Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
૧૦ વસ્તુઓ જે મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓ વિશે જાણવી જોઈએ
આજકાલ મોટાભાગની મહિલાઓ પ્રેગ્નેન્સી રોકવવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મોટાભાગની ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભાશયની સાથે સાથે આખા શરીર માટે નુકશાનકારી છે.
ઓરલ કોંટ્રાસેપ્ટિવની સાથે જ ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભ નિરોધકના રૂપમાં સૌથી વધારે વપરાય છે, પરંતુ જે મહિલાઓ કોઈ બિમારીથી પીડાય છે તેના માટે આ ગોળીઓ ખૂબ જ હાનિકારક છે.
આ ગોળીઓમાં એસ્ટ્રોજન એન પ્રોજેસ્ટોન હોય છે જે શરીરના પ્રાકૃતિક હોર્મોનની જેમ કામ કરે છે. તે અંડાશયના ઇંડાને પેદા કરતા રોકે છે. જો સારી રીતે ર્ડોક્ટરની સલાહ લઈને આ ગોળીઓ લેવામાં આવે તો તે ગર્ભનિરોધનો સૌથી સારો ઉપાય છે કારણ કે તેમાં પ્રેગ્નેન્ટ થવાનું જોખમ ૧ પ્રતિશત જ હોય છે. પરંતુ તેનાથ ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પરંતુ તેમાં બીજી ઘણી સમસ્યા પેદા થાય છે. અમે તમને કેટલીક એવી જ સમસ્યાઓ વિશે જણાવી રહ્યાં છીએ જેનાથી તમે તે તારણ પર પહોંચશો કે તેનો ઉપયોગ કરો કે નહી.

સલાહ જરૂરી
આ એક પ્રકારની દવા જ છે અને કોઈ પણ દવા લેતાં પહેલા જરૂરી છે કે તમે પહેલા ર્ડોક્ટરની સલાહ લઈ લો.

ક્યાંક તમને કોઈ બિમારી તો નથી
જો તમારી ઉંમર ૩૫થી વધુ છે અને તમે ડાટાબીટીસ કે મોટાપાથી ઘેરાયેલા છો તો સારુ રહેશે કે આ દવા દેતા પહેલાં તમે તમારા ર્ડોક્ટરની સલાહ લો.

ગોળીઓ કે બીજી કોઈ સુરક્ષા
મહિલાઓને તે જાણવું જરૂરી છે કે તે ફક્ત પ્રેગ્નેન્સી રોકવા માટે છે. યૌન સંક્રમણ બીમારીઓને રોકવા માટે નથી.

માઈગ્રેન
જે મહિલાઓને માઈગ્રેન કે વધુ માથાના દુખાવાની ફરીયાદ રહેતી હોય તેમણે ગર્ભનિરોધક ગોળીઓ ના લેવી જોઈએ. જો જરૂરિયાત હોય તો પહેલા કોઈ સારા સ્ત્રી રોગ નિષ્ણાત પાસે સલાહ-સૂચન કરી લેવા જોઈએ.

શું તમે તાજેતરમાં માતા બન્યા છો
જો તમે અત્યારે ૬ મહિનાની અંદર જ બાળકને જન્મ આપ્યો છે અને બાળક સ્તનપાન કરે છે તો તમારે તેના ઉપયોગથી બચવું જોઈએ. કેમ કે તે બાળકના સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક છે.

વધારે લોહી આવવું
ખાસ કરીને પહેલી વાર આ ગોળીઓનો ઉપયોગ કરનાર મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન વધારે લોહી આવે છે. તેમાં ડરવાની કોઈ જરૂર નથી, આ એક સામાન્ય બાબત છે.

મોટાપો
આ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ગોળીઓ તમને જાડા કરતી નથી. જો કે આ ગોળીઓના સાઈડ - ઈફેક્ટસ છે, પરંતુ મોટાપો તેનો સાઈડ-ઈફેક્ટ નથી.

બાળકમાં ડિફેક્ટ
ઘણા બધા લોકો માને છે કે આ ગોળીઓથી બાળકમાં ડિફેક્ટ હોય છે. પરંતુ એવું હોતું નથી. આ ગોળીઓથી બાળકના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી.

સ્તન કેન્સર
ઘણી મહિલાઓ માને છે કે સ્તન કેન્સરનું કારણ આ ગોળીઓ છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ ગોળીઓનું કેન્સર સાથે કોઈ લેવા-દેવા નથી.

લોહી ગંઠાઈ જવું
જો તમારા પરિવારમાં કોઈને પણ લોહી ગંઠાઈ જવા સંબંધી કોઈ સમસ્યા છે તો તમે આ ગોળીઓનો ઉપયોગ ના કરો.



Click it and Unblock the Notifications











