Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો પંજાબી દુલ્હનો કેમ પહેરે છે ચુડલો ?
જો આપ કોઇક પંજાબી મિત્રનાં લગ્નમાં ગયા હશો, તો આપે દુલ્હનને ચુડલો પહેરેલી ચોક્કસ જોઈ હશે. એમ તો દુલ્હનો ઢગલાબંધ જ્વૅલરી પહેરે છે, પરંતુ તેમાં ચુડલાનું મહત્વ સૌથી વધુ હોય છે.
આજ-કાલ તો ચુડલા પહેરવાનો રિવાઝ માત્ર પંજાબીઓમાં જ નહીં, પણ ભારતનાં જુદા-જુદા ખૂણાઓમાં પણ ચાલુ થઈ ગયો છે. પંજાબીઓમાં લગ્નનાં દિવસે ભાવિ દુલ્હનનાં ઘરે ચુડલા અને કલીરા નામની સેરેમની પણ યોજાય છે. આ લાલરંગના ચૂડાઓ આખરે એટલા મહત્વનાં કેમ છે અને તેને કેમ પહેરવામાં આવે છે ? આજે અમે આ જ વિષય પર ખુલાસો કરીશું.

શું છે ચુડલાથી જોડાયેલો રિવાઝ
ચૂડા સેરેમની લગ્નની સવારે દુલ્હનનાં ઘરે યોજાય છે. દુલ્હનનાં મામા તેના માટે ચુડલો લઈને આવે છે કે જેમાં લાલ અને સફેદ રંગની 21 ચૂડીઓ હોય છે. દુલ્હનને આ ચુડલાને ત્યાં સુધી નથી અપાતો કે જ્યાં સુધી તે પૂર્ણતઃ તૈયાર ન થઈ જાય અને મંડપમાં વરરાજા સાથે બેસી ન જાય.
વરસ સુધી પહેરવો પડે છે ચુડલો
પંજાબી રિવાઝનાં હિસાબે દુલ્હને લગભગ 1 વર્ષ સુધી ચુડલો પહેરવાનો હોય છે. જોકે આજ-કાલની દુલ્હનો વધુમાં વધુ 40 દિવસો સુધી જ તેને પહેરે છે.
ચુડલાનું મહત્વ
ચુડલો પરિણીત હોવાનું પ્રતીક છે. સાથે જ તે પ્રજનન અને સમૃદ્ધિનો સંકેત પણ છે. તે પતિની ભલાઈ માટે પણ પહેરવામાં આવે છે.
ચુડલાનો રિવાઝ
દુલ્હનને ચુડલો લગ્નનાં મંડપમાં જ તેના મામી જ આપે છે. આ દરમિયાન દુલ્હનની આંખો તેની માતા બંધ કરી દે છે કે જેથી તે ચુડલાને જોઈ ન શકે, નહિંતર તેની પોતાની નજર જ તે ચુડલા પર લાગી જાય. ચુડલાને લગ્નની એક રાત પહેલા દૂધમાં પલાડીને રાખવામાં આવે છે.
ચુડલો ઉતારવાનો રિવાઝ
અગાઉનાં જમાનામાં જ્યારે ચુડલો ઉતારવાનો હોય, ત્યારે ઘરે નાનકડુ આયોજન કરવામાં આવતુ હતું. તેમાં દુલ્હનને શુકન અને મિઠાઈ આપવામાં આવતી હતી અને પછી ચુડલો ઉતારી તેની જગ્યાએ કાંચની ચૂડીઓ પહેરાવી દેવામાં આવતી હતી. ચુડલાને કોઇક નદી પાસે ઉતારવામાં આવતો હતો અને નાનકડી પૂજા બાદ નદીમાં જ તેને પધરાવી દેવામાં આવતો હતો.
કલીરાનો રિવાઝ
દરેક પંજાબી દુલ્હન પોતાની ચૂડીઓમાં કલીરા બાંધે છે કે જે તેની પ્રિય બહેનપણીઓએ બાંધેલું હોય છે. કલીરાની સેરેમની ચૂડા સેરેમનીનાં તરત બાદ યોજાય છે.
જ્યારે માથા પર પડે કલીરા
એક વાર જ્યારે કલીરા દુલ્હનની ચૂડીઓ સાથે બાંધી દેવામાં આવે છે, ત્યારે તેણે પોતાનાં હાથોને પોતાની સિંગલ બહેનપણીઓનાં માથે ઝાટકવાની હોય છે. પછી કલીરા જેની ઉપર પડે છે, લગ્નનો નેક્સ્ટ નંબર તેનો જ હોય છે.



Click it and Unblock the Notifications

















