Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
નવરાત્રિમાં ફાસ્ટ રાખવા માટે અજમાવો આ ટિપ્સ, દૂર થશે બધી બીમારીઓ
ઉપવાસ આપની ભક્તિ દેખાડવા ઉપરાંત સારો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પણ રાખવામાં આવી શકે છે. આ આપના શરીરને સાફ અને શુદ્ધ કરે છે અને મહત્વનાં અંગોને આરામ આપે છે.
આનાથી ન કેવળ વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ શરીરમાં થનાર ઘણા પ્રકારની બીમારીઓને પણ રોકી શકાય છે.નવરાત્રિમાં નવ દિવસ યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે, તો આના કેટલાય હકારાત્મક પ્રભાવો શરીર પર પડે છે.
હવે જ્યારે નવરાત્રિ આડે કેટલાક જ દિવસો રહી ગયા છે, ત્યારે આપે ઉપવાસ રાખવામાં ઇનકાર ન કરવો જોઇએ કારણ કે આનાથી આપને જ ફાયદો થશે. આવો જાણીએ ઉપવાસ રાખવાથી શરીરને શું આરોગ્ય લાભો મળે છે....

વિટામિનથી ભરપૂર શાકભાજીઓ ખાવો
વિટામિન એ, બી અને સીથી સમૃદ્ધ શાકભાજી લો. એક શાકભાજીનો રસ જેમ કે, દુધી, ટામેટા, સફરજન અને આદુનાં રસને મેળવીને સેવન કરો.

લીવરને શુદ્ધ કરે
બહુ બધાં ફળો ખાવો કે જે લીવરમાંથી કૉલૅસ્ટ્રૉલને ફ્લશ કરે. કૉલૅસ્ટ્રૉલને ઓછુ રાખવામાં સફરજન, નારંગી, પપૈયુ, જામફળ, દાડમ, લિંબુનો રસ અને નાશપાતી વિશેષ રીતે મદદ કરે છે.

લિંબુનો રસ પી શરીર કરો સાફ
લિંબુનો રસ હુંફાળા પાણીની સાથે દરરોજ સવારે લો, આનાથી શરીર સારી રીતે સાફ થશે.

ક્રીમ વાળા દૂધથી દૂર રહો
આખું ક્રીમ વાળુ દૂધ અથવા ગાઢું દૂધ લેવાથી બચો. આ આપની આળસનું કારણ બની શકે છે.

દરરોજ સવારે કિશમિશ સાથે બદામ ખાઓ
કિશમિશ સાથે બદામ રાત્રે જ પલાડીને મૂકી દો અને સવારે એને ખાઓ, આનાથી આપના શરીરમાં ખનિજોનું પ્રમાણ વધશે.

વજન ઓછુ કરવા માંગતા લોકો આ કરે
જે લોકો નવરત્રિમાં વજન ઓછુ કરવાનો વિચાર કરી રહ્યા છે, તેમને દુધી, કદ્દૂ અને ફળો જેવા કે સફરજન, નાશપાતી, કાકડી, ફૂલ મખાણા, બફાયેલા બટાકા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસનાં દર્દીઓ આ કરો
ડાયાબીટીસનાં દર્દીઓને તેમની સ્થિતિ વિશે જાણકારી હોવી જોઇએ અને ઉપવાસનાં સમયે આરોગ્ય બગડવાનાં લક્ષણોની પણ ઓળખ હોવી જોઇએ. તેમણે નિયમિત સમયગાળામાં થોડુંક-થોડુંક ખાતા રહેવું જોઇએ કે જેનાથી બ્લડ શુગર લેવલ ન વધે. ફળો જેવા કે દુધી, કદ્દૂ, પપૈયુ અથવા બદામ આરોગ્ય માટે સારા છે.



Click it and Unblock the Notifications











