Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
મહિલાઓને વાંજિયાપણાથી છૂટકારો આપાવે આ ૮ ઘરેલુ ઉપાય
ઓછામાં ઓછું એક વર્ષ સુધી નિયમિત, સમયસર અને કોઈપણ પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યા વગર સંભોગ કરવાવાળી સ્ત્રી, જ્યારે ગર્ભધારણ કરવામાં અસર્મથ રહે છે, ત્યારે તેને વાંજિયાપણું કે વાંજિયાપણાથી જોડાયેલી સમસ્યા ગણવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ગર્ભાવસ્થા બનાવી રાખવી અને એક જીવતા બાળકને જન્મ ના આપી શકવામાં અસમર્થતા પણ, વાંજિયાપણામાં જ સમાયેલી છે. સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા જુદીજુદી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પ્રભાવિત થઈ શકે છે, જેવી રીતે :- પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ (પીસીઓ), એંડોમેટરિઓસિઝ, શ્રોળી સૂજનની બીમારી, ગર્ભાશય ફાઈબ્રોઈડ, એનીમિયા, થાયરોઈડની સમસ્યા, અવરુદ્ધ ફૈલોપિયન, ટયૂબજ, કૈડિડા અને યૌન સંચારિત રોગ (એસટીડી) વગેરે.
આ જ પ્રકારે વધારે દારૂનું સેવન, ધ્રુમપાન, આયુષ્ય (૩૫ વર્ષથી વધારે), મોટાપો, વધારે પડતો તણાવ, અનિયમિત અને દર્દપૂર્ણ મહિનાની સમસ્યા, પોષણ રહિત ભોજન કે પછી વધારે શારિરીક પ્રશિક્ષણ પણ સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતાને પ્રભાવિત કરે છે.
એવામાં, ઈન-વિટ્રો-ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) કે સરોગેટ-માં ના માધ્યમથી કેટલીયે મહિલાઓ બાળક પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે. પરંતુ દરેક સ્ત્રી આ ટેકનીકોનો ઉપયોગ નથી કરી શકતી, કેમકે મોંઘી હોવાના કારણે તે દરેકની પહોંચમાં નથી હોતી.
આવી પરિસ્થિતિઓમાં, કેટલાક પ્રાકૃતિક અને હર્બલ ઉપચાર પણ વાંજિયાપણાના મૂળ કારણોથી લડવામાં, અને ગર્ભવતી થવાની સંભાવનાને વધારાવામાં મદદરૂપ થાય છે. સ્વસ્થ જીવન-શૈલી, જેવી કે :- નિયમિત વ્યાયામ અને સ્વસ્થ-આહાર પણ એક મહત્વપૂર્ણ પાસું છે. અહીં સ્ત્રી-વાંજિયાપણું નિવારણના હેતુથી આઠ મુખ્ય ઉપચાર આપવામાં આવ્યા છે.

1.અશ્વગંધા
આ જડીબુટ્ટી હાર્મોનલ-સંતુલનને બનાવી રાખે છે અને પ્રજનન અંગોને સમુચિત કાર્ય-ક્ષમતાને વધારવામાં મદદરૂપ છે. તે દર વખત થતા ગર્ભપાતના કારણ, શિથિલ ગર્ભાશયને સંકુચિત આકારમાં લાવીને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ગરમ પાણીના એક ગ્લાસમાં અશ્વગંધા ચૂર્ણના ૧ ચમચી મિશ્રણને બનાવીને દિવસમાં બે વાર લો.

2.દાડમ
આ ગર્ભાશયના રક્ત પ્રવાહમાં વૃદ્ધિ કરે છે, અને ગર્ભાશયની દિવાલોને મોટી કરીને ગર્ભપાતની સંભાવનાને ઓછી કરવામાં સહાયક છે. સાથે જ, તે ભ્રૂણના સ્વસ્થ વિકાસને વધારે છે. દાડમના બીજ અને છાલને બરારબ માત્રામાં મેળવીને તેનું ચૂર્ણ બનાવીને, એક એર-ટાઈટ ડબ્બામાં રાખી લો. કેટલાક અઠવાડિયા સુધી દિવસમાં બે વખત ગરમ પાણીના એક ગ્લાસ સાથે આ મિશ્રણની અડધી ચમચી લો. તમે તાજા દાડમ પણ ખાઈ શકો છો, અને દાડમનો તાજો રસ પણ પી શકો છો.

