Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો પુરાણો અનુસાર કેવી છોકરીઓ સાથે લગ્ન ના કરવા જોઇએ...
[ધર્મ] લગ્ન જીવનનો એ જરૂરી ભાગ છે જેમાં ખોટો દાવ લાગવા પર આખા જીવનભરનો અફસોસ અને બર્બાદી જ છે. એટલા માટે જીવનના આ સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર માટે આપણા પુરાણોમાં ઘણી અદભૂત અને જરૂરી વાતો કહેવામાં આવી છે જેનું પાલન કરીને આપ આપના માટે યોગ્ય જીવન સાથીની પસંદગી કરી શકો છો.
આજે અમે આપને જણાવીશું કે વિષ્ણુ પુરાણમાં કયા પ્રકારની યુવતીઓ સાથે લગ્ન કરવાથી રોકવામાં આવ્યા છે પરંતુ આવો એ પહેલા જાણીએ કે શું છે વિષ્ણુ પુરાણ?
શું છે વિષ્ણુ પુરાણ?
વિષ્ણુપુરાણ 18 પુરાણોમાં અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન છે. આ શ્રી પરાશર ઋષિ દ્વારા લિખિત છે. જે તેના પ્રતિપાદ્ય ભગવાન વિષ્ણુ છે, જે સૃષ્ટિના આદિકારણ, નિત્ય, અક્ષય, અવ્યય, તથા એકરસ છે. આ પુરાણમાં આકાશ વગેરે ભૂતોનું પરિણામ, સમુદ્ર, સૂર્ય વગેરેનું પરિણામ, પર્વત, દેવતાની ઉત્પત્તિ, મન્વંતર, કલ્પ-વિભાગ, સંપૂર્ણ ધર્મ અને દેવર્ષિ તથા રાજર્ષિઓના ચરિત્રનું વિશદ વર્ણન છે. આ પુરણામાં ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ વાતો છે.
આવો જાણીએ આ પુરાણ અનુસાર કયા પ્રકારની યુવતીઓ વિવાહ માટે ફિટ છે...

એક જ ગોત્રની યુવતી
હંમેશા એવી યુવતી સાથે લગ્ન ના કરવા જોઇએ જે રિલેશનમાં હોય, કારણ કે પુરાણ અનુસાર એવું કરવાથી વંશાવલી સારી નથી આવતી, લોકોના જીંસમાં બિમારીઓ ફેલાવાનો ભય રહે છે.

આળસુ
જે યુવતી આળસુ હોય છે, તેના આવવાથી ઘરનું ભલુ ક્યારેય નથી થતું. એટલા માટે એવી યુવતીઓ સાથે લગ્ન કરવાથી બચવું જોઇએ, હવે આપ કહેશો કે એ કેવી રીતે ખબર પડે કે યુવતી આળસુ છે. આપ યુવતીને સીધો પ્રશ્ન કરી શકો છો કે તે કેટલા વાગે ઊંઘે છે અને કેટલા વાગે ઊઠે છે, જે મોડા ઊઠે છે તે આળસુ છે.

પુરુષ સાથે સંબંધ રાખનારી યુવતી
પુરાણ અનુસાર યુવતીઓએ યુવકો સાથે મિત્રતા કરવી જોઇએ નહીં, જોકે એવું આજના જમાનામાં સંભવ નથી. પરંતુ તેની મિત્રતા કેટલા હદ સુધી છે, જો તે મિત્રતા સુધી હોય તો યોગ્ય છે, પંરતુ જો તેનાથી આગળ હોય તો ચિંતાનો વિષય છે.

તેજ અને તીખી બોલનારી
જે યુવતીઓ તેજ અને તીખું બોલનારી હોય તે ખૂબ જ મનમાનીવાળી અને ચંચળ હોય છે, જે જીવનમાં મીઠાસ નથી ભેળવી શકતી એટલા માટે એવી યુવતીઓ સાથે વિવાહ કરતા બચવું જોઇએ.

દરેક સમસ્યાનું સમાધાન છે: વિષ્ણુ પુરાણ
વિષ્ણુ પુરાણમાં સાત હજાર શ્લોક છે. ઘણા ગ્રંથોમાં તેની શ્લોક સંખ્યા 23 હજાર કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણોના પાંચ લક્ષણો અથવા વર્ણ્ય-વિષયો-સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મનવંતર અને વંશાનુચરિતનુ વર્ણન છે. તમામ વિષયોનો ઉલ્લેખ છે અને અધ્યાત્મ-વિવેચન, કલિકર્મ અને સદાચાર વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પુરાણોમાં કેમ કહેવાયું છે જમીન પર બેસીને જમવું જોઇએ
હંમેશા આપણે જ્યારે કોઇ ધાર્મિક પ્રસંગમાં જઇએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે ત્યાં લોકોને જમવાનું જમીન પર બેસાડીને આપવામાં આવે છે.
વધુ વાંચવા માટે ક્લિ કરો...



Click it and Unblock the Notifications











