Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પનીરનું સત્ય : પનીર ખાવાથી વધે છે જાડાપણું કે પછી મળે છે સારૂં આરોગ્ય ?
આજે પનીર ભારતીય ભોજનનો એક મહત્વનો ભાગ બની ચુક્યું છે. તેનો ઘણી બધી વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે; જેમ કે શાકભાજી, ભુરજી, સૂપ, સલાડ, સ્નૅક, મિઠાઈ અને ડેઝર્ટ વગેરે.
આપ પનીરને ભલે કોઈ પણ રીતે ખાવો, આપને તેટલો જ સ્વાદ મળશે. પનીર ડૅરી પ્રોડક્ટનું સૌથી સ્વસ્થ તથા સ્વાદિષ્ટ ઉત્પાદન છે પનીર, પ્રોટીનનું સૌથી ઉત્તમ સ્રોત છે. ખાસકરીને વેજિટેરિયન ખાનારાઓ માટે.
આપણામાંથી ઘણી લોકોની આ ધારણા છે કે પનીરમાં મીટની સરખામણીમાં અનેક ગણું પ્રોટીન હોય છે કે જે તદ્દન ખોટું છે. હકીકતમાં, પનીરમાં પ્રોટીન અને ચરબી એક જ પ્રમાણમાં સામેલ હોય છે. તો, હવે એવામાં સવાલ ઉઠે છે કે શું પનીર ખાવાથી આપણે ફિટ થઇશું કે પછી જાડા ? અહીં વાંચો સમ્પૂર્ણ માહિતી...

પનીરમાં શું હોય છે : પનીર દૂધને ફાડીને તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી વખતે જે પાણી બચી જાય છે, તે "પ્રોટીન" હોય છે. સામાન્યતઃ લોકો આ પાણીને ફેંકી દે છે, પરંતુ જો આપે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું છે, તો તેને પી જાઓ. પનીર કાર્બોહાઇડ્રેટ્સ, ફૅટ્સ તેમજ પ્રોટીનથી બનેલું ઉત્પાદન છે.
100 ગ્રામ પનીરમાં આપને થોડાક પ્રમાણમાં કાર્બન, 8 ગ્રામ પ્રોટીન અને 8 ગ્રામ ફૅટ્સ મળશે. આમ, પનીરને નથી સમ્પૂર્ણપણે પ્રોટીન કે નથી ફૅટનું સ્રોત ગણી શકાય છે. જો આપ પનીરને સંતુલિત રીતે ખાશો, તો આપ જાડા નહીં, પણ ફિટ બનશો.
પનીર ખાવાનો સમય
પનીરને ક્યારેય પણ એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી ન ખાવુંજોઇએ, કારણ કે આપના બૉડીને ફૅટની જરૂર નથી. તેમાં મોજૂદ ફૅટ આપની પાચન ક્રિયાને મંદ કરી દેશે. પનીરને રાત્રે સૂવાનાં ેક કલાક પહેલા ખાઈ શકાય છે.
સૂતી વખતે આપણી માંસપેશીઓ અને લંબાઈ વધી જાય છે કે જેના માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર પડે છે. એવામાં પનીર ખાવું એક સારો ઑપ્શન હોય છે. આપઇચ્છો તો તેને દિવસનાં સમયે પણ ખાઈ શકો છો, પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવું જોઇએ.



Click it and Unblock the Notifications











