Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
રોઝ ઑયલ ચહેરા પર લગાવવાનાં છે ઘણા ફાયદાઓ
ગુલાબનું તેલ ગુલાબની પાંખડીઓનાં અરિષ્ટમાંથી બનાવવામાં આવે છે. તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે.
ગુલાબનું તેલ ગુલાબની પાંખડીઓનાં અરિષ્ટમાંથી બનાવવામાં આવે છે. તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે.
ગુલાબનાં તેલમાં એંટી-વાયરલ, અવસાદરોધી, એંટીસૅપ્ટિક તથા એસ્ટ્રિંજંટનાં ગુણો હોય છે. સમગ્ર દુનિયામાં ગુલાબનાં ફૂલનો વધુ ઉપયોગ કરવામાં આવે છે અને રોઝ ઑયલને તો ત્વચા માટે વરદાન ગણવામાં આવે છે. રોઝ ઑયલ ગુલાની પાંખડીઓનાં અરિષ્ટમાંથી બનાવવામાં આવે છે અને આ તેલમાં ત્વચાને લાભ પહોંચાડનાર સેકડોં તત્વો મોજૂદ હોય છે.
એમ તો આજે આપણે ચહેરા પર ગુલાબનાં તેલનાં પ્રયોગનાં ફાયદાઓ જણાવી રહ્યાં છીએ.

1-ત્વચાને સાફ કરે છે
ગુલાબનાં તેલમાં એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે કે જે ત્વચામાંથી ફ્રી રૅડિકલ હટાવે છે. તેનાથી રોમ છિદ્રોમાં ગંદકી જમા થતા રોકાય છે અને ત્વચાને સ્વસ્થ તેમજ સાફ રાખે છે. ગુલાબનાં તેલના પ્રયોગથી ચહેરામાંથી ગંદકી તથા ધૂળ હટાવવામાં મદદ મળે છે કે જેથી ત્વચા દમકતી અને કાંતિમય થઈ જાય છે.

2-ત્વચાનો સોજો ઓછો થાય છે
જેવું કે અગાઉ જણાવાઈ દેવાયું છે કે ગુલાબનાં તેલમાં સોજો ઓછો કરનાર તથા પ્રતિવિષ્આમુ ગુણો હોય છે કે જે બળતરા તથા સોજામાં ફાયદાકારક હોય છે. તે ત્વચાનો સોજો ઓછો કરી તેની સલામતીમાં મદદકારક હોય છે. ગુલાબનાં તેલનાં કેટલાક ટીપાઓથી બળતરા વાળા વિસ્તારમાં લગાવવાથી લાભ મળે છે. ત્વચાની બળતરાને ઓછી કરવાનો વધુ એક ઉપાય છે કે ગુલાબનાં તેલને નારિયેળનાં તેલ સાથે મેળવી બળતરા વાળા સ્થાને હળવેકથી માલિશ કરો.

3-ખીલ સાજી કરે છે
ગુલાબનાં તેલથી ખીલ અસરકારક રીતે ગાયબ થઈ જાય છે કે જેથી ત્વચા ખીલ અને દાણા રહિત થઈ જાય છે. માત્ર ખીલ જ નહીં, પણ તે ત્વચાનાં ડાઘા-ધબ્બાઓ પણ હટાવે છે. ગુલાબનાં તેલમાં પ્રતિવિષાણુ તેમજ પ્રતિજૈવિક ગુણો હોય છે કે જેથી તે કારકોને ખતમ કરવામાં મદદ મળે છે કે જેના કારણે આ પ્રકારનાં ખીલ અને દાણા બને છે. આપ અરિષ્ટિત જળને ગુલાબનાં તેલમાં મેળવી તેની તીવ્રતાને ઓછી કરી તેને ચહેરા પર લગાવી શકો છો. એક કલાક બાદ સામાન્ય પાણીથી ધોઈ લો.

