Just In
- 1019 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1028 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1758 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1761 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
એ લક્ષણો કે જે ટુંકમાં જ મૃત્યુ થવાનો સંકેત આપે છે.
આવો તે લક્ષણો વિશે જાણીએ કે જે કોઇક વ્યક્તિનું ટુંકમાં જ મૃત્યુ થવાના સંકેતો આપે છે અને આપ તેને અંત નિકટ હોવાની ચેતવણી તરીકે લઈ શકો છો.
પુરાણો મુજબ વેદો અને શાસ્ત્રો તમામ મનુષ્યો માટે માહિતીનું સ્રોત છે. ભલે તે કર્મ, ધર્મ કે અન્યકોઈ શાસ્ત્ર હોય, આપણી આજુબાજુ ઉપલબ્ધ તમામવાતોની માહિતી આ વેદોમાં ઉપલબ્ધ છે.
આ પુરાણો મુજબ કેટલાક એવા લક્ષણો છે કે જે કોઇક વ્યક્તિનું ટુંકમાં જ મૃત્યુ થવાનો સંકેત આપે છે અને અહીં અમે આપને આ લક્ષણો વિશે વિસ્તારથી જણાવીશું, કારણ કે આપનાં માટે તેને જાણવું ખૂબ જ મહત્વનું છે.
આવો તેવા લક્ષણો વિશે જાણીએ કે જે કોઇક વ્યક્તિનું ટુંકમાં જ મૃત્યુ થવાનો સંકેત ાપે છે અને આપ તેને પોતાનો અંત નિકટ હોવાની ચેતવણી તરીકે લઈ શકો છો. વધુ જાણો... આ સંકેતો વેદો માટે અપાયા છે અને તે કોઇકનો વ્યક્તિગત અનુભવ નથી.
સંકેત #1
આના મુજબ તેવી વ્યક્તિ કે જેને ધ્રુવ તારો નથી દેખાતો, તેનું તે જ વર્ષે કોઈ પણ સમયે મૃત્યુ થઈ શકે છે.
સંકેત #2
જો કોઈ વ્યક્તિ સૂર્યનાં ખરાબ ચિત્રો જુએ છે, તો તેનાં મૃત્યુનાં વાદળા નજીક હોય છે, કારણ કે વેદો મુજબ 11 મહિનાઓની અંદર આ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
સંકેત #3
એવું કહેવામાં આવે છે કે જો રેતી પર કોઇક વ્યક્તિનાં પગનાં નિશાન નથી ઉપસતા, ત્યારે તે વાતની શક્યતા હોય છે કે 7 મહિનાઓની અંદર તેનું મૃત્યુ થઈ જશે.
સંકેત #4
એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનાં માથે કાગડો કે બાઝ બેસે છે, તો ચોક્કસ રીતે આ દુઃખનો સંકેત છે. એવું મનાય છે કે 6 માસની અંદર તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
સંકેત #5
પુરાણો મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની વિકૃત છબિ જુએ છે અથવા પોતાને ધૂળનાં વાદળો વચ્ચે ઘેરાયેલી જુએ છે, તો આ વાતની શક્યતા છે કે તે હવે માત્ર 4-5 મહિનાઓ માટે જ જીવિત છે.
સંકેત #6
જો કોઈ વ્યક્તિને વગર વરસાદે અને વાદળે વીજળી ચમકતી દેખાય, તો આ એ વાતનો સંકેત હોય છે કે તે વ્યક્તિ પાસે માત્ર 2-3 મહિનાઓનો સમય જ બચ્યો છે.
સંકેત #7
જો કોઈ વ્યક્તિનાં પગ સ્નાન કર્યા બાદ તરત સુકાઈ જાય, તો આ વાતની શક્યતા છે કે આગામી 10 દિવસોની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે.
સંકેત #8
જ્યારે કોઈ દીવો બુઝાઈ જાય છે : જો કોઇક વ્યક્તિને બળવાની ગંધ મોડે સુધી આવતીહોય, તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિનો જીવનકાળ બહુ નાનો છે.