નેલ પોલિશ લગાવ્યાના 10 કલાક બાદ જ શરીરમાં થવા લાગે છે આ ફેરફાર

By KARNAL HETALBAHEN

છોકરીઓને પોતાના નખને કલર કરવાનું ખૂબ ગમે છે અને કોઇપણ આ વાતને નકારી શકતું નથી. શું તમે જાણો છો કે તેનાથી કેટલાક ગંભીર પરિણામ આવી શકે છે અને માટે તમારે તેને દરરોજ લગાવવાનું ટાળવું જોઇએ. તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નેલ પોલિશ લગાવ્યા બે કલાક બાદ નેલ પોલિશમાં ઉપસ્થિત કેમિકલ્સ લોહીમાં પ્રવેશ કરી શકે છે.

આ રિસર્ચમાં કેટલીક મહિલાઓના મૂત્રમાં ડાઇફિનાઇલ ફોસ્ફેટની તપાસ કરવામાં આવી જેનું નિર્માણ થાય છે જ્યારે શરીર ટીપીએચપીનું ચચ્પચય કરે છે જે એક રાસાણિક ઝેર છે. રિસર્ચ અનુસાર નેલ પોલિશ લગાવ્યાના 10-14 કલાક બાદ ડીપીએચપીની સીરમ દસ ગણી વધી ગઇ.

નિષ્ણાતો જણાવે છે કે આ કેમિકલ્સના લીધે ઇનફર્ટિલિટી,હાર્મોન્સ સંબંધિત કેન્સર જેમ કે બ્રેસ્ટ, ઓવેરિયન, પ્રોસ્ટેટ તથા થાઇરાઇડ સંબંધિત બિમારીઓ, મગજની બિમારીઓ, ડાયાબિટીઝ અને મોટાપો વગેરેની સંભાવના વધી જાય છે.

આગળ આપણે જોઇશું કે કયા પ્રકારે કેટલાક કેમિકલ લોહીમાં પ્રવેશે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. તો આ જાણવા માટે આગળ વાંચો કે નેલ પોલિશ કયા પ્રકારે તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

#1

#1

સામાન્ય રીતે નખ કોઇપણ અણુઓને માટે પારગમ્ય હોતા નથી. પરંતુ ટીપીએચપી ક્યૂટિકલ દ્વારા અથવા નખની આસપાસના ભાગ દ્વારા અને ત્વચા દ્વારા ચૂસી લે છે.

#2

#2

આ નેલ કલર્સ દ્વારા એંડોક્રાઇનમાં વિધ્ન આવવાનો ખતરો હોય છે.

#3

#3

તેના કારણે નેલ પોલિશ લગાવ્યા બાદ શરીર આ કેમિકલ્સને વધુ તીવ્રતાથી ચૂસી લે છે.

#4

#4

શ્વાસ દ્વારા અથવા પાચનના માધ્યમથી આ કેમિકલ્સ શરીરમાં પ્રવેશ કરી જાય છે.

#5

#5

કેટલાક નેલ કલરમાં આ કેમિકલ જરૂરી હોતા નથી.

#6

#6

ક્યારેક ક્યારેક આ પ્લાસ્ટીસીઝરની માફક કામ કરે છે જે નેલ કલરની કાર્યક્ષમ અને તેને વધુ સમય સુધી ચાલનાર બનાવે છે.

#7

#7

નેલ પોલિશમાં મળી આવનાર કેટલાક અન્ય કેમિકલ્સમાં ફોર્મેલ્ડિહાઇડ, ડાઇબ્યુટિલ ફથાલેટ અને ટોલ્યૂનિ છે.

#8

#8

આ કેમિકલ્સ દ્વારા ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે જેમ કે શ્વસન સંબંધી બિમારીઓ, બાળકોના જન્મ સંબંધિત બિમારીઓ તથા સુસ્તી અને માથાનો દુખાવો. નેલ પોલિશનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બિમારીઓ પણ થઇ શકે છે.

Story first published: Wednesday, May 24, 2017, 13:00 [IST]
X
Desktop Bottom Promotion