3. તજ
તજ ડિમ્બ-ગ્રંથિના સારી રીતે કાર્ય કરવા માટે મદદ કરી શકે છે. અને આ રીતે પણ વાંજિયાપણાથી લડવામાં પ્રભાવશાળી સિદ્ધ થઇ શકે છે. તે પી સી ઓ, વાંજિયાપણાના મુખ્ય કારણોમાંનું એક કે તેની સારવારમાં મદદ પણ કરે છે. ગરમ પાણીના એક કપમાં, તજ પાઉડરનો ૧ ચમચો મિક્સ કરો. કેટલાક મહિનાઓ માટે દિવસમાં એક વાર તેને પીતા રહો. આ ઉપરાંત, પોતાના ખોરાક, દલિયા, અને દહી પર પણ તજ પાઉડરને છાંટીને તેને પોતાના ખોરાકમાં સામેલ કરો.

4. એક સારો-સંતુલિત આહાર લો
એક સારી રીતે સંતુલિત આહાર લેવો, પ્રજનન ક્ષમતામાં સુધારો લાવવા માટેનું એક મહત્વપૂર્ણ કારણ છે. એક સ્વસ્થ, સંતુલિત ખોરાક સ્વાસ્થ્યની તે દશા કે બિમારીઓને રોકવામાં મદદ કરે છે જે વાંજિયાપણાનું કારણ હોઈ શકે છે. સાથે તે શ્રીમંતની સંભાવનાને પણ વધારે છે.

5. ખજૂર
ખજૂર ગર્ભધારણ કરવા માટે, તમારી ક્ષમતાને વધારવામાં મદદ કર શકે છે. તેમાં કેટલાક પોષક તત્વ હોય છે, જેવા કે :- વિટામિન એ, ઈ અને બી લોહા અને અન્ય જરૂરી ખનીજ, જે એક મહિલાને ગર્ભ ધારત કરવા માટે અને ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ સુધી જરૂરી છે. ૨ ચમચી કાપેલા લીલા ધાણાની સાથે ૧૦ થી ૧૨ ખજૂર (બીજ વગરની) પીસી લો. પેસ્ટ બનાવવા માટે ગાયના દૂધના ૩/૪ કપ મેળવો અને તેને ઉકાળી લો. તેને પીતા પહેલા ઠંડુ થવા દો. પોતાની છેલ્લા મહિનાની તારીખથી, એક અઠવાડિયા માટે, તેને દિવસમાં એક વાર પીવો. એક સ્વસ્થ નાસ્તેના રૂપમાં દરરોજ ૬-૮ ખજૂર ખાતા રહો અને દૂધ, દહી અને સ્વાસ્થ્ય-પેય માં પણ કાપેલી ખજૂરનો સમાવશે કરો.

6. વિટામિન-ડી
વિટામીન-ડી ગર્ભાવસ્થા માટે અને એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે જરૂરી છે. વાસ્તવમાં, વિટામિન-ડીની ઉણપ વાંજિયાપણુ અને ગર્ભપાતનું કારણ હોઈ શકે છે. સવાર સવારમાં ૧૦ મિનિટ માટે તડકો જરૂર લો તેથી તમારા શરીરમાં વિટામિન-ડીનું નિર્માણ થઈ શકે. વિટામીન-ડીથી યુક્ત ભોજન જેવા કે સામન ( salmon), પનીર, ઈંડાની જરદી અને વિટામિન-ડીથી સશક્ત ભોજન પદાર્થોનું સેવન કરો. તમે વિટામીન-ડીનું સેવન ગોળીઓના રૂપમાં પણ કરી શકો છો પરંતુ પોતાના ડોક્ટરની સલાહ લીધા બાદ.

7. વડના વૃક્ષના મૂળિયા
આયુર્વેદના અનુસાર, પીપળાના વૃક્ષની કોમળ જડોને મહિલાના વાંજિયાપણાની સારવારમાં અસરકારક છે. કેટલાક દિવસો સુધી તડકામાં એક વડના કોમળ મૂળિયાને સુકવો. પછી તેનું ચૂરણ બનાવીને એક બંધ ડબ્બામાં રાખી લો. એક ગ્લાસ દૂધમાં ચૂરણના ૧ થી ૨ મોટા ચમચા મેળવો. મહિનાનો સમય પૂરો થયા બાદ લગાતાર ત્રણ રાતો માટે, ભૂખ્યા પેટે તેને એક વાર પીવો. તેને પીધા પછી એક કલાક માટે કંઈ પણ ખાવાનું ટાળો. અમુક મહિના માટે આ ઉપાયનું પાલન કરો.

8. યોગ
પ્રજનન ક્ષમતાને વધારવા માટે મદદરૂપ થવાના હેતુ માટે કેટલાક યોગાસન છે જેવા કે :- નાડી-શોધન, પ્રાણાયમ, ભ્રામરી પ્રાણાયામ, પશ્વિમોત્તનાશન, હસ્તપાદાસન, જાનુ શીર્ષાસન, બાધા કોનાસના, વિપરિત-કરણી, અને યોગ નિદ્રા વગેરે. યાદ રાખો, યોગનો લાભ લેવા માટે તેને યોગ્ય રીતે કરવા જોઈએ.



Click it and Unblock the Notifications











