Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ભૂત નહી ભગવાન વાસ કરે છે આ ઝાડ પર, ગુરુજીથી જાણો કેવી રીતે કરશો પૂજા
આપણે સદિયોથી માનીએ છીએ કે કેટલાક પ્રકારના ઝાડ પર અનેક પ્રકારના ભૂતોનો વાસ હોય છે, જેમાંથી પીપળાના ઝાડની ચર્ચા સૌથી વધારે હોય છે. એટલા માટે આપણે આ ઝાડની નજીક જતા રોકવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે પીપળના ઝાડના પ્રત્યેક પાન પર ભગવાનનો વાસ હોય છે?

જો તમે તમારી આજુબાજુ ધ્યાન આપ્યું હોય અને અનુભવ્યું હોય તો ક્યાંય પણ હવા ના ચાલતી હોય, પરંતુ પીપળાનું દરેક પાન તમને ડોલતું નજર આવશે. આખરે આ ચમત્કારનું કયું કારણ છે?
બસ આ જ વાત પર આજે આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે આપણા જ્યોતિષ આચાર્ય અજય ત્રિવેદીજી પીપળાના ઝાડની પૂજા વિશે કઈ જાણી આપી રહ્યા છે, અને શું પીપળાના ઝાડ પર સાચે જ ભૂત હોય છે કે નહી.

આ વૃક્ષ પર ઘંટ બાંધવામાં આવે છે
જ્યારે કોઇ વ્યક્તિની મૃત્યું થાય છે, ત્યારે આ ઝાડ પર ઘટ બાંધવામાં આવે છે, તે ઝાડ પીપળાનું જ હોય છે. એવું એટલા માટે છે કેમકે પીપળાના ઝાડ પર પૂરા ૩૩ કોટિ ભગવાનનો વાસ હોય છે.

પાન પર ભગવાનનો વાસ
આપણા ધર્મ શાસ્ત્રો અનુસાર કોટિનો મતલબ હજાર થાય છે, જેનો મતલબ છે કે પીપળાના એક એક પાન પર ૩૩ કોટિ ભગવાન વિરાજમાન છે.

આપણા પિત્રૃઓનો પણ વાસ હોય છે
આ ઝાડમાં પિત્રૃઓનો પણ વાસ હોય છે. અને પિત્રૃઓની પૂજા પણ આ ઝાડમાં કરવામાં આવે છે.

ખરાબ શક્તિઓ પણ આપે છે આર્શીવાદ
જેટલું સંભવ થાય આ ઝાડની પૂજા આપણે કરવી જોઈએ કેમકે ખરાબથી ખરાબ લોકો અને શક્તિઓ પણ આપણને આર્શીવાદ આપવા લાગે છે. આપણા ખરાબ સમયમાં જ્યારે આપણે પીપળાના ઝાડની પૂજા કરીશું, તો આપણને આર્શીવાદ મળશે કેમકે તેમાં આપણા પિત્રૃઓ સમાયેલા છે, જે આપણને તેમનો આર્શીવાદ આપે છે.

જૂનું ઝાડ વધારે લાભકારી
પીપળાનું વૃક્ષ જેટલું જુનું હોય છે, એટલું જ લાભદાયક હોય છે એટલા માટે આપણે સદાય તેની પૂજા કરવી જોઇએ અને તેનાથી ડરવું ના જોઈએ.

શની દોષ કેવી રીતે ઉતારશો
જો તમારી સનીની દશા ચાલી રહી હોય તો પીપળાના ૧૧ પાન લો અને તેમાં હનુમાનજીનું સિંદૂર લગાવીને તેને હનુમાનજીની મૂર્તીના પગ પર રાખો. એવું કરવાથી ધીમે ધીમે તમારો શની દોષ અને પિત્રૃ દોષ પણ દૂર થઈ જશે.

પૂજા કરવાથી દેવી દેવતા થાય છે ખુશ
પીપળાના ઝાડની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને તેમાં વસેલા બધા દેવી-દેવતા તમારી પર ખુશ થશે.



Click it and Unblock the Notifications











