Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો, કેમ હોય છે સુહાગતાના દિવસે દૂધ પીવાની પરંપરા, શું હોય છે તેમાં ખાસ
બૉલીવુડની ફિલ્મો અને ટીવી સીરિયલોમાં સુહાગરાતના દિવસે નવવિવાહિત યુગલ ખાસકરીને વરરાજાને દૂધ આપવાનો સીન ખૂબ બતાવવામાં આવે છે. જો કે હિન્દુ ધર્મમાં આ ખૂબ જ પ્રચલિત પરંપરા છે. માનવામાં આવે છે કે હિન્દુ ધર્મ સૌથી પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો અને આ ધર્મની ઘણી પરંપરા આજે પણ જીવિત છે. આ પરંપરા પણ તેમાંની એક છે.
સુહાગરાતના દિવસે કન્યા અને વરરાજાને દૂધ આપવા પાછળ કોઇ ધાર્મિક કારણ નથી પરંતુ વૈજ્ઞાનિક કારણ છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સુહાગરાતના દિવસે દૂધમાં બદામ અને અન્ય તત્વનું જે મિશ્રણ આપવામાં આવે છે તે પહેલી રાતના અનુભવને વધુ મજેદાર બનાવી દે છે. દૂધમાં મધ અને અન્ય તત્વોની હાજરી નવવિવાહિત કપલને કામસૂત્રના અનુસાર વધુ રોમેન્ટિક અહેસાસ અપાવે છે.
બાળપણથી જ આપણને દૂધ પીવાની શિખામણ આપવામાં આવે છે પરંતુ આપણે બહાના શોધીએ છીએ. તેના માટે ઘણા તર્ક રજૂ કરીએ છીએ. પરંતુ તેની ઉપયોગિતા બધાને સમજમાં આવી જાય છે.
નીચે સ્લાઇડરમાં વાંચી દૂધના અન્ય તે તત્વો વિશે જેથી સુહાગરાતના દિવસે દૂધ આપવામાં આવે છે-

કેન્સરનો ખતરો ઘટાડે છે
વિટામીન બી 12ની પ્રમાણતાના લીધે મગજની કાર્યપ્રણાલીને પણ દુરસ્ત રાખે છે. આ કેન્સરના ખતરાને ઓછો કરે છે.

વજન કાબૂ રહે છે
નિયમિત દૂધ પીવાથી વજન કાબૂ રહે છે અને શરીર ફિટ રહે છે.

બિમારીઓનો ખતરો ઓછો કરે છે
દૂધ કાર્ડિયો વૈસ્કુલર બિમારીઓનો ખતરો ઓછો કરે છે. દૂધમાં હાજર વિટામિન એ અને બી આંખોની રોશની જાળવી રાખવા માટે જરૂરી છે.

તત્વાની ચમક માટે
દૂધ તત્વાની ચમક માટે ખૂબ જ જરૂરી હોય છે. દૂધમાં ઘણા પ્રકારના એસિડ હોય છે જે ખૂબ મદદગાર સાબિત થાય છે.

મધ અથવા કિસમિસ નાખો
દૂધમાં મિઠાશ માટે ખાંડ નાખવી ન જોઇએ. તેનાથી તેની ક્ષમતા ઘટે છે. જરૂરિયાત જણાય તો મધ અથવા કિસમિસ નાખો.

માંસપેશીઓ મજબૂત બને છે
આર્યુવેદના અનુસાર દૂધ શુક્રાણુંને ઘટ્ટ બનાવે છે. આ સાથે તાત્કાલિક તાકાતમાં વધારો કરે છે. તેમાં પ્રોટીનની વિપુલતા હોય છે. જેથી માંસપેશીઓ વધુ મજબૂત થઇ જાય છે.

યાદશક્તિમાં વધે છે
હાડકાના યોગ્ય વિકાસ માટે દૂધ ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી માણસની યાદશક્તિમાં વધે છે અને આ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

શારીરિક વિકાસમાં મદદગાર
દૂધ વ્યક્તિના યોગ્ય શારીરિક વિકાસમાં પણ મદદગાર સાબિત થાય છે. એટલા માટે પહેલી રાત્રે દૂધ આપવાની પ્રથા પ્રચલિત છે.



Click it and Unblock the Notifications