4-ત્વચાને ભેજયુક્ત કરે છે
કારણ કે ગુલાબનું તેલ ત્વચાનાં પીએચ સ્તરને નિયમિત કરે છે, તેથી તે ત્વચા માટે પ્રાકૃતિક સ્વરૂપે ભેજ પ્રદાન કરનાર હોય છે. કારણ કે ગુલાબનું તેલ ત્વચાને ભેજયુક્ત કરે છે, તેથી મોટાભાગે ભેજ પ્રદાન કરનાર ક્રીમ તેમજ મૉઇશ્ચરાઇઝરમાં ભારે પ્રમાણમાં ગુલાબનું તેલ હોય છે. આપ પોતાની નિયમિત ક્રીમમાં પણ થોડુંક ગુલાબનું તેલ મેળવી તેને ચહેરા પર લગાવી શકો છો.

5-પહોળા થયેલા છિદ્રોને નાના કરે છે
ગુલાબનાં તેલમાં એસ્ટ્રિંજંટનાં શ્રેષ્ઠતમ ગુણો હોય છે કે જે પહોળા થયેલા છિદ્રોને નાના કરે છે કે જેનાથી તેમાં ગંદકી નથી બેસી શકતી. સામાન્યતઃ ગુલાબ જળ 30 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે ગુણકારી હોય છે, કારણ કે તેનાથી છિદ્રોની સફાઈમાં મદદ મળે છે અને પહોળા થયેલા છિદ્રોને નાના કરે છે કે જેનાથી ખીલ અને દાણા થવાની શંકા ઓછી થઈ જાય છે.

6-હાઇડ્રેટિંગ બેસ તરીકે
જો આપ એવા હાઇડ્રેટિંગ બેસની શોધ કરી રહ્યા છો કે જે આપનાં ફાઉંડેશનને ઓગળવાથી રોકી શકે અને સાથે જ ત્વચાને ભેજ પણ પ્રદાન કરી શકે, તો ગુલાબનાં તેલનો ઉપયોગ જરૂરી છે. થોડુંક તેલ લઈ તેમાં પાણી મેળવી પાતળું કરી લો.
હવે તેને ફાઉંડેશન લગાવવાથી પહેલા લગાવો. ગુલાબનાં તેલના ઉપયોગથી ચહેરા પરમોટો બેસ બનાવવામાં મદદ મળે છે અને તેનાથી પાઉંડેશનને સારી રીતે લગાવવામાં મદદ મળે છે. ધ્યાન રહે કે આપ ગુલાબનાં તેલથી પોતાનાં ચહેરાની ત્યાં સુધી માલિશ કરો કે જ્યાં સુધી ત્વચા તેને શોષી ન લે.

7-ઉંમર ઓછી દેખાય છે
ગુલાબના તેલમાં વધુ પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ અને પ્રતિજૈવિક ગુણો હોય છે કે જે આપની ત્વચા માટે વિવિધ સ્વરૂપે ફાયદાકારક હોય છે. આ તેલના પ્રયોગથી આપની નિષ્પ્રાણ, શુષ્શ અને વુદ્ધ ત્વચાને ફાયદો થાય છે. ગુલાબના તેલ ની માલિશ કરવાથી ચહેરા પર ઉંમર ઓછી દેખાય છે અને ચહેરા પર પણ ઉંમરની સાથે સંકેતો છુપાઈ જાય છે. નિયમિત રીતે ગુલાબના તેલની ચહેરા પર માલિશ કરવાથી ત્વચાની ઝીણી લકીરો અને કરચલીઓ નથી આવતી.

8-આંખની નીચેની શુષ્શ ત્વચાને સાજી કરે છે
મોટા ભાગના લોકેને આંખોની નીચે સુખી ત્વચાની સમસ્યા હોય છે અને તેના માટે ગુલાબનુ તેલ ખૂબ ફાયદાકારક હોય છે. ગુલાબના તેલમાં રહેલા પોષક તત્વોને કારણે તે આંખોની નીચેની ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરી હંમેશા ભેજ યુક્ત બનાવી રાખે છે. આંખોની નીચે ગુલાબના તેલની માલિશ કર્યા બાદ આપને પોતાની ત્વચામાં તરાવટનો અહેસાસ થશે.



Click it and Unblock the Notifications











