શરદી-સડેખમનો રામબામ ઉપાય છે લસણ, આમ કરો યૂઝ

By Super Admin

આપણા ઘરોમાં લસણનો પ્રયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે લસણનાં પ્રયોગથી આપ શરદી-સડેખમથી ક્ષણ વારમાં મુક્તિ પણ પામી શકો છો ? લસણ શરદી-સડેખમ સામે લડવામાં ખૂબ મદદગાર હોય છે.

આપણા ઘરોમાં લસણનો પ્રયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે લસણનાં પ્રયોગથી આપ શરદી-સડેખમથી ક્ષણ વારમાં મુક્તિ પણ પામી શકો છો ? લસણ શરદી-સડેખમ સામે લડવામાં ખૂબ મદદગાર હોય છે.

લસણમાં એલિસિન નામનું રસાયણ હોય છે કે જે એંટી-બૅક્ટીરિયલ, એંટી-વાયરલ અને એંટી-ફંગલ હોય છે

જો આપનાં બદલાતા મોસમનાં કારણે શરદી-સડેખમ કે ગળામાં ખારાશ થઈ ગઈ હોય, તો નીચે આપેલા લસણનાં આ પ્રયોગોથી તેનો ઇલાજ શક્યછે. આવો જાણીએ તેના વિશે -

કાચું લસણ

કાચું લસણ

એક લસણને કચડી લો અને તેને મોઢામાં નાંખી 15 મિનિટ સુધી ચૂસો. આ ઉપરાંત દર ચાર કલાકે એક કે બે તાજા લસણની કળી ખાઓ.

લસણ અને મધ

લસણ અને મધ

લસણને કચડી નાંખો અને 15 મિનિટ માટે છોડી દો. તેટલી વારમાં આપ એક ટોસ્ટ ગરમ કરો અને તેની ઉપર મધ લગાવો. તે પછી આ ટોસ્ટ પર લસણ છાંટો અને ખાવો. આવું નિયમિત રીતે ખાવાનું રહેશે.

લસણ અને પાણી

લસણ અને પાણી

લસણની બે કચડેલી કળીઓને ેક ગ્લાસ પાણીમાં નાંખો અને દરરોજ પીવો.

લસણ અને મધ પેસ્ટ

લસણ અને મધ પેસ્ટ

લસણ એંટી-બૅક્ટીરિયલ હોય છે કે જે આપને શરદીથઈ બચાવે છે. 7 લસણને વાટી લો અને તેમાં 1 ચમચી મધ મેળવો. પછી તેને 1-1 ચમચી દિવસ ભર ખાવો.

લસણ અને નારંગીનો રસ

લસણ અને નારંગીનો રસ

લસણને ક્રશ કરી 15 મિનિટ માટે છોડી દો. તેની 1 નાની ચમચી ખાઈને ફટાકથી નારંગીનો રસ પી લો. આવુંરાત્રે સૂતા પહેલા કેટલાક દિવસો સુધી કરો.

લસણ અને ટામેટા

લસણ અને ટામેટા

2 લસણ, અડધી ડુંગળી, ધાણાનું 1 પાંદડું અને 2 ટામેટાને મિક્સ કરો. સાથે તુલસીનું પાન પણ મેળવીને ઝીણું વાટી લો અને પછી તેને પી જાઓ.

લસણની ચા

લસણની ચા

2 લસણ વાટી તેમાં 1 ચમચી આદુનાં મૂળ નાંખો. પછી તેને 1 કપ પાણીમાં ઉકાળો ને જ્યારે પાણી ઉકળવા લાગે, ત્યારે 5 મિનિટ માટે ગૅસ ધીમું કરી દો. પછી તેને સગડી પરથી ઉતારો અને ગાળી લો. 10 મિનિટ બાદ તેમાં 1 ચમચી કાચું મધ મેળવો અને પીવો.

ગાર્લિક સૂપ

ગાર્લિક સૂપ

એક સૉસ પૅનમાં 8 કપ વેજિટેબલ કે ચિકન બ્રોથ નાંખો. પછી તેમાં દોઢ ચમચી ઑલિવ ઑયલ, 1 સમારેલું લસણ, 1 તજ પત્તા અને ચપટી ભર અજમો નાંખો. તેમને ઉકાળો અને આંચને 30 મિનિટચ માટે ધીમી કરી ચોડી દો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું મેળવી આ સૂપને દિવસમાં ત્રણ વાર પીવો.

લસણ અને ઘી

લસણ અને ઘી

લસણની પાંચ કળીઓને ઘીમાં સેકીને ખાવો. આવું એક-બે વાર કરવાથી શરદીમાંથી આરામ મળે છે.

Story first published: Monday, April 24, 2017, 10:00 [IST]
X
Desktop Bottom Promotion