Just In
- 1041 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1050 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1780 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1782 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ભોજનમાં દરરોજ ખાશો ઘી, તો એક જ માસમાં આમ ઓછું થશે જાડાપણું
હમણા તાજેતરમાં જ એક રિપોર્ટ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં આવ્યો છે કે જેમાં મેદસ્વિતા ઓછી કરવા માટે ઘી ખાવાનાં પાંચ કારણઓ આપવામાં આવ્યા છે અને જણાવાયું છે કે આપે દરરોજ ભોજનમાં ઘીનો કેમ સમાવેશ કરવો જોઇએ ?
આજ-કાલ જે લોકો વજન ઓછું કરવામાં લાગેલા છે. તેમણે ઘી ખાવાનું બંધ કરી દીધું છે, પરંતુ શું આ યોગ્ય છે ? બિલ્કુલ નહીં, તે આપનાં પાચન તંત્ર માટે જરા પણ યોગ્ય નિર્ણય નથી, કારણ કે જો પેટ બરાબર નહીં રહે, તો આપ જેટલું ડાયેટિંગ કરી લો, આપ ક્યારેય પાતળા નથી થઈ શકતાં.
હમણા તાજેતરમાં જ એક રિપોર્ટ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં આવ્યો છે કે જેમાં મેદસ્વિતા ઓછી કરવા માટે ઘી ખાવાનાં પાંચ કારણઓ આપવામાં આવ્યા છે અને જણાવાયું છે કે આપે દરરોજ ભોજનમાં ઘીનો કેમ સમાવેશ કરવો જોઇએ ?
1. તેલની સરખામણીમાં ઓછું ઝેરીલું છે
જ્યારે ઉચ્ચ ગરમી પર ઘીને ગરમ કરવામાં આવે છે, તો તે તેલની સરખામણીમાં ઓછું ટૉક્સિક કમ્પાઉંડ પેદા કરે છે. એક સ્ટડી મુજબ સોયાબીનને જો 160 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે, તો તે ઘીની સરખામણીમાં 10 ગણું એક્રૉલાઇડનું ઉત્પાદન કરે છે.
2. ઘીમાં સ્મૉકિંગ પૉઇંટ ઓછું છે
જ્યારે ઘીને ઉચ્ચ તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે વધુ ઉપયોગી થઈ જાય છે, કારણ કે હાઈ સ્મૉકિંગ પૉઇંટ હોય છે. તે શરીરની કોઈ પણ કોશિકાને નુકસાન નથી પહોંચાડતું.
3. તે જલ્દીથી ખરાબ નથી થતું
ઘીની ફ્રેશનેશ જાળવી રાખવા માટે તેને ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી પડતી અને તે ઘણા અઠવાડિયાઓ સુધી રૂમ ટેમ્પરેચરે સંગ્રહિત કરી શકાય છે.
4. તેને ખાવાથી પેટ કાયમ સ્વસ્થ રહે છે
અભ્યાસથી જાણવા મળ્યું છે કે કારણ કે ઘી માખણની તુલનામાં વધુ કેન્દ્રિત છે, તેથી તે થોડાક વધુ પ્રમાણમાં બાઇટિક એસિડ અને સંતૃપ્ત ચરબી પ્રદાન કરે છે. તેનાંથી પેટની ખરાબી નથી થતી અને પાચન તંત્ર કાયમ સ્વસ્થ બની રહે છે.
5. વજન ઘટાડવા
ઘીમાં અસંતૃપ્ત ફૅટી એસિડનું પ્રમાણ વધુ હોય છે કે જે ચરબીની હાનિનું કારણ બને છે.