લગ્ન બાદ મહિલાઓને આ 5 વાતોનો થાય છે પછતાવો!

[લાઇફસ્ટાઇલ] દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તેના લગ્ન થાય. પોતાના પતિ અને પરિવારની સાથે તે સુખી જીવન જીવે. પોતાની દરેક ઇચ્છાને તે પોતાના પતિની સાથે પૂરી કરવા માંગે છે, પરંતુ લગભગ ભાગ્યે જ કોઇ સ્ત્રી એવી હશે જેને લગ્ન બાદ પછતાવો થતો હશે. જ્યાં લગ્ન બાદ મહિલાઓની આખી જીંદગી બદલાઇ જાય છે, તો તેમને કેટલીક વાતોનો પછતાવો પણ રહી જાય છે. ખાસ પ્રકારે ભારતીય મહિલાઓની સાથે આ હંમેશા જોવા મળે છે.

જોકે તેનો અર્થ બિલકૂલ નથી કે લવ મેરેજમાં અફસોસ નહીં થતો, ત્યાં પણ કોઇને કોઇ વાતને લઇને મહિલાઓના મનમાં મલાલ તો રહી જ જાય છે. મોટાભાગની મહિલાઓ લગ્ન બાદ નવા પરિવેશને સ્વીકાર કરી લે છે, જોકે તેની પાછળ તેમના આ જ વિચાર હોય છે, તેને અપનાવવા ઉપરાંત તેમની પાસે કોઇ વિકલ્પ નથી, પરંતુ તેમના મનમાં પણ એ મલાલ રહી જાય છે કે તેમણે ખૂબ જ ખોટું કર્યું છે.

આવો જાણીએ લગ્ન બાદ મહિલાઓ કઇ વાતોનો પછતાવો કરે છે...

ખુદના માટે સમય નહીં

ખુદના માટે સમય નહીં

લગ્ન બાદ મહિલાઓનું જીવન તેમના પતિ અને પરિવારમાં વીતી જાય છે. એવામાં એક સમયે મહિલાને લાગવા લાગે છે કે તે માત્ર પરિવારજનોના જ કામ કરતી રહે છે, તેના ખુદના માટે તે સમય જ નથી નીકાળી શકતી.

લાઇફમાં સ્પેસ

લાઇફમાં સ્પેસ

દરેકની લાઇફમાં સ્પેસ હોવી જરૂરી છે, પરંતુ લગ્ન બાદ યુવતીને લગભગ જ આવો સમય મળી શકે છે, જ્યારે તે થોળી પળ માત્ર ખુદની સાથે વિતાવી શકે છે.

બાળકને લઇને ઉતાવળ

બાળકને લઇને ઉતાવળ

લગ્ન બાદ મોટાભાગની મહિલાઓ જલદી માતા બની જાય છે. ભલે તેનું મન ના હોય, પરંતુ ઘર-પરિવારવાળાના દબાવમાં તેને એવું કરવું જ પડે છે. આવામાં બાદમાં તેના મનમાં મલાલ રહી જાય છે.

ખુદને બદલવું

ખુદને બદલવું

લગ્ન બાદ યુવતી પાસે જ એ અપેક્ષા રાખવામાં આવે છે કે તે યુવક અનુસાર બદલાય. પોતાની આદતોને, પોતાના પહેરવેશને, અહીં સુધી પોતાના શોખને પણ તે બદલે. પરંતુ એક સમય બાદ તેને તેની પર્સનાલિટી લુપ્ત થયેલી લાગે છે. જેનો તેને જીવનભર મલાલ રહે છે.

બોયફ્રેન્ડ સાથે તુલના

બોયફ્રેન્ડ સાથે તુલના

લગ્ન પહેલા જો યુવતી કોઇ રિલેશનશિપમાં રહી ચુકી હોય તો તે હંમેશા પોતાના પતિની તુલના તેના પૂર્વ પ્રેમી સાથે કરતી રહે છે. એવામાં ઘણીવાર તેને એવું લાગવા લાગે છે તે તેના પતિ કરતા તેનો બોયફ્રેન્ડ ઘણો સાર હતો.

Story first published: Thursday, August 6, 2015, 18:46 [IST]
X
Desktop Bottom Promotion