પોતાની આંગળીઓની લંબાઈથી જાણો કેવું છે આપનું નેચર ?

By Lekhaka

માણસમાં સૌથી નિરાળી વાત તેની જિજ્ઞાસા હોય છે. આપણે સૌ જિજ્ઞાસાનાં કારણે જ દરેક વાતને જાણવાની ઇચ્છા ધરાવીએ છીએ અને તેને છંછેડતા રહીએ છીએ. ઘણી વાર આપણે આપણાં જ વિશે પોતાની જાત પાસે જાણવા માંગીએ છીએ. હાથની રેખાઓને વંચાવીએ છીએ, માથાને રીડ કરાવડાવીએ છીએ અને કોણ જાણે કેટ-કેટલું કરીએ છીએ.

ખેર... જ્યારે આપ પોતાનાં વિશે જાણવા માટે આટલા જ ઇચ્છુક છો, તો શું આપને ખબર છે કે આપનાં હાથોની આંગળીઓ પણ આપની પર્સનાલિટી વિશે જણાવે છે.

હસ્તરેખા વાંચનાર લોકોનાં જણાવ્યા મુજબ વ્યક્તિની પ્રકૃતિ તેની આંગળીઓનાં આકારથી સ્પષ્ટ થઈ જાય છે. માત્ર તર્જની જ કોઈ પણ વ્યક્તિનાં નેચ વિશે બધુ ય જણાવી શકે છે. જેમ કે :

1

1

જો કોઈ વ્યક્તિની તર્જની બાકીની મધ્ય આંગળીઓ જેટલી જ લંબાઈ ધરાવતી હોય, તો વ્યક્તિ બહુ હાવી થનારી હોય છે. તે દંભપૂર્ણ અને અહંકારી હોય છે અને પોતાની આગળ કોઈને ચાલવા નથી દેતી.

2

2

જો તર્જની મધ્યમાથી મોટી હોય, તો તેવા લોકો અહંકારીહોય છે અને પોતાની જાતને સર્વોચ્ચ ગણે છે.

3

3

જો તર્જની મધ્યમા કરતા નાની હોય, તો વ્યક્તિ બહુ મહત્વાકાંક્ષી હોય છે. તેને કોઈ નવા કામમાં પણ ખુશી નથી થતી.

4

4

જો તર્જની અનામિકા કરતા લાંબી હોય, તો તેવો માણસ મહત્વાકાંક્ષી હોય છે. તેને દરેક કામમાં ઉત્સાહ દેખાય છે અને ઘણી વખત ઉતાવળમાં તે કામ બગાડી પણ લે છે.

5

5

જો તર્જની અનામિકા જેટલી હોય, તો એવી વ્યક્તિ બહુ દોલત કમાવે છે અને સમાજમાં તેનું સન્માન હોય છે.

6

6

જો તર્જની અનામિકા કરતા નાની હોય, તો તેવી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે અને તેનો ભાગ્ય સારો હોય છે.

7

7

જો નાની આંગળી તર્જનીના નખ સુધી પહોંચતી હોય, તો એવી વ્યક્તિ ધનવાન હોય છે અથવા સારી લેખક તેમજ અભિનેતા હોય છે.

8

8

જો તર્જની અને નાની આંગળીની લંબાઈ સરખી હોય, તો તેવા લોકો બુદ્ધિશાળી હોય છે અને યોજનાઓ સારી બનાવી લે છે. તેમનામાં તખ્તાપલટ કરવાની ક્ષમતા હોય છે.

9

9

જો તર્જની લાંબી, પાતળી અને યોગ્ય આકારમાં હોય, તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે.

Story first published: Friday, November 18, 2016, 12:00 [IST]
X
Desktop Bottom Promotion