ભૂલથી પણ ખાલીપેટે ના ખાવો આ ૧૦ વસ્તુઓ

By Karnal Hetalbahen

સ્વાસ્થ્યને સારું રાખવા માટે કેટલીક વાતોનુ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ક્યારે કઈ વસ્તુ દિવસમાં કયા સમયમાં ખાવી જોઈએ, તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક ખાદ્ય સામગ્રીઓમાં એસિડની માત્રા વધુ હોય છે, એવામાં તેને ખાલી પેટે ખાવાથી કે પીવાથી તમને નુકશાન પહોચાડી શકે છે. દહી, કાચા ટામેટા, કેળા વગેરેને ખાલી પેટે ખાવું સારું ગણવામાં આવતું નથી.

બીજી તરફ હૂંફાળા ગરમ પાણીને પીવાથી દિવસને સારો અને હેલ્દી બનાવી શકાય છે. ત્યાં સુધી કે ખાલી પેટ, ચા કે કોફી પીવી પણ નુકશાનકારક હોય છે. આવો જાણીએ એવી જ બીજી ખાદ્ય સામગ્રીઓ વિશે, જેને ખાલી પેટ ના ખાવી જોઈએ.

૧. સોડા

૧. સોડા

સોડામાં વધારે માત્રામાં કાર્બોનેટ એસિડ હોય છે. જો તમે તેને ખાલી પેટે પીશો તો તમને ઉલટી થઇ શકે છે અને તમને અસહજ મહસૂસ થઈ શકે છે.

૨. ટામેટા

૨. ટામેટા

ટામેટામાં એસિડ હોય છે જેના કારણે તમે તેને ખાલી પેટે ખાશો તો તે રિએક્ટ કરે છે અને પેટમાં અધુલનશીલ જેલનું નિર્માણ કરી નાખે છે જે પેટમાં સ્ટોન બનવાનું કારણ બની જાય છે.

૩. દવાઓ

૩. દવાઓ

મોટાભાગે તમે ર્ડોક્ટર્સને સલાહ આપતા સાંભળ્યા હશે કે ભૂખ્યા પેટે દવા ના લેવી જોઈએ. ભૂખ્યા પેટે દવા લેવાથી પેટમાં એસિડની તકલીફ થઈ જાય છે જેનાથી શરીરમાં અસંતુલન ઉભુ થાય છે.

૪. આલ્કોહોલ

૪. આલ્કોહોલ

ભૂખ્યા પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરા થવા લાગે છે જેના કારણે જમવાનું પણ યોગ્ય રીતે નથી પચી શકતું

૫. ચટપટું ભોજન

૫. ચટપટું ભોજન

ક્યારેય પણ ભૂખ્યા પેટે કોઈપણ પ્રકારનું ચટપટું ભોજન ન ખાવું જોઈએ. તેમાં કુદરતી એસિડ હોય છે જે પેટમાં હજમ થવાને બગાડી નાખે છે. કેટલીક વાર પેટમાં ચૂંક ઉપડવા લાગે છે.

૬. કોફી

૬. કોફી

ભૂખ્યા પેટે કોફીને પીવી સૌથી વધુ નુકશાનકારક હોય છે. તેમાં કૈફીન હોય છે જે ખાલી પેટે લેવાથી તમને બેહાલ કરી શકે છે. કંઈ ખાવાનું ના હોય તો એક ગ્લાસ પાણી પણ પી લો.

૭. ચા

૭. ચા

જેવી રીતે કોફી પીવુ સારુ હોતું નથી, તેવી જ રીતે ભૂખ્યા પેટે ચા પણ ના પીવો. ચામાં અધિક માત્રામાં એસિડ હોય છે જેના કારણે પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

૮. દહી

૮. દહી

દહી સ્વાસ્થ્યકારી હોય છે પરંતુ ભૂખ્યા પેટે તેને ખાવાથી પેટમાં ચૂંક પણ આવી શકે છે.

૯. કેળા

૯. કેળા

ભૂખ્યા પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા પણ વધી જાય છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થઈ જાય છે. તેના કારણે સવારે ભૂખ્યા પેટે કેળા ના ખાઓ.

૧૦. શક્કરિયા

૧૦. શક્કરિયા

શકરકંદમાં ટૈન્નીન અને પૈક્ટીન હોય છે જેને ભૂખ્યા પેટે ખાવાથી ગૈસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ જાય છે. જેના કારણે છાતીમાં બળતરા પણ થઈ શકે છે.

Story first published: Thursday, January 5, 2017, 11:10 [IST]
X
Desktop Bottom Promotion