Latest Updates
-
temp article guj bs -
this is gujarati boldsky budget -
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બનારસી મલઇયો : માત્ર શિયાળા ત્રણ જ માસ મળે છે આ મિઠાઈ
દુનિયા ભરમાં શિવની નગરી તરીકે જાણીતી બનારસ બનારસી સાડી અને પાન માટે પણ જાણીતી છે, પરંતુ એક વસ્તુ વધુ છે કે જે આ શહેરને ફેમસ બનાવે છે. તે છે 'બનારસી મલઇયો'. એક તરફ બાકીની બનારસી મિઠાઇયો સમયની સાથે-સાથે ભારતમાં બીજી જગ્યાઓએ પણ બનવા લાગી છે, તો બીજી તરફ બનારસી મલઇયો એકમાત્ર એવી મિઠાઈ છે કે જેની ઉપર આજે પણ બનારસનો એકાધિકાર છે.
આ મિઠાઈની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને બનાવવામાં ઝાકળના ટીપાઓનો ઉપયોગ થાય છે. હવે જ્યારે ઝાકળનાં ટીપાઓનો જ ઉપયોગ થાય છે, તેથી બનારસી મલઇયો માત્ર ભર શિયાળે ત્રણ મહિનાઓ જ બનાવવામાં આવે છે.

સ્કિન અને આંખો માટે અમૃત -
ઝાકળનાં ટીપાઓથી તૈયાર થતી મલઇયો આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. ઝાકળનાં ટીપાઓમાં પ્રાકૃતિક મિનરલ્સ હોય છે કે જે સ્કિનને ફાયદો પહોંચાડે છે. ત્વચામાં પડતી કરચલીઓને રોકે છે. કેસર, બદામ શક્તિવર્ધક હોય છે. તે તાકાતને વધારે છે. કેસર સૌંદર્ય પ્રદાન કરે છે. આ ઉપરાંત આ મિઠાઈ આંખની રોશની માટે કોઇક અમૃતથી ઓછી નથી.
ત્રણ માસ જ મળે છે 'મલઇયો' -
જેમ કે આપને જણાવવામાં આવ્યું કે આ મિઠાઈ માત્ર ઝાકળથી બનાવવામાં આવે છે. ઝાકળ શિયાળાની મોસમમાં ત્રણ મહિના જ થાય છે. તેથી આ મિઠાઇનો આનંદ માત્ર શિયાળામાં જ ઉઠાવી શકાય છે. આ દરમિયાન જેટલી વધુ ઝાકળ પડે છે, તેટલી જ તેની ગુણવત્તા વધે છે. તેનું વેચાણ સવારે શરૂ થાય છે અને 12 વાગતા-વાગતા તો સમગ્ર સ્ટૉક ખતમ થઈ જાય છે. તે પછી મલઇયો ખાવા માટે બીજા દિવસનો ઇંતેજાર કરવો પડે છે. આ મિઠાઈ ગંગા કિનારે વસેલા મહોલ્લાઓમાં જ વેચાય છે.
આ છે વિધિ -
મલઇયો તૈયાર કરવા માટે કાચા દૂધને મોટી-મોટી કઢાઇયોમાં ઉકાળવામાં આવે છે. તે પછી રાત્રે છત પર ખુલ્લા આકાશ નીચે મૂકી દેવામાં આવે છે. આખી રાત ઝાકળ પડવાનાં કારણે તેમાં ફીણ પેદા થાય છે. સવારે કઢાઇયો ઉતારી દૂધને મથવામાં આવે છે. પછી તેમાં નાની એલચી, કેસર અને માવો નાંખી ફરીથી મથવામાં આવે છે. હવે તેને કુલ્હડમાં નાંખી સર્વ કરવામાં આવે છે.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications













