સ
1. ચિકનપોક્સ સામે લડવા માટે સૌથી પહેલાં તમારા આહારમાંથી ડેરી ઉત્પાદનોને દૂર કરી દો. ડેરી ઉત્પાદનો શરીરમાં યૂરિક એસિડના સ્તરને વધારી શકે છે, જેથી મેટાબોલિઝ્મ ધીમું પડી શકે છે. ચિકનપોક્સથી બચવા માટે જરૂરી છે કે શરીરને ઝેરી તત્વોથી મુક્ત રાખવામાં આવે, જેથી આપણું શરીર કુદરતી રૂપે સ્વત: સારું થઇ શકે. ડીરે ઉત્પાદનોના બદલે તમે તાજા ફળ, ગાજરનો જ્યૂસ અને જૈવિક દહીનો ઉપયોગ કરો.

આહાર અને સપ્લીમેંટ્સ
2. જ્યારે ચિકનપોક્સનો વાઇરસ હુમલો કરે છે તો વધુ માત્રામાં માંસનું સેવન ન કરો. જો તમે તમારા ભોજનમાં માંસને પ્રાથમિકતા આપો છો તો રસાણિક રીતે સંસાધિકત બીફ અને ચિકનને ટાળો. રાસાણિક માંસ શરીરને ઘણા પ્રકારે અસંતુલિત કરી દે છે. માંસના બદલે તમે લીલું સલાડ, સમુદ્રી શાકભાજીઓ અને કાચા ગાજરનો ઉપયોગ કરી શકો છો.

આહાર અને સપ્લીમેંટ્સ
3. ભોજન બાદ 295 થી 354 મિલી કરોંદાના જ્યૂસમાં અડધું નીબું નિચોવીને પીવો. આ મિશ્રણ પીવાથી શરીરમાં ક્ષારની માત્રા વધશે, જેથી શરીરમાં હાજર એંટીઓક્સીડેંટ ના ફક્ત વાઇરસ સામે લડશે પરંતુ ત્વચા માટે પણ ઉપચારનું કામ કરશે.

આહાર અને સપ્લીમેંટ્સ
4. ભોજનની સાથે બે કીવી (એક પ્રકારનું ફળ) લો. કીવીમાં ભરપૂર વિટામીન c, જરૂરી મિનરલ્સ અને અન્ય પોષક તત્વ મળી આવે છે, જે શ્વસનતંત્ર, ચામડી અને લોહી માટે ફાયદાકારક હોય છે. કીવીમાં પચાવનાર એંઝાઇમ પણ મોટી માત્રા મળી આવે છે. ભોજનનું જલદીમાં જલદી પચવું ખૂબ જરૂરી હોય છે, જેથી તેમાં હાજર તત્વ વાઇરસ સામે લડી શકે.

આહાર અને સપ્લીમેંટ્સ
5. ઉંઘવાના એક કલાક પહેલાં બે કપ કૈફાઇન ફ્રી કૈમોમાઇલનું સેવન કરો. કૈમોમાઇલથી અસરકારક રીતે આરામ પહોંચે છે. આ ખંજવાળને દૂર કરે છે, જેથી ઉંઘ સારી આવે છે.

શરીર અને આસપાસના સ્થાનનું ધ્યાન રાખો
નહાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. સાથે જ પાણીમાં 2 ચમચી મીઠું અને એક ચતૃથાંશ કપ સફરજનનો રસ નાખો. દરરોજ લગભગ 20 મિનિટ સુધી ટબમાં બેસો. તેનાથી ખંજવાળ ઓછી થશે અને ચામડી પરના ઘા પણ દૂર થઇ જશે. સાધારણ સાબુનો ઉપયોગ અને બબલ બાથથી બચો.

શરીર અને આસપાસના સ્થાનનું ધ્યાન રાખો
ન્હાયા બાદ ચામડીના ઘાને સામાન્ય દબાવો. એક સ્વચ્છ કપડાંને ગરમ પાણીમાં ડુબાડો. તેને નિચોવ્યા બાદ તેના પર 10-15 ટપકાં ટી ટૃઈ ઓઇલનું તેલ નાખો. કપડું જ્યાં સુધી ગરમ રહે ત્યાં સુધી તેનાથી ઘાને શેક આપો.



Click it and Unblock the Notifications











