Just In
- 1041 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1050 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1780 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1783 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો, રાત્રે પેદા થયેલા લોકોની પર્સનાલિટી સાથે જોડાયેલી વાતો
આવો જાણીએ એવા લોકોની પર્સનાલિટી વિશે કે જેમનો જન્મ રાતનાં સમયે થયો છે.
વૈદિક શાસ્ત્રો મુજબ અને જ્યોતિષીય જ્ઞાન મુજબ કોઈ પણ શખ્સનાં જન્મનો સમય તેની શખ્સિયત માટે ખૂબ જ મહત્વનો હોવાની સાથે તેનાં પર બહુ પ્રભાવ નાંખે છે. કહેવાય છે કે જે લોકોનો જન્મ રાતનાં સમયે થયેલો હોય, તેમની પર્સનાલિટી સવારે કે બપોરનાં સુમારે પેદા થયેલા લોકો કરતા બિલ્કુલ અલગ હોય છે.
આવો જાણીએ તેવા લોકોની પર્સનાલિટી વિશે કે જે લોકો આ દુનિયામાં રાતનાં સમયે આવ્યા હોય. આવા લોકો ક્રિએટિવ હોવાની સાથે જ તેમનો માતાનાં પ્રત્યે ઝોક હોય છે. આ ઉપરાંત ઘણી બાબતો છે કે જે તેમને પરિભાષિત કરે છે.
આવો વાંચીએ આવા લોકોની પર્સનાલિટી સાથે જોડાયેલા ફૅક્ટ્સ વિશે :
ફૅક્ટ 1 :
કહે છે કે જે લોકો સૂર્યાસ્ત બાદ અને ચંદ્રોદયનાં સમયે પેદા થાય છે, તે લોકો ખૂબ જ મોટા વિચારક અને દાર્શનિક હોય છે. કળા અને સંગીતની બાબતમાં પણ તેમનો સ્વાદ બીજાઓ કરતા બહુ જુદો હોય છે.
ફૅક્ટ 2 :
આવા લોકોનો પોતાનાં માતા પ્રત્યે ઝોક હોય છે. તેઓ જેમ-જેમ મોટા થાય છે, તેમ-તેમ તેમની ઑબ્ઝર્વેશન સ્કિલ્સ પણ ઇમ્પ્રૂવ થાય છે. ખાસ તો નિર્ણય લેતી વખતે તેઓ પોતાની ઑબ્ઝર્વેશન સ્કિલની સહાય જરૂર લે છે.
ફૅક્ટ 3 :
કહેવાય છે કે આવા લોકો વ્યક્તિગત રીતે ખૂબ જ આત્મવિશ્વાસુ હોય છે. આ ઉપરાંત આવા લોકો દિવસની સરખામણીમાં સાંજે વધુ સોશિયલ અને પ્રોડક્ટિવ થઈ જાય છે.
ફૅક્ટ 4 :
આવા લોકો ઉચ્ચ ઉત્સાહી અને ઇચ્છાધારી હોય છે. તેમની પાસે અદ્ભુત કલ્પના શક્તિ હોય છે કે જે તેમને ખૂબ રચનાત્મક બનાવે છે.
ફૅક્ટ 5 :
આ લોકોનું મગજ બહુ તેજ હોય છે. તેમને સારા ટીકાકાર પણ કહી શકાય છે. તેઓ હંમેશા કરંટ અફૅર અને દુનિયા ભરનાં નવીનતમ્ સમાચારો અંગે હંમેશા અપ ટુ ડેટ રહે છે. આ ઉપરાંત તેઓ પોતાનાં ફ્રેન્ડ સર્કલમાં બહુ સારા મિત્ર હોય છે.