Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ઉંમરની સાથે કેવી રીતે બદલાય છે મહિલાઓની પ્રજનનતા
જો તમે તમારા કેરિયર અને ભણતરના ચક્કરમાં લગ્ન મોડા કર્યા અને હવે તમે એ વિચારી રહ્યા છો કે તમે બાળક પણ મોડું પેદા કરશો તો તે ખોટું છે. કોઈપણ મહિલાએ ૩૦ વર્ષના આયુષ્ય પછી બાળક પેદા કરવા વિશે નિર્ણય ના લેવો જોઈએ. એવું નથી કે આ ઉંમરમાં બાળક ના થાય પરંતુ થોડી શારિરીક સમસ્યાઓ આવી શકે છે.
૨૦ ની ઉંમર પછી મહિલાનું શરીર, સંતાનને જન્મ આપવા માટે સૌથી સ્વસ્થ્ય હોય છે જે ૩૦ સુધી ખૂબ સારું રહે છે. પ્રજનન માટે ઉંમર ખૂબ જ અગત્યો ભાગ ભજવે છે.
પ્રજનન ક્ષમતાનો અંત મેનોપોઝથી ૫ થી ૧૦ વર્ષ પહેલા જ થઈ જાય છે. મોટાભાગે ૩૫ વર્ષની ઉંમર પછી ગર્ભ ધારણ કરવામાં ખૂબ મુશ્કેલી પેદા થાય છે. આવો જાણીએ કે ઉંમર વધાવાની સાથે-સાથે મહિલાઓની પ્રજનન ક્ષમતા પર શું અસર થાય છે:

ઓવરીનો સમયગાળો હોય છે:
ઉંમરની સાથે મહિલાઓની પ્રજનન ક્ષમતા પર અસર પડે છે. મહિલાઓની ઓવરીની અવધિ હોય છે, પ્રજનનની ઉંમર થાય ત્યારે ૬ થી ૭ મિલિયન એગ ઓવરીમાં બને છે પરંતુ ત્યારબાદ તેની સંખ્યા ઓછી થતી જાય છે. મેનોપોઝ પછી મહિલાઓની ઓવરીમાં ફક્ત થોડા જ એગ બને છે. સારું રહેશે કે આ એગની સંખ્યા ઓછી થાય તેની પહેલા જ બાળકના જન્મ વિશનો વિચાર કરી લો.

ફર્ટિલિટી સોર:
૨૩ થી ૩૨ની ઉંમરની વચ્ચે મહિલાઓની પ્રજનન ક્ષમતા સારી રહે છે પરંતુ તેના પછી કસુવાવડ થવાનું જોખમ વધી જાય છે. કેમકે એગની ગુણવત્તા ઓછી થતી જાય છે અને ફર્ટિલિટી સોર થઈ જાય છે.

નોન-ઓવેરીયન ફૈક્ટર:
કેટલાક પ્રકારના નોન-ઓવેરીયન ફૈક્ટર્સ પણ હોય છે જેના કારણે પણ પ્રજનન સમસ્યાઓ આવે છે. મહિલાઓને એંડોમેટ્રિયોસિસ કે ફાઈબ્રોરોયડ્સ જેવી પણ કેટલીક મેડિકલ સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે ગર્ભધારણ કરવામાં સમસ્યાઓ આવી શકે છે.

૩૦ની ઉંમરમાં મહિલાની પ્રજનન ક્ષમતા:
મહિલાઓને ૩૦ પછી ગર્ભધારણ કરવા પર મોટી સમસ્યા થઈ થાય છે. તેમને કેટલીક નાની-નાની સમસ્યાઓ અને વધારે વધવા લાગે છે. ૩૦ વર્ષની ઉંમરમાં ૨૦ વખત સેક્સ કરવા પર એક વાર ગર્ભવતી થવાના ચાન્સ રહે છે. ત્યાં જ ૩૫ ઉંમર પછી આ સાઈકલ વધુ વધારે વધી જાય છે. ( દરેક વખતના સેક્સમાં ફક્ત ૨૦ ટકાના ચાન્સ રહે છે કે તે ગર્ભ ધારણ કરી શકે.

૪૦ ની ઉંમરમાં મહિલાઓ:
૪૦ વર્ષની ઉંમરમાં એક વખત સેક્સ કરો ત્યારે ફક્ત ૫ પ્રતિશતના ચાન્સ રહે છે કે તે ગર્ભધારણ કરી શકે. મેનોપોઝની ઉંમર ૫૦ની આજુબાજુ હોય છે. કેટલીક મહિલાઓને ૪૦ થી ૪૨ પછી પણ મેનોપોઝ આવી જાય છે. એવામાં પ્રજનન માટે વિટ્રો ફર્ટિલાઈજેશન (આઈવીએફ) આપવામાં આવે છે. અને હાં, જો તમારી માં ને ૪૨ વર્ષની ઉંમરમાં બાળક થયું હોય તો, તેનો એ મતલબ બિલ્કુલ નથી થતો કે તમે પણ ૪૨ વર્ષની ઉંમરમાં માં બની શકો.

ઓવરીમાં ફોલિકલ:
ઓવરીમાં એગની સંખ્યા ઓછી થતાં ફોલિકલ પર ખરાબ અસર પડે છે. મહિલાઓમાં જન્મથી જ ફોલિકલનો ગુણ હોય છે જે ઉંમર વધવાની સાથે ઘટે છે. માસિક ચક્રના દરમિયાન તેમની મહત્વની ભૂમિકા હોય છે. ઉંમર વધાવાની સાથે તે ઘટે છે અને બાળકને કૈરી કરવામાં સમસ્યા આવે છે.

કયારે માં બનો?
એટલા માટે માં બનવાનો નિર્ણય ૩૦ વર્ષની ઉંમર પહેલા જ લો. તેનાથી માં અને બાળક, બન્ને સ્વસ્થ્ય રહે છે.



Click it and Unblock the Notifications











