આ કારણોથી હોમ પ્રેગ્નેંસી કિટ પર મત કરો વિશ્વાસ

By KARNAL HETALBAHEN

હોમ પ્રેગ્નેંસી કિટ એક સારી રીત છે જેનાથી માધ્યમથી એ જાણી શકાય છે કે તમારી રોમેન્ટિક લાઇફ કેવી ચાલી રહી છે. પરંતુ ઉભા રહો, શું ખરેખર તેના પર વિશ્વાસ કરી શકાય? જવા દો, સારું રહેશે કે તમે ગર્ભવતી છો અથવા નથી, આ વિશે જાણવા માટે તમે સ્ત્રી વિશેષજ્ઞ પાસે જાવ. હોમ ટેસ્ટ કિટ પર ફક્ત આંશિક રીતે વિશ્વાસ કરી શકાય છે.

પરંતુ તેમાં પ્રાઇવેસી મળે છે અને આ જ કારણે તેનો ઉપયોગ ખૂબ વધુ કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો પરણિત છે તેમને ક્લિનિકમાં જઇને ગર્ભાવસ્થાનો ટેસ્ટ કરાવવામાં અસુવિધા અનુભવાય છે. જો આ કારણે તે હોમ ટેસ્ટ કિટને પસંદ કરે છે. પરંતુ અહીં કેટલાક કારણો બતાવવામાં આવ્યા છે જે એ દર્શાવે છે કે હોમ પ્રેગ્નેંસી ટેસ્ટ કિટ પર વિશ્વાસ કરવો યોગ્ય છે કે નહી.

તથ્ય #1

તથ્ય #1

ટેસ્ટ કિટમાં કેટલાક નિર્દેશ હોય છે. જો તેનું યોગ્ય રીતે પાલન કરવામાં ન આવ્યો તો સાચું પરિણામ આવતું નથી.

તથ્ય #2

તથ્ય #2

થોડા સમય બાદ ટેસ્ટ કિટ સુકાઇ જાય છે (યૂરિન ડ્રોપ્સ સુકાઇ જાય છે). તે સમયે ટેસ્ટ કિટમાં બંને લાઇન ઘટ્ટ થઇ જાય છે અને એવું લાગે છે કે પરિણામ સકારાત્મક છે.

તથ્ય #3

તથ્ય #3

આ ટેસ્ટ કિટ મહિલાઓના યૂરિનમાં ઉપસ્થિત એચસીજીના સ્તરના આધારે કામ કરે છે. ખૂબ જલદી ટેસ્ટ કરવાથી ખોટું નકારાત્મક પરિણામ આવી શકે છે.

તથ્ય #4

તથ્ય #4

કેટલાક ટેસ્ટ કિટ ખોટા સકારાત્મક રિપોર્ટ આપે છે. જો આ અનિયોજિત ગર્ભાવસ્થા હોય તો તેનાથી ગભરાહટ થાય છે. તે પતિ પત્ની જે બાળક ઇચ્છે છે તેમાં ખોટો રિપોર્ટ તણાવ પેદા કરી શકે છે.

તથ્ય #5

તથ્ય #5

આ બધી વસ્તુઓ ઉપરાંત સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે જો એકલી મહિલાને ખોટો સકારાત્મક રિપોર્ટ મળે છે તો તે પોતાની અપરાધી અનુભવે છે અને તે ઘરે જ ગર્ભપાત કરવાની રીત શોધે છે જે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોઇ શકે છે.

તથ્ય #6

તથ્ય #6

આ ટેસ્ટના પરિણામ પર કેટલીક દવાઓની પણ અસર પડે છે. જેના લીધે ખોટો રિપોર્ટ આવી શકે છે. કેટલીક દવાઓમાં એચસીજી હોય છે, કેટલીક દવાઓમાં ટ્રંક્વિલાઇઝર હોય છે, કેટલીક ડાઇયુરેટિક હોય છે અને કેટલીક અન્ય દવાઓ ટેસ્ટના પરિણામો પર પણ અસર નાખે છે.

Story first published: Tuesday, March 14, 2017, 12:05 [IST]
X
Desktop Bottom Promotion