Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
કમૂરતાનાં મહિનામાં કરો આ વસ્તુઓનું દાન અને પામો દરેક સમસ્યાનું સમાધાન
કમૂરતાનાં માસ 16મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી દરમિયાન ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ કે આપણે શું-શું દાન કરવું જોઇએ ?
હિન્દુ ધર્મનાં પંચાંગ મુજબ દર વર્ષે સૌર પોષને મળમાસ કે કમૂરતાનો માસ કહે છે. તેને કાળી રાત્રિ પણ કહેવાય છે.
કમૂરતા 16મી ડિસેમ્બરથી શરૂ થાય છે. આ માસમાં ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ આપણે શું-શું દાન કરવું જોઇએ ?

1. પૂજા અને દાન
એવું કહેવામાં આવે છે કે જે લોકો આ માસમાં દાન-પૂજા કરે છે, તેઓ આ માસની ખરાબ અસરોથી બચી જાય છે. તો આવો જાણીએ જુદા-જુદા પ્રકારનાં દાન.

2. ચાંદીનાં વાસણ
આ મહિનામાં ચાંદીનાં વાસણોનું દાન કરવાથી વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

3. ગોલ્ડ
એવું કહેવાય છે કે પીતળનાં વાસણમાં સોનું મૂકી દાન કરવાથી ઘરમાંપૈસાની ક્યારેય અછત નથી સર્જાતી. એટલુ જ નહીં, ઘરમાં પૈસાની બરકત પણ થાય છે.

4. ચણા
સારા આરોગ્ય, ધન અને સમૃદ્ધિ માટે કાળા ચણા કે ચણા દાળ કોઇક જરૂરિયાતમંદ તથા નિર્ધનવ્યક્તિને દાનમાં આપો.

5. ખજૂર
આ માસમાં ખજૂર દાનમાં આપવાથી ઘરનો માહોલ ખુશાલીભર્યોરહે છે અને તમામ સભ્યોમાં પ્રેમ વધે છે.

6. ગોડ
આ મહિનામાં ગોડનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ ગોડ દાન કરવાનાં બદલામાં ઘરમાં ભોજનની ક્યારેય અછત નથી સર્જાતી.

7. લાલ ચંદન
આ માસમાં લાલ ચંદન દાન કરવાથી પારિવારિક સુખ મળે છે. સાથે જ બુદ્ધિ, શક્તિ અને પ્રતિષ્ઠા મળે છે.

8. ચંદન
દરરોજ વપરાતું ચંદન દાન કરવાથી મહેનત કરવાની ક્ષમતા વધે છે અને આ પરિશ્રમના ફળ પામવમાં મદદ મળે છે.

9. કેસર
આ મહિનામાં કેસરનું દાન કરવાથી આપનો ભાગ્ય સારો થવા લાગે છે. સાથેજ આપ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સફળતા પામો છો.

10. રત્ન
આ માસમાં કોઈ પણ રત્નનું દાન કરવું આપને ધનવાન બનાવે છે. સાથે જ ધન કમાવવાનાં રસ્તા પણ ખુલે છે.

11. શંખ
આ માસમાં શંખનું દાનકરવાથી આપની આજુબાજુનો માહોલ શુદ્ધ થાય છે. સાથે જ આ દાન આપને બુદ્ધિમાન અને સૌભાગ્યશાળી બનાવે છે.

12. ઘંટડી
એવું કહેવાય છે કે આ માસમાં ઘરનાં મંદિરમાં ઉપયોગ કરાતી ઘંટડીનું દાન કરી દેવામાં આવે, તો ઘરમાં ખુશીઓ આવે છે. એટલુ જ નહીં, ઘરની શાંતિ પણ જળવાઈ રહે છે.

13. મોતી
આ માસમાં મોતીનું દાન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ સાજી થવા લાગે છે. ખાસ તો મનથી સંબંધિત બીમારીઓ. તેનાથી પરિવારનું આરોગ્ય પણ સારૂં રહે છે.



Click it and Unblock the Notifications











